________________
શ્રીજિનાજ્ઞાનું સ્વરૂપ પ.પૂ. મુનિરાજ શ્રી કલ્યાણપ્રભવિજયજી મહારાજ सुनिउण-मणाइणिहणं भूयहियं-भूयभावण मणग्धं । अमिय-मजियं-महत्थं-महाणुभावं महाविसयं ॥
ધ્યાનશતક ગાથા-૪૫ અનંત ઉપકારી શ્રીજિનેશ્વર ભગવંતોની આજ્ઞાનું અચિંત્ય સ્વરૂપ અને અમાપ ગાંભીર્ય ઉપરની ગાથાના દશ વિશેષણોમાં રહેલું છે.
(૧) સુનિધન એટલે સુનિપુણઃ સૂક્ષ્મબુદ્ધિગમ્ય, સૂક્ષ્મ જીવાદિતત્ત્વો અને ધર્માસ્તિકાયાદિ ષડૂ દ્રવ્યોના પ્રતિપાદનવાળી, આપ્તપુરુષોના વચનરૂપ શ્રુતજ્ઞાનથી જ સમજી શકાય તેવી.
(૨) મUTIળહળે એટલે અનાદિનિધન, ત્રિકાલાબાધ્ય, અનુત્પન્નસ્થિરેકસ્વભાવવાળી, શાશ્વતી.
(૩) મૂહર્ષ એટલે સર્વનું હિત કરનારી. મૂડધ એટલે જળસ્થળમાં રક્ષક પ્રભાવશાળી. પૂ+ધિવા એટલે પૃથ્વીમાં અમૃત જેવી (દધિ કે તકને ભૂલોકનું અમૃત કહ્યું છે.)
(૪) પૂજ્યભાવળ એટલે ભૂતભાવન-સત્યને જણાવનારી-ચાદી, ક્રૂર જીવો પણ જિનાજ્ઞાથી ભાવિત મતિવાળા બનીને સુખ આપનારા થાય તેવી, ભૂતકાળને પણ જણાવનારી. મૂત+માવ+ અર્થાત્ તે કેવળ ભૂતકાલીન નથી, ત્રિકાળવર્તી હોવાથી સદાજીવંત છે.
(૫) મધું એટલે અનર્થ-અમૂલ્ય-ઋણમ્બ. ઋણ એટલે કર્મ, તેને હણનારી. અન્યના ત્રણ-ઉપકારરૂપ દેવામાંથી મુક્ત કરાવનારી. મહષ્ય પણ પાઠાંતર હોવાથી મહામૂલ્યવંતી પણ કહી શકાય.
(૬) મા એટલે અમૃત જેવી મીઠી. અમિતા, અપરિમિત અર્થને જણાવનારી, અમૃતા એટલે નિત્યજીવંત.
(૭) નિયં એટલે અજિતા-અજેય. ઇતરદર્શનોથી અપરાભૂત. અર્થાત્ સર્વદર્શનોને પોતામાં સમાવનારી.
(૮) મહહ્યું એટલે મહાર્યા. પૂર્વાપરવિરોધરહિત. મહસ્થા એટલે મહાસમ્યગ્દષ્ટિ
૩૬૨• ધર્મ અનપેક્ષા