SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ કરી શકતો. મારા એકલાનો વિચાર કરતાં મને થાક લાગે છે. બધા મારા વિચારમાં આવે છે ત્યારે મને ખૂબ જ આનંદ થાય છે. એકલાનો વિચાર એટલે સ્વાર્થી વિચાર. સ્વાર્થનું બળ પાપમાં પ્રેરે. પાપ વધે એટલે સુખ ઘટે, શાન્તિ ઘટે, સદ્ભાવ ઘટે. પાપ કરવાની યોગ્યતા ત્યારે જ ઘટે છે જ્યારે આપણા મનમાં ત્રિભુવન વસે છે. ત્રિભુવનના સઘળા જીવો સાથે મારે સગપણ છે, એવી સમજ પાકે એટલે જે વિચાર આપણા મનમાં જાગે તે વિચારમાં સત્ત્વ અધિક હોય. નિર્માલ્યતા નહિવતું. આત્માને આત્માની મૈત્રી ન ગમે એવું કદી ન બને. આત્માની સોબતમાં રહેવાનો અભ્યાસ ન કેળવીએ ત્યાં સુધી આત્મભાવની અલૌકિક અસરનો મહિમા ન સમજાય તે બનવાજોગ છે. સ્વાર્થની સોબત છૂટે છે એટલે આત્મભાવની સોબતનો મંગલ પ્રારંભ થાય છે. સ્વાર્થની સોબતમાં રહીએ ત્યાં સુધી “સ્વ” જેટલો મોટો “પર” ન લાગે, બલ્ક નાનો” જ લાગે. આત્માની સોબત વધે, એટલે “સ્વ” જેટલો “પર” પણ પ્યારો લાગે. આમ થાય એટલે રાગ-દ્વેષ ઘટે, વેર-ઝેર ઘટે, નિંદા-સ્તુતિ ઘટે. અંદર બહારનું વાતાવરણ વધુ ચોખ્ખું થાય. શ્રીનવકારના ધ્વનિની લહરીઓની અસર વધુ ઊંડે સુધી ફેલાય અને જગતના જીવોને ઊંચા સંવેગરંગી જીવનની લગન લાગે. . શ્રીનવકારને ધારણ કરનારા મજબૂત મનવાળો મહાપુણ્યશાળી આત્મા, “પહેલાં પોતાનો વિચાર કરે અને પછી બીજાનો.” એ ન માની શકાય તેવી હકીકત છે.. નમસ્કારભાવવાસિત હૈયામાં જે ભાવ જાગે, તે જગતના બધા જીવો સુખપૂર્વક પહેરી શકે તેવો જ હોય–હોવો જોઈએ. શ્રીનવકારનો સગો ત્રિભુવનનો સગો હોય. એ પવિત્ર સગપણને ડાઘ લગાડનારા સ્વાર્થને તે સ્વપ્નમાંય ન સંભારે. બનતાં સુધી તેને એટલી ફુરસદ જ ન મળે. મહાપુણ્ય મળેલા સમય અને શક્તિનો અંગત સ્વાર્થ ખાતર ઉડાઉ રીતે ઉપયોગ કરવો તે શ્રીજિનેશ્વરભગવાનની આજ્ઞાની વિરાધના છે. ૧૮૨ ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy