________________
નિયમના આસેવન દ્વારા પાર પાડવાનું છે.
ટુંકમાં, આપણી સાધનાનું ચિત્ત આ રીતે રજૂ કરી શકાયું : • ૧. મોક્ષ કર્મક્ષયથી,
૨. કર્મક્ષય માટે આત્મજ્ઞાન આવશ્યક છે. ૩. આત્મજ્ઞાન ધ્યાન સાધ્ય છે. ૪. ધ્યાન માટે પ્રથમ ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત થવી જોઈએ. ૫. એકાગ્રતા માટે ચિત્તની નિર્મળતા અને શરીરશુદ્ધિ આવશ્યક છે. ૬. ચિત્ત નિર્મળ બને મૈત્યાદિભાવોની સાધનાથી,
૭. મૈત્યાદિભાવને જીવનમાં ઉતારવા અને સ્થિર કરવા માટે જીવનવ્યવહાર વ્રત, નિયમ, ત્યાગ, વૈરાગ્ય અને સંયમથી નિયંત્રિત હોવો જોઈએ અને–
૮. શરીરશુદ્ધિ આદિ માટે તપની સાધના જોઈએ.
આ છે આત્મા અને કર્મને જુદા પાડી આપનાર આપણી આધ્યાત્મિક process - સાધના પ્રક્રિયા. ઉપરોક્ત બધા અંગો steps - ભેગાં મળે ત્યારે એ પ્રક્રિયા પૂર્ણ બને, અને તો...અનાદિથી એકરૂપ થઈને રહેલ આત્મા અને કર્મ જુદાં પાડી શકાય, જેમ એકરૂપ–પાણીરૂપ–થઈ ગયેલ Hydroxen અને Oxyzen હાઇડ્રોજન અને ઓકસીજન વાયુઓને વૈજ્ઞાનિકો છૂટા પાડી શકે છે.
પાણીનું વિભાજન કરવા પાણીને પ્રથમ તેજાબવાળું કરી પછી એમાંથી વિદ્ધતું electricity . પસાર કરવાથી પાણીરૂપ થઈને રહેલા હાઇડ્રોજન અને ઓકસીઝન વાયુઓ જુદા પડે છે અને પાણીનું વિસર્જન થઈ જાય છે. તેમ આત્મા અને કર્મને જુદા પાડવા માટેની આપણી સાધના પ્રક્રિયામાં પણ વ્રત, નિયમ, સંયમનો તેજાબ માત્ર મેળવી અટકી જવાથી આપણું કામ ન સરે, તેમાં ધ્યાનની વિદ્યુત્ મેળવવી જ રહી.
આમ, આપણા સાધ્ય-મોક્ષનું અંતિમ સાધન ધ્યાન છે અને ધ્યાનની સિદ્ધિ માટે, પૂર્વતૈયારીરૂપે, બાકીનું બધું વ્રત, નિયમ, તપ, સંયમ, ભાવના, સ્વાધ્યાય, જપ વગેરે છે. આ હકીકત પ્રત્યેક આરાધકના ચિત્તમાં સ્થિર થઈ ગયેલી હોવી જરૂરી છે. તો તે જ સાધનામાં વેગ આવશે.
- આપણા શાસ્ત્રગ્રંથો અને આપણી પ્રાચીન પરંપરામાં આ સત્ય વણાયેલું સ્પષ્ટપણે દૃષ્ટિગોચર થાય છે. ચિત્તવૃત્તિઓને જીવંત પાત્રોરૂપે રજૂ કરી, આપણી સમગ્ર સાધના પદ્ધતિને અને સંસારી જીવના આધ્યાત્મિક ઉન્નતિક્રમને એક અજોડ કથામાં ગુંથી, સમગ્ર શાસ્ત્રના સાર-digest - નવનીત જેવી અનુપમ કૃતિ–ઉપમિતિ ભવપ્રપંચ કથાનું
ધર્મ અનપેક્ષા - ૨૯૭