SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ : “સાતમે રવિવારે ફરીથી અંતરિક્ષમાંથી અવાજ આવ્યો :” પાંચ વ્રત ઉચ્ચરી લે. - ત્યાં ને ત્યાં જ મેં મનથી નિશ્ચય કરી લીધો. એ વાતને આજે બત્રીસ વર્ષ થયાં. ઉંમર તે વખતે ઓગણત્રીસ વર્ષની હતી. વિનો તો પાર વગરનાં નડ્યાં છે, પણ શ્રીવીતરાગ પરમાત્માની કૃપાથી વ્રતભંગ થવાયું નથી. વ્રતભંગ કરાવવા માટે પ્રયાસો પાર વગરના થયા. ધાક-ધમકી ને દબાણ તો જેને દાનવી કહી શકાય, તેવું આવી પડેલું. ખાવા ન આપે, ડગલે ને પગલે મુસીબતો ઊભી કરે, નિશાળે ભણાવવા જાઉં, તેનો પગાર આવે, તે પાઈએ પાઈ લઈ લે. આવું બધું ઘણું થવા માંડ્યું.” “ખાવા આપવાનું બંધ કર્યું, એટલે મેં આયંબિલ શરૂ કરી દીધાં. આમેય આયંબિલનો મહાવરો તો હતો જ. આંબેલશાળામાં જઈને આયંબિલ કરી આવું અને ખુશખુશાલ રહું. છ8 અઠ્ઠમ ને ઉપવાસ પણ કરું. આઠ ઉપવાસ પણ કેટલીયે વાર કર્યા છે. પણ એ વિષે કોઈને કશું કહેવાનું નહિ. અનુકૂળતા મળે, તો એકાસણું કે બેસણું પણ કરી લઉં, પણ એવી અનુકૂળતા ઓછી મળે, મોટે ભાગે તો આયંબિલ જ થાય છે.” નવકાર મંત્રનું રટણ તો હવે ચાલુ જ રહે છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાનાં દર્શન તો જ્યારે અને જ્યાં ઇચ્છું ત્યાં થાય છે. બનનારા બનાવોની આગાહી પણ થઈ જાય છે. સદ્ભાગ્યે બધા મને “ગાંડો’ ગણે છે, એટલે હવે બીજો કોઈ ત્રાસ રહ્યો નથી.' એક પુત્ર તો થયો. ભણ્યો. પરણ્યો, સારું રળે છે. એને પણ બાળકો છે. ધંધાર્થે તે બહારગામ રહે છે. પુત્ર-પૌત્રાદિ સંગે પુત્રની માતા પણ આનંદ કરે છે. મને હવે એમનામાં કે બીજા કશામાં ખાસ રસ રહ્યો નથી. એમનો મારામાંનો રસ મારા પગાર પૂરતો જળવાઈ રહ્યો છે ! મને એ વાતનું હસવું આવે છે. દેવું ચૂકવવાનું છે, તે ચૂકવું છું. પગાર, જે શાળામાંથી આવે છે, તે તેમને બારોબાર મોકલી દઉં છું. ટ્યુશનના પૈસા પૂરતા થઈ રહે છે. અંગત ખર્ચ તો કશો ખાસ છે નહિ. જુના ભાડાનું ઘર છે, નવ રૂપિયા ભાડું છે. સાબુ, હજામત વગેરે મળીને બેથી અઢી રૂપિયા જેટલું માસિક ખર્ચ થાય છે. બે ઝભ્ભા, બે બંડી, બે ધોતિયાં ને એક ટોપી એક વરસ ચાલે છે. ક્યાંય જવું આવવું પડે એવું ખાસ રાખ્યું નથી. પંદર-પંદર માઈલ જવાનું હોય, તો ઉઘાડા પગે ચાલી નાંખવામાં બહુ આનંદ આવે છે. દર ત્રણ મહિને ટ્યુશનમાંથી બચેલા પૈસા વગર નામે આંબેલશાળામાં પહોંચાડી દઉં છું. મસ્ત રહું છું. સંતોષ અને આનંદથી ચિત્ત ભર્યું ભર્યું રહે છે. પગારના દિવસ સિવાય મારા ખિસ્સામાં ચાર આનાથી વધારે ભાગ્યે જ કોઈને જોવા મળે. શ્રીનવકાર મંત્રનો આ મહા પ્રતાપ છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનનો અગમ્ય અનુગ્રહ છે.” ધર્મ-ચિંતન ૪૧૩
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy