________________
કર્મોની નિર્જરા થાય છે, એ વાત ઉપર એક સજ્જને શંકા ઉઠાવી. એમને માટેનો જવાબ , આ રહ્યો :
જે જ્યારે બને છે, તે ત્યારે, આંખના પલકારામાં જ બને છે. વિજળીના દિવાની ચાંપ દબાવો ત્યારે નિમિષમાત્રમાં જ પ્રકાશનો પ્રાદુર્ભાવ થાય છે. એવી જ રીતે, શ્રીનમસ્કાર મહામંત્રના એક અક્ષરમાં પણ જેનું ચિત્ત લાગી ગયું, તેના અનંતા ભવોનાં કર્મોનો ક્ષય એક નિમિષમાત્રમાં જ થાય છે.
“સવાલ હવે રહ્યો એ લયલીનતાને સિદ્ધ કરવાનો. એમાં કેટલો સમય વીતે છે, એનો વિચાર કરતાં એમ જણાયા વિના નહિ રહે, કે, અનંતા ભવોમાં અનંત કાળથી ભટકાયા કરતા જીવને, એવી લયલીનતા પ્રગટાવવા માટે કદાચ બે, પાંચ કે પચીસ ભવ વીતે, વીતાવવા પડે તો તે કાળ પણ, વીતી ચૂકેલા અનંત કાળની અપેક્ષાએ નિમિષમાત્ર જ ગણાય.'
000
આત્મભાવ
આયુષ્ય જેટલું વધારે તેટલી તેની શુભ અસર વધારે!... પરભાવ આપણને બોલાવતો નથી. આપણે જ તેના તરફ ખેંચાઈએ છીએ. સદ્ભાવની વધઘટ ઉપર, જીવમાત્રના ઉત્થાન-પતનનો આધાર છે. ' સદ્ભાવ વધે એટલે સંસારના ઊંચામાં ઊંચા પદાર્થો પગમાં આળોટે. પરભાવ વધે એટલે પેટ ભરવા પૂરતું પણ ન મળે.'
ધર્મચક્રવર્તી શ્રી અરિહંત પરમાત્માના ગુણ રૂ૫ અષ્ટ મહાપ્રાતિહાર્ય એ ઉત્કૃષ્ટતમ સ્વભાવમયતાનું અનન્યતમ પ્રતીક છે.
આત્માની શક્તિ અમાપ, અચિંત્ય અને અનંત છે. કર્મોના કાચા માલમાંથી તે જે શરીરોની રચના કરે છે, તે તેનો જીવતો, જાગતો પુરાવો છે.
ગુલાબની એક પાંખડી કે મોરનું એક પીછું કોણ બનાવી શકે ? આત્માશક્તિનો તે પુરાવો છે.
ઘર છોડીને બહાર ભટકવું જેટલું દુઃખદાયી છે, તેથી વધુ કષ્ટદાયક આત્મભાવને છોડીને પરભાવમાં ભટકવું તે છે.
૩૩૦૦ ધર્મ-ચિંતન