SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મિલકુમાર રાસ રહસ્ય જાણવાની તીવ્ર તમન્નાએ રાજારાણી, જ્યાં મુનિ ભગવંત હતા, ત્યાં પહોંચી ગયાં. મુનિ ભગવંત વાતનો ખુલાસો કરતાં કહી રહ્યા છે. કહે છે “તારા રાગી પુરુષનું માંસ તમે બંને ખાઈ રહ્યાં છો. રાગીનું માંસ પણ મીઠું લાગે. જ્ઞાન વિના તમે આ હરણના જીવને ન ઓળખી શકો.” રૂપસેનના ભવથી લઈને હરણ હંસના ભવ સુધી સકલ વાત મુનિએ કહી સંભળાવી. ।।૧૦।। સઘળી વાત સાંભળીને રાણી મનમાં ઘણી દુ:ખી થઈ. વળી અવધિજ્ઞાની મુનિભગવંતને પૂછે છે. હે ભગવંત ! રૂપસેન હવે પછી ક્યાં અવતાર લેશે ? જ્ઞાની મુનિ કહે છે. અમારા જ્ઞાનમાં અમને દેખાય છે. તે રૂપસેનનો જીવ સાતમા ભવે હાથી થશે. ।।૧૧।। તારા ઉપદેશથી સમતા ધારણ કરશે. વળી સમ્યક્ત્વ પામશે. તારા થકી તે હાથી વ્રતનો સ્વીકાર કરશે. વ્રતને પાળીને તે હાથી છેલ્લે અનશન કરશે. આયુષ પૂરું કરીને આઠમા સહસ્ત્રાર નામના દેવલોકે દેવેન્દ્ર થશે. ત્યાંથી ચ્યવી મનુષ્યભવ પામી, સંયમ આરાધી મુક્તિપદને વરશે. ૧૨॥ રાજા તથા રાણી સુનંદાની દીક્ષા :- રૂપસેનના ભવોની વાત. તેનો નિસ્તાર વગેરે કહ્યા. જે સાંભળી રાજારાણીના હૈયામાં સંસાર પ્રત્યે નફરત જાગી. તે જોઈને મુનિભગવંતે તેમની ભવિતવ્યતા જાણી, વૈરાગ્યનો વધારો થાય. વૈરાગ્ય પુષ્ટ બને તેવો ઉપદેશ આપ્યો. તે સાંભળી આ દંપતીએ ત્યાં જ તે મુનિ ભગવંત પાસે સંયમ ગ્રહણ કર્યો. ચારિત્રનો સ્વીકાર કર્યો. રાજર્ષિ મુનિ પોતાના ગુરુ સાથે વિહાર કરી ગયા. સુંદરતર ચારિત્રની આરાધના કરવા લાગ્યા. અને પરમ સુખી થયા. ॥૧૩॥ સુનંદા સાધ્વીજીને અવધિજ્ઞાન :- જ્યારે આ બાજુ સુનંદાએ સાધ્વીના સ્વાંગમાં ગુરુણીની સાથે સંયમની સાધનાની ધૂણી ધખાવી. જ્ઞાનધ્યાનમાં આગળ વધવા લાગ્યાં. અરિ (દુશ્મન-વૈરી) મિત્ત એટલે મિત્ર. વૈરી અને મિત્ર. બંનેને સરખા ગણવા લાગ્યાં. કોણ વૈરી ? કોણ મિત્ર ? બધા જ સરખા તૃણ (ઘાસ) અને મણિને પણ સમતુલ્ય ગણે છે. ગુરુણીની આજ્ઞાને શિરોમાન્ય કરતાં તડકે જઈને પોતે આતાપના લે છે. એમ કરતાં સુનંદા સાધ્વી ભગવંતને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. ।૩૪। આ બાજુ જે વનમાં રૂપસેનનો જીવ હાથી થયો હતો. તે જ વનની નજીક સુનંદા સાધ્વી આદિ બીજાં પણ સાધ્વીશ્રીઓ વિહાર કરતાં આવી વસ્યાં. પેલો હાથી તે અરસામાં મદોન્મત થયો અને તે વનની નજીક કંચનપુરનગરના કિલ્લામાં જઈ ચડ્યો. ।।૧૫।। ૧૭૪ મદે ચડેલો હાથી તોફાન કરવા લાગ્યો. લોકો ચારે બાજુ કોલાહલ કરતાં ચીચીયારીઓ પાડતાં આમતેમ દોડવા લાગ્યાં. હાથી નગરીમાં આવી ગયો. રાજાના સેવકોએ તે હાથીને દમન ક૨વા ઘણા પ્રયત્નો કર્યા. પણ તેઓ સૌ નિષ્ફળ નિવડ્યા. તે સમયે સાધ્વી સુનંદા તે હાથી આગળ પહોંચી ગયાં. સાધ્વી મહારાજને જોતાં જ હાથી શાંત થઈ ગયો. ।।૧૬।। હાથીને પ્રતિબોધ :- અવસર જોઈ સાધ્વીજી હાથીને કહેવા લાગ્યાં. હે મદમાં ઉન્મત્ત બનેલ ગમાર હાથી ! શાંત થા ! તારા ભૂતકાળના દિવસો યાદ કર. તારાં દુઃખના દહાડાને યાદ કર. વિષયરાગમાં લુબ્ધ થયેલો તું કેટલી કેટલી વિટંબના પામ્યો. બધી જગ્યાએ ઘાત પામ્યો છે. હું પાપી ! તું રાગમાં અંધ બન્યો. ઘાત પામી પામીને તારા સાત ભવ થઈ ગયા. I॥૧૭॥ હે ગજરાજ ! તારા સાત ભવ સાંભળ ! પહેલો ભવ રૂપસેનનો, બીજા ભવમાં બે મહિના ગર્ભ રૂપે મારા ઉદરમાં રહ્યો. માત્ર બે મહીનામાં મેં તારો નિકાલ કરાવ્યો. ત્રીજા ભવે ફણીધર થયો. ચોથા ભવે કાગડો. પાંચમા ભવે હંસ, છઢે ભવે હરણનો અવતાર પામ્યો. આ બધાએ ભવમાં મારા થકી તું મરાયો. આ સાતમો ભવ તારો હાથીનો છે. વળી બધા ભવો તારા ધર્મવિહોણા ગયા. બધા ભવ નકામા ગયા. ॥૧૮॥
SR No.005785
Book TitleDhammilkumar Ras
Original Sutra AuthorN/A
AuthorJitkalpashreeji
PublisherDevi Kamal Swadhyay Mandir
Publication Year2009
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy