________________
સ્વાર્થનાશ
સિંહ ઘાસ ન ખાય. અને જો ખાય, તો તે સિંહ ન કહેવાય. તેમ શ્રીઅરિહંત પરમાત્માનો દાસ, ઘાસથીય બદતર સ્વાર્થનો દાસ ન હોય.
‘પોતે શ્રીઅરિહંત પરમાત્માનો દાસ છે.” એ યથાર્થ ભાન સાથે જ સ્વાર્થરૂપી ઘાસમાં મોં ઘાલવાની વૃત્તિ તેના ચિત્તમાંથી અલોપ થઈ જાય.
સ્વાર્થના ઘાસને ભાવ આપવાથી, શ્રીઅરિહંતદેવની ભાવનાને ભાવ આપવાની શક્તિ ન પ્રગટે.
સ્વાર્થને અપાતો ભાવ, ભાવપરંપરામાં પરિણમે છે.
અરિહંતભાવને અપાતો ભાવ, સર્વજીવહિતવિષયક આત્મભાવના સુયોગ્ય વિકાસમાં પરિણમે છે.
આત્માના નિર્મળ ભવને જીવોના હિત સાથે સંબંધ છે. સ્વાર્થભવ આત્માના ભાવ આડી ઊંચી દિવાલ ઊભી કરે છે.
સ્વાર્થભાવ ઘટ્યો, ત્યારે કહેવાય જયારે “સ્વ” અને “સર્વ વચ્ચેનું ભાવ-અંતર ઘટે. - પરમાર્થભાવ વધ્યો ત્યારે કહેવાય જ્યારે “સ્વ'અને “સર્વ વચ્ચેનો ભાવ-સંબંધ વધે.
પોતા પ્રત્યેના રાગથી પ્રેરાઈને શ્રીવીતરાગની ભક્તિ કરનારો આત્મા, શ્રીવીતરાગની ભક્તિમાં ભાગ્યે જ સ્થિર બની શકે. કારણ કે રાગની આધીનતા નીચે રહેલો તે જીવ, શી રીતે શ્રીવીતરાગને પોતાનું હૃદય આપી શકે ?
સાત્ત્વિક ભક્તિમાંથી સાત્ત્વિક શક્તિ પ્રગટે. સાત્ત્વિક શક્તિમાંથી સાત્ત્વિક સર્જન થાય. સાત્ત્વિક સર્જનમાંથી “પ્રવચન પ્રભાવકતા' પ્રગટે.
પ્રવચન પ્રભાવના, જીવોને શ્રીજિનેશ્વરદેવના સ્મરણ-ચિંતન અને ધ્યાનનો અણમોલ અવસર બક્ષે.
આપણી સમગ્રતામાં આપણા સ્વાર્થનો નહિ, પરંતુ જયવીયરાય' પદનો મહાનાદ ગૂંજવો જોઈએ.
ધર્મ-ચિંતન ૨૨૫