________________
ચિંતક
પ્રશ્ન :- બાર નવકાર શા માટે ?
ઉત્તર ઃ- બાર જ નવકાર ગણવા એવો એકાંત નથી. ૧૦૮ ગણાય તો શ્રેષ્ઠ છે, કારણ કે પરમેષ્ઠિઓના ગુણો (૧૨+૮+૩૬+૨૫+૨૭) ૧૦૮ છે. એટલા ગણવાની અનુકૂળતા ન હોય તો ૧૨ નવકાર ગણવાથી ૧૦૮ પદોની સંખ્યા વડે પંચપરમેષ્ઠિના ૧૦૮ ગુણોની આરાધના થાય છે. ૧૦૮માં ૧+૮=નો આંક અભંગ છે, એ રીતે પણ ૧૦૮ની સંખ્યાનું મહત્ત્વ છે. નવકારવાળીમાં મણકા પણ ૧૦૮ હોય છે, એમ ૧૦૮ની સંખ્યાને ઉદ્દેશીને જેઓ ૧૦૮ ન ગણી શકે તેઓ બાર ગણે તો પણ ૧૦૮ પદો ગણાય એ પણ ઉદ્દેશ છે. શાસ્ત્રમાં નવકાર ગણવાનું વિધાન તો ઠેર ઠેર છે જ. નંદિની ક્રિયા પ્રસંગે ચારે દિશામાં ત્રણ નવકાર ગણવાનું વિધાન પણ બારની સંખ્યા બતાવે છે. વળી ૩-૯-૧૨ આદિ સંખ્યા મંગળભૂત છે. કારણ કે ત્રણથી દેવાદિ ત્રણ તત્ત્વરૂપે અગર જ્ઞાનાદિ ત્રણ ગુણરૂપે, નવથી નવપદજીના નવપદ રૂપે, બારથી અરિહંતના બાર ગુણ રૂપે—અરિહંતનું સ્મરણ થાય છે. કોઈ પણ આરાધનાની પાછળ શાસ્ર અબાધિત હિતકર અપેક્ષા લક્ષ્યમાં લઈને આરાધના કરવી એ શાસ્ત્રોક્ત છે. દેશ, કાળ, પુરુષ અને પર્ષદાને અનુરૂપ ધર્મવૃદ્ધિ થાય, તે રીતે કોઈ પણ વિષયનું કથન કરવાની છૂટ છે. વ્યાખ્યાનને અંતે કેટલાક ‘૩પસર્ગા: ક્ષયં યાન્તિ' કહે છે, કેટલાક સર્વમંગલ સૌને સાથે બોલાવે છે, તેમ અધિક મંગલ માટે અથવા વ્યાખ્યાનમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિવર્ધક ઉપદેશ સંભળાવ્યો, તેની સ્થિરતા માટે સામૂહિક બાર નવકારનો જાપ થાય, તો તેમાં વ્યાખ્યાનની વિહિત વિધિમાં કોઈ ભંગ થતો નથી. વળી તે પ્રમાણે બધા સાધુઓએ કરવું જ એવું વિધાન પણ કરાતું નથી. શ્રોતાની યોગ્યતાનો ખ્યાલ રાખી સૌ સૌની અભિરુચિ અને ક્ષયોપશમ પ્રમાણે સૌ ઉપદેશ આપે છે, કોઈ દાન ઉપર, કોઈ શીલ ઉપર, કોઈ તપ ઉ૫૨, કોઈ ભક્તિ ઉ૫૨, એમ ઉપદેશ આપ્યા પછી તેની સ્થિરતા માટે નવકાર ગણવાથી વધુ શાંતિ, વધુ સ્થિરતા, વધુ ભાવિતતા પ્રાપ્ત થાય છે અને તે ઘણાને અનુભવ સિદ્ધ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે,
‘પંચનમુર હતુ, સુમરિષ્ના સવાલંપિ ।'
આ વિધાનનું પણ આંશિક પાલન થાય છે. સમૂહ સાથે જે વખતે વ્યાખ્યાન સાંભળીને સર્વનાં ચિત્ત શુદ્ધ થયાં છે, તે વખતે નવકાર ગણવાના પરિણામે ભક્તિ અને વીર્યોલ્લાસ વધવા સાથે ઘણો લાભ થવાની શકયતા છે. પૂ. ઉપાધ્યાયજીમહારાજ કહે છે કે—
૩૬૦ • ધર્મ અનુપ્રેક્ષા