SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ મહાસત્તાની સન્મુખ થવું આવી યોગ્યતા સાધકમાં શી રીતે કેળવાય ? આવી યોગ્યતા કેળવવા માટેનું અતિ અગત્યનું અંગ શ્રદ્ધા છે. શ્રીજિનેશ્વર ભગવંતની મહાકરુણામાં આપણને સંપૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ. જેવી બાળકને પોતાની માતા ઉપર હોય છે. તેવી. આધ્યાત્મિક સાધના સ્વત્વના ઉર્દીકરણ માટેની પ્રક્રિયા (Prown) છે. સમ્યક્ શ્રદ્ધા આ પ્રક્રિયા માટેની વિદ્યુત્ છે. આ મહાકરુણા ભાવના પ્રત્યેક જીવની માતા છે. આપણી પણ માતા છે. પરમ કરુણા આપણને સહાય કરવા તત્પર છે. આ પ્રકારની શ્રદ્ધા આપણે જગાડવી પડશે. પરમ ઉપકારી પંચપરમેષ્ઠિઓના સહાયકપણાને આપણે સ્વીકારવું પડશે. સૂર્ય પોતાનો પ્રકાશ આપણને આપવા તત્પર છે. આપણે સૂર્યની સન્મુખ આવવું જોઈએ. ધર્મમહાસત્તા આપણને સહાય કરવા સદા સર્વદા તત્પર છે. પણ આપણે ધર્મમહાસત્તાથી વિમુખ છીએ, તે સન્મુખ થવું જોઈએ. જો આપણે મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થના બારીબારણા બંધ કરી દઈએ, સ્વાર્થી બની જઈએ, અજ્ઞાનના ઊંડા ભોંયરામાં ઉતરી જઈએ, તો શ્રીજિનેશ્વર ભગવંતોની મહાકરુણાનો સૂર્ય કઈ રીતે આપણને પ્રકાશ આપે ? આપણે સૂર્યની સામે આવવું જોઈએ. આપણે ધર્મમહાસત્તાની સન્મુખ થવું જોઈએ.. આપણે શ્રીજિનેશ્વરદેવોના શરણે જવું જોઈએ. કૃતઘ્નતાનું મહાપાપ આપણે કહીએ કે અમને ભગવાનમાં શ્રદ્ધા છે, ગુરુઓમાં શ્રદ્ધા છે, ધર્મમાં શ્રદ્ધા છે, પરંતુ હૃદયમાં ઉંડે–ઉંડે એવું લાગે કે “જિનેશ્વર શું કરી શકે ? સદ્ગુરુ શું કરી શકે ? કોઈ કોઈનું કંઈ કરી શકે નહિ.” જે પરમ પુરુષોએ અચિંત્ય ઉપકારો આપણા ઉપર કર્યા છે. તેમના એ ઉપકારોને લીધે આજે આપણે આ સ્થાન પામ્યા છીએ. આ ઉપકારો સ્વીકારવાને બદલે “કોઈ કોઈનું કંઈ કરી શકે નહિ,” એ ભાવને હૈયામાં ધારણ કરવો એ ભારે કૃતઘ્નતા છે. ધર્મ આરાધનામાં પ્રવેશ કરવા ઇચ્છનારાઓ માટે એકાંત નિશ્ચયનું આ સત્ય ધર્મ-ચિંતન ૦ ૮૫
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy