SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ કાયરતા છોડીએ - કર્મ નચાવે તેમ નાચવું” એ વાત ધર્મના શરણાગતની જીવાનને લજવે છે, મનને લજવે છે, ભવ્ય કુલપરંપરા અને સંસ્કારને લજવે છે. મદારી ભલે માંકડાને નચાવી જાણતો હોય, સો અવતારે પણ તે વનરાજને નચાવવાની લાયકાત ન કેળવી શકે. કર્મના નચાવ્યા નાચે તે કાયર. પાંગળો પર્વત ઓળંગી શકે. પણ કાયર કદીયે સ્વાર્થરૂપી પોતાના ઉંબરાથી એક ડગલું પણ આગળ ન વધી શકે. પવનના અભાવે ધગધગતા અંગારા ઉપર રાખ વળી જાય છે, તેમ શુભભાવ અને સમ્પ્રવૃત્તિના અભાવે જીવનમાં જડતા અને મોહ વધી જાય છે. વધતી જતી તે જડતા ચેતનામય સુસંસ્કારો તેમ જ સંવેદનોને ઝીલવામાં નિષ્ફળ જાય છે. તે નિષ્ફળતા માનવના અત્યંત કિમતી ભવને નિરર્થક બનાવે છે. પદાર્થોના પુંજમાં પોતાને જોવો, પોતાના સુખને જોવું તે પણ એક પ્રકારની જડતા-નિર્માલ્યતા છે. આ પ્રકારની જડતા આગળ વધીને જીવના કટ્ટર દ્વેષમાં પરિણમે છે. શ્રીજિનેશ્વરદેવની આજ્ઞાની પવિત્ર વાત સાંભળીને ભડકી ઉઠે છે. જાણે કે મોટરનું હોર્ન , સાંભળીને ભડકતી ભેંસ. ભેંસને ભલે કાદવનો ખોળો ખૂંદવો ગમતો હોય, આપણા મનોરથ દેવાધિદેવની પરમતારક આજ્ઞાના ખોળે રમવાના જ હોવા જોઈએ. પોતે કાયર છે, નમાલો છે, સ્વાર્થી છે,’ એવાં-એવાં અનેક વિશેષણો કોઈ પોતાના માટે વાપરે તેનો પ્રત્યાઘાત પણ જેને જાગૃત ન બનાવી શકે તેને અત્યંત દુ:ખદાયી ભવસ્થિતિ કઈ રીતે સ્પર્શશે ? એ સ્થિતિના સ્પર્શ સિવાય આત્મામાં સ્થિર બનવાનું તેમ જ પરમાત્માના શરણે જવાનું સત્ત્વ ભાગ્યે જ પ્રગટે છે. કાયર ન પોતાનું રક્ષણ કરી શકે, ન પોતાના આશ્રિતોનું. કાયરતાની વૃદ્ધિ, જગતમાં જુલ્મગારોને વધારનારી સાબિત થઈ છે. ધર્મ-ચિંતન : ૨૦૭
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy