SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ परिशिष्ट -४ श्री दशवकालिकसूत्र भाषांतर - भाग ३ परिशिष्ट - ४ જેટલી ગોચરી શુદ્ધ તેટલું ચારિત્ર શુદ્ધ सोलस उग्गमदोसा सोलस उपायणाय दोसत्ति । दस एसणाय दोसा बायालीस इह हवन्ति ॥५६३।। प्र.सा. સોળ ઉદ્ગમના, સોળ ઉત્પાદનના અને દસ એષણાના એ ત્રણે ભેગા કરવાથી બેતાલીસ દોષ થાય છે. ઉદ્ગમઃ પિંડની ઉત્પત્તિ વખતે થતા આધાકર્મી વગેરે દોષો તે ઉદ્ગમ દોષો. ઉત્પાદન ઃ મૂળથી શુદ્ધ એવા પિંડને ધાત્રીપણું આદિ કરીને દૂષિત કરતાં જે દોષો ઉત્પન્ન થાય તે ઉત્પાદનના દોષો. એષણાઃ શોધવું તે એષણા. અશન વગેરેના ગ્રહણ વખતે શંકા વગેરે દોષો દ્વારા એષણા કરવી તે એષણા દોષો. ઉદ્ગમ દોષ आहाकम्मदसिय पूईकम्मे य मीसजाए या ठवणा पाहुडियाए पाओयर कीय पामिच्॥ परिपटिए अमिहडुमिन्ने मालोहडे य अछिज्जे। अणिसिद्धेऽज्झोयरए सोलस पीण्डुग्गमे दोसा ॥ ૧ આધાકર્મ, રદેશિક ૩ પૂતિકર્મ, ૪ મિશ્રજાત, ૫ સ્થાપના, ૬ પ્રાકૃતિકા, પ્રાદુષ્કરણ, ૮ કિત, ૯ પ્રામિત્ય ૧૦ પરિવર્તિત, ૧૧ અભ્યાહત, ૧૨ ઉભિન્ન, ૧૩ માલાપહત, ૧૪ આચ્છેદ્ય, ૧૫ અનિસૃષ્ટ, ૧૬ અધ્યવપૂરક આ સોળ પિંડના ઉદ્ગમ દોષો છે. ૧. આધાકર્મ સાધુના નિમિત્તે ચિત્તનું જે પ્રણિધાન તે આધા. જેમકે મારે અમુક સાધુ માટે ભોજન વગેરે બનાવવું છે. આધા વડે જે કર્મ એટલે ભોજન વગેરે પકાવવાની ક્રિયા તે આધાકર્મ. તેની યોગથી તે ભોજન વગેરે પણ આધાકર્મ કહેવાય. અહીં દોષનું વર્ણન કરવાનો પ્રસંગ હોવા છતાં પણ, જે દોષવાળા આહારની વાત ચાલે છે, તે દોષવાળો આહાર જાણવો. કારણ કે દોષ અને દોષવાનની અભેદપણે વિવક્ષા થાય છે. એ પ્રમાણે બીજા સ્થળે પણ જાણવું. - સાધુને મનમાં ધારીને જે ભોજન વગેરે કરાય તે આધાકર્મ. એટલે સાધુ નિમિત્તે સચિત્ત દ્રવ્યને અચિત્ત કરવું અને અચિત્ત દ્રવ્યને પકાવવું તે. ૨. દેશિકઃ ઉદેશ કે લક્ષ્મપૂર્વક જે કરવું, તે ઔદેશિક એટલે યાવદર્થિક વગેરેના પ્રણિધાનપૂર્વક બનેલ, કે તે પ્રણિધાન માટે જે કરાય, તે દેશિક તે દેશિક ઓઘ અને વિભાગ એમ બે પ્રકારે છે. ઓઘ એટલે સામાન્ય અને વિભાગ એટલે પૃથક્કરણ. તેની ભાવના આ રીતે છે. જેમકે સાધુઓને આપણે આપ્યા વગર કશું મળતું નથી માટે અમે પણ કંઈ આપીએ – એવી બુદ્ધિથી થોડાક વધારે ચોખા વગેરે નાખવા દ્વારા જે અશન વગેરે બનાવાય, તે ઔદેશિક અર્થાત્ પોતાના અને પારકાનો વિભાગ કર્યા વગરનું જે બનાવાય, તે ઔધૌદેશિક. વિવાહ વગેરે પ્રસંગોમાં આતર વધ્યો હોય, તેને દાન આપવા માટે જુદો કરી રાખે, તે વિભાગીદેશિક. વિભાગ એટલે પોતાની માલિકી હટાવી જુદું કરવાવડે તેનો ઉદેશ રાખવો, તે વિભાગીદેશિક. (૧) ઓઘદેશિક – પ્રાયઃ કરી આ પ્રમાણે હોય છે, દુષ્કાળમાં ભૂખના દુઃખને અનુભવેલ હોય; એવો ગૃહસ્થ સુકાળમાં આમ વિચારે કે “આપણે ઘણા કષ્ટથી આ દુકાળમાં આવ્યા છીએ, હવે કંઈક અવસર મળેલ છે, એવા - ૧ ૨૭
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy