SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ સમત્વભાવ મમતા અને સમતા વીજળીનો દીવો જો ફ્યુઝ (Fuse) ઉડી જાય તો પ્રગટતો નથી, ગ્લોબ બરાબર છે, વાયર બરાબર છે, વીજળીની શક્તિ બરાબર છે, માત્ર એક તાંબાના તારના અભાવે અંધારું દૂર થતું નથી. તેવી રીતે સમતા વિના અધ્યાત્મનો પ્રકાશ નહિ પ્રગટે. સામાયિકધર્મની સાધના એ સમત્વભાવ જીવનમાં પ્રગટાવવાની પ્રક્રિયા છે. આ સાધનામાં સમતા સાધન છે અને સાધ્ય પણ સમતા છે. જેવું પોતાને સુખ વહાલું લે, તેવું સર્વ જીવોને સુખ વહાલું છે. સર્વ જીવોનું જીવત્વ શુદ્ધ આત્મસ્વરૂપની અપેક્ષાએ તુલ્ય છે. પદાર્થોમાં પ્રિય અપ્રિયપણાનો વ્યવહાર પણ આપણી કલ્પના માત્ર છે. નિશ્ચયનયથી જોતાં કોઈ પણ પદાર્થ સર્વથા અનિષ્ટ પણ હોતો નથી, પરંતુ પોતાના પ્રયોજનને લીધે જ જીવને પદાર્થો ઇષ્ટ અને અનિષ્ટ લાગે છે. આ પ્રમાણે સુયોગ્ય રીતે વિચાર કરીને પદાર્થો પરના પ્રિયપણા અને અપ્રિયપણાના સંકલ્પનો ત્યાગ કરી જે નિશ્ચળ પરિણામ રાખવા તેને જ સમતા–સર્વત્ર તુલ્યતા પરમ ઉપકારી શ્રીજિનેશ્વર ભગવંતોએ કહી છે. એકાંતે પદાર્થો પ્રિય નથી તેમ જ અપ્રિય પણ નથી. માત્ર પોતાનો સંકલ્પ જ ઇષ્ટ કે અનિષ્ટરૂપ થાય છે, તેથી જેમને આધ્યાત્મિક સાધના કરવી છે તેવા મુમુક્ષુએ તેવા સંકલ્પો તજી સર્વત્ર સમતા રાખવી કારણ કે— મોક્ષમાર્ગના સાધકનું સાધ્ય સમતા છે, તેમ જ સાધન પણ સમતા છે. સાધનાની કસોટી સમતા એ આત્માની અવિચલ શાંતિનો મુખ્ય આધાર છે. સંસારના સર્વ સંઘર્ષો, આઘાત-પ્રત્યાઘાતો તથા સમસ્ત ક્રિયાઓમાં પણ અંદરની શાંતિને જાળવી રાખવા માટે સમતા એ અમૂલ્ય સાધન છે. સામાયિકધર્મનો સાધક સમતાના સેવનપૂર્વક આત્માના વાસ્તવિક સમત્વને પામે છે. સામાયિકધર્મની સાધનાની કસોટી સમતા છે. જીવોમાં જે કંઈ વૈષમ્ય દેખાય છે, તે કર્મોને લીધે છે. પદાર્થોમાં જે ઇષ્ટપણું અને અનિષ્ટપણું લાગે છે, તે પોતાની કલ્પનાને કારણે છે. સમતાના સાધન દ્વારા સાધક રાગદ્વેષથી બચવાનો પ્રયત્ન કરે છે. ૪૦૨ ૦ ધર્મ અનુપ્રેક્ષા
SR No.005782
Book TitleDharm Anupreksha
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy