________________
આવશ્યકતા પૂરવાર કરે છે. તે સર્વને ટકવાની આધાર શીલા ધર્મ જ છે. ધર્મ જ તે સૌનો પ્રાણ છે ભલે પછી શબ્દથી ધર્મ સ્વીકારવામાં આવે કે ન આવે પણ તેના વિના ચાલવાનું જ નહીં.
ઉત્સર્ગ, અપવાદનો આશ્રય લઈને વિધિ, ભક્તિ, ભાવના અને યતનાપૂર્વક યથાશક્ય ચાલતી આ પ્રવૃત્તિઓનો કોઈ પણ બહાને, તેમાં થતા ખર્ચને ઓછા કરવાને બહાને, ધર્મ તરફની અણસમજથી, કોઈની ઉંધી દોરવણીથી કે એવા બીજા નિમિત્તોથી એકાંતે કરવા જેવી ઉપરની પ્રવૃત્તિઓનો—વિરોધ કરવો તે સકળ જીવહિતિવરોધનું કાર્ય છે. તે વિરોધમાં ભળવું તે અથવા તેના વડે ભોળવાવું તે શ્રીજિનાજ્ઞા વિરુદ્ધનું છે. આપણી બધી શક્તિઓનો સંબંધ શ્રીતીર્થંક૨ ૫૨માત્મા પ્રરૂપિત અનુષ્ઠાનો, પ્રતીકો અને તેના મૂળમાં વહી રહેલા સર્વ કલ્યાણના અચિંત્ય ઉપકારક મહાભાવ સાથે થવો જોઈએ, ટકવો જોઈએ તેમ જ વ્યાપક પણ બનવો જોઈએ.
સાચું સુખ
બધા દુઃખનું મૂળ પાપ પ્રત્યે પક્ષપાત અને પુણ્ય પ્રત્યે અણગમો છે. તેમ થવાનું કારણ, કાર્યકારણ ભાવનું અજ્ઞાન છે.
કારણને અનુરૂપ કાર્ય હોય છે. પાપ પરને દુ:ખ સ્વરૂપ છે. તેથી પાપ દુઃખમાં ફળે છે. પુણ્ય પરને સુખસ્વરૂપ છે. માટે તે સુખમાં ફળે છે. સાચું સુખ મોક્ષમાં છે. મંત્ર એટલે ગુપ્ત મંત્રણા
મંત્ર એટલે ગુહ્ય ભાષણ, ગુપ્ત વાતચીત. આત્માનું પરમાત્મા સાથે ગુહ્ય ભાષણ જે પદોથી થાય છે, તે પદોને મંત્ર-પદો કહે છે.
ગુહ્ય ભાષણ એટલે અન્ય કોઈની હાજરી વિના, જાહેરાત વિના સ્વ સાક્ષીએ આત્મા પરમાત્મા છે. સર્વે આત્મા તત્ત્વથી પરમાત્મા છે. સર્વે નીવાત્મનઃ તત્ત્વતઃ પરમાત્મનઃ વ અથવા તતયા પરમાત્મા વ નીવાત્મા આ જાતિનું પોતાના આત્મામાં જ પોતાના શુદ્ધ સ્વરૂપનું જે મનન તેને જ મંત્ર એવી સંજ્ઞા આપવામાં આવે છે. પુનઃ પુનઃ તે મંત્રણા, ગુહ્ય કથન, એ પોતાનો સંકોચ સ્વરૂપનો ત્યાગ કરાવી, નિઃસીમ સ્વરૂપનું ભાન કરાવે છે અને તે ભાન જેમ જેમ દૃઢ થતું જાય છે તેમ તેમ સંકલ્પ વિકલ્પોમાંથી મુક્તિ મેળવી નિર્વિકલ્પ અવસ્થાની પ્રાપ્તિ કરાવે છે. તેને નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિ અથવા સ્વશુદ્ધ સ્વરૂપની અનુભૂતિ પણ કહે છે. મંત્ર એટલે મંત્રણા. ગુપ્ત મંત્રણા.
ધર્મ-ચિંતન ૦ ૩૩૫