SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ આરાધકની સમગ્રતા જેમ જેમ રંગાતી જાય છે, તેમ-તેમ તેનામાં રહેલું ભવ-દાસત્વ દૂર ભાગતું જાય છે અને સાચી શક્તિ ઝગારા મારતી અનુભવાય છે. દાસને સંબંધ આજ્ઞાના પાલન સાથે હોય, તેમાં તર્ક કરવો તે તેનો ધર્મ ન ગણાય. તેમ છતાં દુર્બુદ્ધિથી દોરવાઈને જો તે આજ્ઞાના વિષયમાં તર્ક કરવા પ્રેરાય તો તેનો દાસધર્મ નમસ્કારધર્મ ઝાંખો પડે. - શ્રીનવકારના વિધિ-નિષ્ઠાપૂર્વકના જાપ દ્વારા પોતાની સમગ્રતાને શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોની સર્વોચ્ચ અસર નીચે આણવાની સાધનામાં તત્પર પુણ્યાત્મા દેવાધિદેવની આજ્ઞાના વિષયમાં તર્ક કરવાની સ્કૂલ ભૂમિકાથી દિનપ્રતિદિન પર બનતો જાય છે. પોતાના પરમતારકની આજ્ઞાના પાલનમાં તર્ક જાગવો એ કાચી શ્રદ્ધાની નિશાની છે. અગ્નિ જે રીતે માટીના ભાજનને પકવે છે, તે રીતે શ્રીનવકારનો જાપ દેવાધિદેવની આજ્ઞાને સમર્પિત થવાની શ્રદ્ધાને પકવે છે. આજ્ઞાના શરણાગતને “મારું શું થશે ?' એટલો પણ સંદેહ ન જ રહેવો જોઈએ. આજ્ઞા એ દેવાધિદેવના પરમસુખદાયી અંકતુલ્ય છે, ત્યાં બેઠા પછી પણ ભવવિષયક આળપંપાળને પંપાળવાની વૃત્તિ થવી એ વડની છાયા નીચે બેસીને છત્રી : ખોલવા જેવી કુચેષ્ટા છે. આજ્ઞા સાથેનું સંનિષ્ઠાપૂર્વકનું જોડાણ, ભવના અંતમાં પરિણમે છે. આજ્ઞાપાલનમાં રસ તેમ જ એકાગ્રતા વધારવા માટે આજ્ઞાકાર ભગવંતની ઉત્કટ તારક ભાવના સાથે આજ્ઞાપાલકે પોતાનું જોડાણ કરવું જોઈએ. આજ્ઞામાં આજ્ઞાકાર ભગવંતનાં દર્શન કરવાની પાત્રતા, આજ્ઞા સાથે હાર્દિક સંબંધ થવાથી વિકસે છે. પ્રભુજી જીવમાત્રના ઉપકારી હોવાથી તેઓશ્રીની આજ્ઞાના પાલન દ્વારા જીવમાત્ર સાથે સાચો ધર્મસંબંધ બંધાય છે. ધર્મનો સંબંધ કેટલો મૂલ્યવાન છે તેનું યથાર્થ રહસ્ય પ્રભુ આજ્ઞા મુજબના આચાર દ્વારા હૃદયગત થાય છે. દેવાધિદેવની પરમતારક આજ્ઞાનો સંબંધી, ધર્મનો સંબંધી બનીને જગતના જીવમાત્રનો સાચો સંબંધી બની રહે છે. આજ્ઞા સાથેનો સંબંધ, પાપના બંધનથી છોડાવે છે. ૧૭૨' ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy