________________
પ્રવૃત્તિ શુભ અને સારભૂત ઉપાયોથી (ચૈત્યવંદનાદિની અપેક્ષાએ સારાં સ્તવનો સ્તુતિઓ વગેરેથી) યુક્ત જોઈએ, મનમાં અપ્રમાદ ભાવથી ઉત્પન્ન થયેલ અધિકૃત ધર્મસ્થાનને વિષે સુંદર પ્રયત્ન હોવો જોઈએ. સાથે સાથે મન, ઉત્સુકતા-ત્વરા વગેરે દોષોથી રહિત હોવું જોઈએ આ પ્રવૃત્તિ નામનો આશય કથંચિત્ ક્રિયારૂપ પણ છે. તેથી પ્રસ્તુત ક્રિયા પણ શ્રેષ્ઠ ઉપાયોથી સહિત પ્રયત્નના અતિશયવાળી અને ત્વરાદિ દોષો વિનાની જોઈએ. ચૈત્યવંદનાદિની અપેક્ષાએ સ્થાનાદિ યોગોનું પાલન તે પ્રવૃત્તિ છે.
સારાંશ એ છે કે ચિત્તને ઇતર વસ્તુઓમાંથી નિવૃત્ત કરીને એક (ચૈત્યવંદનાદિ) વિષયમાં સ્થાપવું અને તે વિષયમાંથી તેને બહાર ન જવા દેવું તે પ્રણિધાન છે અને તે વિષયમાં ચિત્તને આગળ-આગળ સિદ્ધિ સુધી વધારવું તે પ્રવૃત્તિ છે.
એ રીતે સાધનામાં ચિત્તની પ્રવૃત્તિ થતી હોય ત્યારે તેમાં વિઘ્નો આવવાની પણ સંભાવના છે. વિપ્ન ત્રણ પ્રકારના છે. હીન, મધ્યમ અને ઉત્કૃષ્ટ. મનમાં થતી ભ્રાંતિ, સંદેહ, ચંચળતા વગેરે ઉત્કૃષ્ટ વિનો છે, શરીરમાંના રોગો તે મધ્યમ વિપ્નો છે અને બહારથી આવતા શીતોષ્ણાદિ પરીષહો તે હીન વિહ્નો છે. એ બધા ઉપર પ્રતિપક્ષી ભાવનાદિ ઉપાયો દ્વારા વિજય તે વિનય સમજવો તિતિક્ષા ભાવ વડે હીન, હિતાહાર-મિતાહારાદિ વડે મધ્યમ અને સમ્યજ્ઞાન અને ગુરુભક્તિ વડે ઉત્કૃષ્ટ વિઘ્નો જીતાય છે. તાત્પર્ય કે પ્રવૃત્તિમાં વિનો આવે તો પણ તેમને પ્રતિપક્ષી ભાવનાઓ વડે જીતીને પ્રવૃતિમાં સ્થિરતાપૂર્વક વિકાસ કરવો તે વિધ્વજય છે. તેનાથી પ્રવૃત્તિ પરિપૂર્ણ બને છે–
અહીં વિધ્વજય પણ આશય-ભાવરૂપ છે. તે ન ભૂલવુ. સિદ્ધિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પ્રણિધાન, પ્રવૃત્તિ અને વિજ્ઞજયની વિદ્યમાનતા હોય છે.
અહિંસા-ચૈત્યવંદનાદિમાં વિષ્ણજય પછી થતી એકાગ્રતાપૂર્વકની પ્રવૃત્તિની પરિપૂર્ણતા તે સિદ્ધિ છે. સિદ્ધિ એટલે વિશિષ્ટ ધર્મસ્થાનની પ્રાપ્તિ. અહિંસાદિ પ્રસ્તુત ધર્મસ્થાનમાં નિષ્ણાતતા તે સિદ્ધિ છે. આરંભેલ ધર્મસ્થાનનું ઉત્કૃષ્ટ રીતે સંપાદન તે પણ સિદ્ધિ છે. આવી સિદ્ધિ વખતે પણ પૂર્વે કહેલ કરુણા, પ્રમોદ વગેરે ગુણો તો હોવા જ જોઈએ. તે વિનાની સિદ્ધિ તાત્ત્વિક નથી. અહીં એ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ સિદ્ધિ તે પૂર્વોક્ત આશય–ભાવનો ચોથો ભેદ છે.
સિદ્ધિ પછી થતું કાર્ય તે વિનિયોગ નામનો આશયનો પાંચમો પ્રકાર છે. અહિંસાદિ ધર્મસ્થાનની સિદ્ધિ થયા પછી સ્વ અને પરના ઉપકાર માટે અવિચ્છિન્ન રીતે તે જ અહિંસાદિ ધર્મસ્થાનનું પોતે પરિપાલન કરવું અને બીજાઓને તેમાં જોડવા તે વિનિયોગ છે. બીજા શબ્દોમાં કહીએ તો પોતાને અહિંસાદિની જેવી સિદ્ધિ થઈ છે, તેવી જ અન્યને કરાવવી તે વિનિયોગ છે. સ્વના સામીપ્યમાં આવતાં જ પોતે આરાધેલ
૩૨૨• ધર્મ અનુપ્રેક્ષા