________________
૧૮
ધમિલકુમાર રાસ આ વાત જ્યારે ધમ્મિલની માતાએ જાણી, ત્યારે તે મનમાં ખૂબ હરખાણી અને દીકરાને હંમેશાં આઠ હજાર દિનાર મોકલવા લાગી. // ૧૦ના
ધમિલ વેશ્યામાં રક્ત :
હવે આ બાજુ જેમ નખ અને માંસ, તથા જળ અને માછળી, એકબીજા વિના ન રહી શકે, તેવી રીતે વેશ્યાપુત્રી વસંતતિલકાને પણ કુંવર ઉપર અતિશય પ્રીતિ જાગી છે (પ્રીતિ થઈ છે.) I/૧૧I કુમારનો વેશ્યાની સાથે ખાવાપીવામાં, વિવિધ ક્રીડા કરવામાં, નાટક જોવામાં, ગીતગાનની અંદર આનંદ લૂંટતાં અને વિલાસ કરતાં ઘણો કાળ ચાલ્યો ગયો. ./૧રા
આ બાજુ હવે ધમિલની માતા, ધમિલને બોલાવવા માટે મોકલે છે. વેશ્યામાં લુબ્ધ બનેલો કુમાર, માતા બોલાવવા છતાં ઘેર જતો નથી. ત્યારે માતપિતાએ દ્રવ્ય (આઠ હજાર દિનાર) મોકલવાનું બંધ કર્યું. તે છતાં ધમિલ તો દ્રવ્ય મંગાવે રાખે છે. ૧૩ માતા સુભદ્રા પોતાના પતિ સુરેન્દ્રદત્તને કહેવા લાગી. “હે સ્વામી ! દીકરા પાછળ આપણું ઘર (દ્રવ્યથી) તો ખાલી થયું. તોયે દીકરો મળવા ન આવ્યો. દીકરાથી આપણને જરાયે સુખ કે શાંતિ પ્રાપ્ત ન થઈ. રે ! કેવા કર્મરાજાનો ખેલ! I૧૪ll,
સુભદ્રાનો પશ્ચાત્તાપ -
શેઠ કહે છે કે હે સુંદરી ! હવે ક્યાં વિમાસો ! હવે ઝાઝી ચિંતા શા માટે કરે છે? આપણે જ પાસા અવળા નાંખ્યા છે, તો હવે ચિંતા કરવાથી સર્યું. અર્થાત્ ચિંતા ન કરવી. જેવું નસીબ ! /૧૫
હે દેવી ! ઊંચનીચના દષ્ટાંતે મેં તમને પહેલાં જ ચેતવ્યાં હતાં. પણ “નારીજાત” હઠ લીધી.. મૂકે નહિ. I૧૬માં કહ્યું છે કે બાળક, નારી, મૂર્ખ, હઠીલો યોગી અને પંડિત આદિ સાથે દયા દાખવવા જેવી નથી. ll૧થી
વળી મૃગલો રણમાં પાણીની ઇચ્છા કરે છે તેમ મૃગતૃષ્ણા સરખી પુત્રની ઇચ્છા (આશા) છોડી દો. દીકરો સ્વર્ગે લઈ જશે નહિ, માટે પુત્રની વાત જવા દો. અમારી સાથે તમે સુભદ્રા અને યશોમતી). સાસુ વહુ બંને જૈનધર્મની આરાધના કરી, પરમાત્માની અખંડ આજ્ઞાને પાળો. જેથી હવે પછીના ભાવો સુધરી જાય. /૧૮ના શેઠ (સ્વામીનું)નું વચન સાંભળી, સુભદ્રા તથા યશોમતી ત્રણેય જૈનધર્મની આરાધનામાં રક્ત (રંજિત) થયા. ત્રિકાળ પ્રભુપૂજા, સમતાથી યુક્ત સામાયિક અને શ્રી નવકાર મહામંત્રનો એકાગ્ર ચિત્તે જાપ કરે છે. ૧૯ી.
શેઠ-શેઠાણી ઘરમાં રહેલ શેષ (બાકી રહેલું દ્રવ્ય) ધન સાતક્ષેત્રમાં વાવરે છે. યશોમતીની ભાવિ જિંદગીની ચિંતા કરતાં શેઠશેઠાણીએ ઘણું દ્રવ્ય તેને પણ સોંપી દીધું. દીકરો મંગાવે તો પણ હવે ધન મોકલતા નથી. વયોવૃદ્ધ સાસુસસરાની સેવા કરતી યશોમતીએ છેલ્લે સુંદર નિર્ધામણા કરાવી. આયુષ પૂર્ણ થયે બંને દેવલોકવાસી થયાં. જીવતાં માતાપિતાને મળવા ન આવનારો દીકરો, મૃતકાર્ય વખતે પણ ન આવ્યો. l/૨વા મહાસતી યશોમતી મૃતકાર્ય પતાવીને ધર્મમાં સ્થિર થઈ. સમતાથી પતિના વિયોગને સહન કરતી રહેલ છે. //ર૧||
વેશ્યાઘર વસતો ધમિલ, દ્રવ્ય લેવાને માટે માણસોને પોતાને ઘેર મોકલે. જયારે જયારે માણસો આવે ત્યારે યશોમતી દ્રવ્ય આપીને મોકલે. વ્યસનીનાં પાપે કરીને ધન અને ઘરસજાવટ સઘળી વસ્તુથી ઘર ખાલી થઈ ગયું. રર જ્યારે કંઈ જ આપવાનું ન રહ્યું ત્યારે યશોમતી પોતાના અંગે(સૌભાગ્યવંતીના).