________________
ધમ્મિલકુમાર રાસ
અજાણતાં મારાથી હણાયો છે. તે વાત સાંભળતાં મિત્રસેના વજ્રાઘાત થયો હોય તેમ મૂઢ થઈ. ઘણી દુઃખી થઈ. વિચારવા લાગી કે “મુનિવચન ક્યારેય ખોટું ન હોય.” ભાવિભાવ બને જ છે. ।૨૪। અખંડ પુણ્યોદયવાળા ધમ્મિલકુમાર ચરિત્ર રાસની પાંચમા ખંડની આ બીજી ઢાળમાં શ્રી શુભવીર- વિજયજી મહારાજે એવો વચનરસ ભર્યો છે કે જે સાંભળતાં લોકોના હૈયામાં તેને ધારણ કરતાં સૌ આનંદિત થાય. ॥૨૫॥ ખંડ - પની ઢાળ : ૨ સમાપ્ત -: દોહા :
૩૧૬
દોય ઘડી આંસુ ભરી, પામી ખેદ લગાર, મિત્રસેના કહે કર્મગતિ, ભોગવવી નિર્ધાર. ॥૧॥ તવ ધમ્મિલ કહે સુંદરી, મ કરો મનમાં ખેદ, જ્ઞાનીનું દીઠું હુએ, નહી તિહાં કિશ્યો વિભેદ ॥૨॥ સા કહે આર્યપુત્ર તમે, રેહેજો ઇહાં ખીણમંત, ખેટ સહોદરીને જઈ, સંભળાવું વિરતંત જ્ઞા જો તુમ ઉ૫૨ રાગિણી, હોશે તો ધ્વજરક્ત; મંદિર ઉર્ધ્વ હલાવશું, શ્વેત ધ્વજાએ વિરક્ત ॥૪॥ રક્ત રેહેજો દિર થઈ, સ્વેતે જાજો દૂર; એમ કહી ચાલી વેગશું, વિઘુમતીને હજૂર ॥૫॥ તસ સંકેતે દોય ઘડી, તગત ચિત્ત કુમાર, ઉપશમ ગુણઠાણે ચડી, થોવ ઠરે અણગાર ॥૬॥ તામ પતાકા ઉજળી, હાલતી દેખી કુમાર, જાણી વિરક્તા તે મઈ, નાઠો નદીય કિનાર. ના અટવી મધ્યે ચાલતાં, તરૂતલ જોગી ચાર, ઝઘડો કરતાં દેખીને, પૂછે તાસ કુમાર. ॥૮॥ જોગી થઈ જંગલ રહો, સહો શીત વર્ષાતાપ; ભિક્ષા એ ભોજન કરો, તેહમાં શો સંતાપ. ॥લા કહે જોગી સુણ ભોગીયા, ભલે પધાર્યા આંહી, અતિથિ કરી તુમ પૂજશું, રયણી રહો ઉચ્છાંહી. ||૧૦|| વાત સુણી અમ મુખ તણી, ભાંગો અમચો ક્લેશ, સુખીયા થઈશું તુમ થકી, તુમને લાભ વિશેષ ||૧૧|| એમ નિસુણી કુંવર તિહાં, ગિરિદરી વસિયા રાત; દાક્ષિણતા ગુણ દેખીને, યોગી કરતા વાત. ।।૧૨।।