________________
દર્શનોમાં પણ ત્રૈલોકચવિજય, ઘંટર્નલ, સ્વાધિષ્ઠાન વગેરે ચક્રો પ્રસિદ્ધ છે. તેમનું પણ બીજ છે.
મંત્રાધિરાજ અર્જુને શ્રીસિદ્ધચક્રના બીજ તરીકે ઓળખવું એ પ્રથમ તાત્પર્યનું જ્ઞાન થયું કહેવાય. એ મંત્રાધિરાજનું બીજું તાત્પર્ય એ છે કે એ મંત્રાધિરાજ સમસ્ત દ્વાદશાંગ આગમનું ઉપનિષદ્-રહસ્ય' છે. બીજા શબ્દોમાં કહીએ તો દ્વાદશાંગી તે અર્જુનો જ વિસ્તાર છે. દ્વાદશાંગીનું એવું એક પણ પદ નથી કે જેમાં આ મંત્રાધિરાજ વ્યાપીને ન રહેલો હોય. વધુ સૂક્ષ્મ દૃષ્ટિએ વિચારતાં એમ લાગે છે કે સમસ્ત દ્વાદશાંગીનું પ્રયોજન અર્હ રૂપ દિવ્ય આત્મસ્વરૂપનું જીવને ભાન કરાવવું, તે છે.
(૪) ક્ષેમ :- અને (૫) યોગ :- આરાધકને જ્યારે દૃઢ વિશ્વાસ થાય છે કે આ મંત્રાધિરાજ અર્હ તેના ક્ષેમ અને યોગને વહન કરવામાં સર્વ સમર્થ છે, ત્યારે તેની આરાધ્ય પ્રત્યેની ભક્તિ વિકસ્વર બને છે. અહીં પ્રાપ્ત થયેલી સદ્ વસ્તુઓનું રક્ષણ તે ક્ષેમ સમજવું અને અપ્રાપ્ત એવી સટ્વસ્તુઓની પ્રાપ્તિ કરાવવી તે યોગ સમજવો. શ્રીઅરિહંત પરમાત્મા સકલ ભવ્યોના યોગ અને ક્ષેમને વહન કરવામાં સર્વ સમર્થ છે, એ મુમુક્ષુએ કદી પણ વિસરવું જોઈએ નહીં, આવા ભાવને પુનઃ પુનઃ ભાવવો જોઈએ. એથી ચિત્તની પ્રસન્નતા વધે છે.
આપણા સર્વ વિઘ્નોને મંત્રાધિરાજ નષ્ટ કરે છે, એ એની ક્ષેમવહનતા છે. વિઘ્નોનો આ મંત્રાધિરાજ એવી રીતે મૂળથી નાશ કરે છે કે જેથી તેઓ પુનઃ ઉત્પન્ન જ ન થાય. જેમ મદોન્મત્ત હાથી મદની પરવશતાથી મોટાં મોટાં વૃક્ષોને મૂળથી ઉખેડી નાખે છે, તેમ ભક્તિને પરવશ બનેલો આ મંત્રાધિરાજ સર્વ વિઘ્નોને પ્રણષ્ટ કરવામાં અત્યંત સમર્થ છે.
દષ્ટ એવાં રાજ્ય વગેરે ફળો અને અદૃષ્ટ એવાં મોક્ષ અને સ્વર્ગરૂપ ફળોનું સંપાદન કરવામાં આ મંત્રાધિરાજ કલ્પવૃક્ષતુલ્ય છે. કલ્પવૃક્ષ તો ચિંતિત ફળને જ આપી શકે, જ્યારે આ મંત્રાધિરાજ સંકલ્પાતીત ફળને પણ આપે છે. બીજા મંત્રો તો અનુક્રમે ફળ આપે, જ્યારે આ મંત્રાધિરાજ તો એકી સાથે અનેક સંકલ્પોને સંપૂર્ણ કરી શકે છે.
(૬) પ્રણિધાન :- પ્રણિધાન એટલે ધ્યાન. ખાસ કરીને કોઈ પણ શાસ્ત્રના અધ્યયન કે અધ્યાપનની શરૂઆત કરતાં આ મંત્રાધિરાજનું પ્રણિધાન કરવું જોઈએ, જ્યાં સુધી તે અધ્યયન કે અધ્યાપન ચાલુ રહે ત્યાં સુધી તેનું પ્રણિધાન ચાલુ જોઈએ અને પૂર્ણાહુતિ પછી પણ તે કરવું જોઈએ. અધ્યયનાદિ સિવાયના કાળમાં પણ એ પ્રણિધાન જવું ન જોઈએ.
૧. ‘અત્તિ આ સા’ એ પંચાક્ષરી મંત્રને અને ‘અરિહંત સિદ્ધ આરિય-વન્નાય સાદુ' એ ષોડષાક્ષરી મંત્રને પણ દ્વાદશાંગીનું રહસ્ય કહેવાય છે.
૩૧૦ ૦ ધર્મ અનુપ્રેક્ષા