SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ અનુપમલાવણ્ય-અનુપમબળ-અનુપમવીર્ય—અનુપમયશ-અનુપમચારિત્ર અને અનંત કેવળજ્ઞાનના ધોરક છે. * વિશ્વના પશુપ્રાયઃ જીવોની રક્ષા માટે મહાગોપ છે. મત્સ્યગલાગલન્યાયે હણાઈ રહેલા જીવો માટે અહિંસા ધર્મના ઉપદેશક હોવાથી મહામારણ છે. દુસ્તર સંસાર સાગરને તરવા અને તારવા માટે મહાનિર્ધામક છે. ભયાનક ભવાટવીનો પાર પામી સુખપૂર્વક મોક્ષ નગર પહોંચવા અને પહોંચાડવા માટે મહાસાર્થવાહ છે. મહાજ્ઞાની, મહાધ્યાની, મહાદાની અને મહામૌની છે. મહાવિરાગી, મહાયોગી, મહાતપસ્વી અને મહાવ્રતી છે. મહાવીર-મહાવીર અને મહાગંભીર છે. ઔચિત્ય, ઔદાર્ય અને ઓજસના ભંડાર છે. અભયદાતાઓમાં શિરોમણિ, સ્યાદ્વાદી, પરાર્થવ્યસની અને કૃતજ્ઞતાગુણના સ્વામી છે. પરિષદો અને ઉપસર્ગોના વિજેતા છે. વિશ્વના સમગ્ર ભાવોના જ્ઞાતા અન દ્રષ્ટા છે શ્રતધર્મની આદિ કરનારા છે. ચતુર્વિધ સંઘરૂપી તીર્થની સ્થાપના કરનારા છે. સ્વયંસંબુદ્ધ છે. " પરોપકારાદિ ગુણો વડે પુરુષોત્તમ છે. શૌર્યાદિ ગુણોથી પુરુષોમાં સિંહ સમાન છે. ભોગ અને કર્મની નિર્લેપતામાં પુંડરિક કમળ સમાન છે. સ્વચક્ર પરચક્રાદિ સાત પ્રકારની ઇતિઓ દૂર કરવા માટે ગંધહસ્તિ સમાન છે. ભવ્ય પ્રાણીરૂપ લોકમાં પોતાના તથાભવ્યત્વાદિથી ઉત્તમ છે. વિશિષ્ટ ભવ્ય લોકોના યોગ અને ક્ષેમ કરવા વડે નાથ છે. વ્યવહાર રાશિમાં આવેલા પ્રાણીઓનું સમ્યગું પ્રરૂપણા વડે હિત કરનારા છે. સંજ્ઞી પ્રાણીઓના હૃદયમાં રહેલા મિથ્યાત્વરૂપ પ્રગાઢ અંધકારને દૂર કરનારા હોવાથી લોકમાં દીપક સમાન છે. વિશિષ્ટ ચૌદ પૂર્વધરોના સૂક્ષ્મ સંદેહને દૂર કરનારા હોવાથી લોકપ્રદ્યોતકર (સૂર્ય) છે. અભય (ધર્ય)ને આપનારા છે. શ્રદ્ધારૂપી ચક્ષુના દાતા છે, કર્મના વિશિષ્ટ ક્ષયોપશમરૂપ માર્ગના દર્શક છે. આંતર શત્રુઓથી પરાભવ પામેલા પ્રાણીઓને શરણ આપનારા છે. બોધીબીજના દાયક છે શ્રુતચારિત્રરૂપ ધર્મનું દાન કરનારા છે. ધર્મના ઉપદેશક છે. ધર્મના નાયક (સ્વામી) છે. ધર્મરથને ચલાવનારા નિષ્ણાત સારથી છે. ધર્મરૂપી ચક્ર (ચતુર્ગતિનાશક)ના ધારક ચક્રવર્તી છે. અસ્મલિત કેવળજ્ઞાન અને દર્શનને ધરનારા છે. સર્વ પ્રકારના ઘાતી કર્મોથી મુક્ત છે. સ્વયં રાગવેષને જીતી જિન બનેલા છે. ઉપદેશ વડે બીજાઓને પણ જિન બનાવનારા છે. સમ્યગ્દર્શનાદિ જહાજ વડે મોહ (સંસાર) સાગરને તરી ગયા છે. બીજાઓને પણ તારનારા છે. પોતે કેવળજ્ઞાન પામી બુદ્ધ બન્યા છે. બીજાઓને પણ મુક્તિ અપાવનારા છે. જેઓનું ધ્યાન મંગળરૂપ છે. જેઓને કરેલો ભાવ નમસ્કાર ભવ્યોના ભવક્ષયને કરે છે. સર્વશ્રેષ્ઠ તીર્થંકર નામકર્મના વિપાકોદયથી પ્રાપ્ત થતી સમવસરણાદિ ઋદ્ધિના જેઓ ધર્મ અનુપ્રેક્ષા • ૨૬૧
SR No.005782
Book TitleDharm Anupreksha
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy