SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વ સાથે અભેદ અનુભવે છે. શ્રુતને જાણતો આત્મા ઉપાધ્યાય તત્ત્વ સાથે અભેદ અનુભવે છે. સહાય કરતો આત્મા સાધુ તત્ત્વ સાથે અભેદ અનુભવે છે. એ પાંચ પ્રકારના અભેદનું એકીકરણ તે ધર્મક્રિયા છે, તે આત્મામાં થાય છે. તેથી આપણું પરમ ધ્યેય મોક્ષ સિદ્ધ થાય છે. શ્રીઅરિહંત તે દેશક-પ્રેરક તત્ત્વ છે. આચાર્ય-આચાર, ઉપાધ્યાય-શ્રુતજ્ઞાન અને સાધુસહાય તે સાધન તત્ત્વ છે અને શ્રીસિદ્ધ-અવિનાશિતા તે સિદ્ધિ તત્ત્વ છે. એ રીતે આ બધાં તત્ત્વો પરસ્પર સંકળાયેલાં છે, તેથી એકત્ર મળીને મોક્ષનું કારણ બને છે. ‘વેમિવું ભારતીયંત્રમ્ ।' —આ દેહ સરસ્વતીનું યંત્ર છે. –શ્રીસિંહતિલકસૂરિષ્કૃત પરમેષ્ઠિ-મંત્ર-કલ્પ. આ દેહ ભારતી–સરસ્વતીયંત્ર છે, અર્થાત્ આ દેહની રચના શ્રીસિદ્ધચક્રાદિ યંત્ર જેવી છે. શ્રીસિદ્ધચક્ર દ્વારા જેમ શ્રીઅરિહંત પરમાત્માનું ધ્યાન કરાય છે, તેમ દેહરૂપ યંત્ર દ્વારા સરસ્વતીનું ધ્યાન કરી શકાય. દેહમાં સરસ્વતીનું ધ્યાન કરવાની અનેક રીતો છે. શ્રીસિંહતિલકસૂરિએ ‘પરમેષ્ઠિમંત્રકલ્પ'માં બે રીતો બતાવી છે. પ્રથમ રીત આધારાદિ ચક્રોમાં માતૃકા (બારાખડી—જે સરસ્વતી શ્રુતજ્ઞાનની વાચક છે)ના વર્ણોના ન્યાસની છે. બીજી રીત આધારાદિ ચક્રોમાં મૈં આદિ સરસ્વતી—બીજોના ધ્યાનની છે. પ્રથમ રીતે મુજબ થી ક્ષ સુધીના માતૃકાક્ષરોનો અનુક્રમે આધાર, સ્વાધિષ્ઠાન, મણિપૂર્ણ, અનાહત, વિશુદ્ધ અને આજ્ઞા ચક્રોના દળોમાં ધ્યાન કરવાનું હોય છે. બીજી રીતે મુજબ આધાર ચક્રની કર્ણિકામાં વાગ્તીવબીજ મૈં નું શ્વેત વર્ણમાં ધ્યાન કરવાનું છે. આધાર ચક્રમાં સૂર્યનાડી અને ચંદ્રનાડી એવી રીતે રહેલી છે કે જેથી તે બે નાડી વડે તેની રચના થાય છે. તેની ઉપર કલા (ૐ) છે, તે કુંડલિનીનું પ્રતીક છે. એ ૧. તે જૈન સાહિત્ય વિકાસ મંડળ, વિલેપારલે, મુંબઈ તરફથી નજીકના ભવિષ્યમાં પ્રગટ થનાર ‘નમસ્કાર સ્વાધ્યાય' નામના ગ્રંથના સંસ્કૃત વિભાગને આધારે આપેલું છે. એમ ગ્રંથમાં ચક્રોના વિષયમાં બીજી પણ ઘણી માહિતી છે. ‘નમસ્કાર સ્વાધ્યાય’ના પાકૃત વિભાગમાં વિષય નં. ૨૨ ‘ચવ્વિહઝાણથુત્ત'માં પણ ચક્રોનું વર્ણન છે. શ્રાવક નેમિદાસ કૃત ‘પરમેષ્ઠિમંત્રરાજદ્યાનમાળા’માં પણ ચક્રોનું વર્ણન છે. એના ઉપરશ્રીજ્ઞાનવિમલસૂરિનો સુંદર ટબો છે. આ સંપૂર્ણ ગ્રંથ ‘નમસ્કાર સ્વાધ્યાય’ના ત્રીજા ભાગમાં પ્રગટ થશે. ૩૭૨ • ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy