________________
સાધનામાં સાધક-બાધક તત્ત્વો
સાધનામાં પ્રતિબંધક તત્ત્વો : વસ્તુને ચારે બાજુથી વિચારવા માટે સાધકની સાથે બાધક તત્ત્વોનો વિચાર પણ જરૂરી છે, તેથી અહીં સાધનામાં પ્રતિબંધક તત્ત્વો ક્યાં ક્યાં છે, તેને જાણવા પણ જરૂરી છે.
ગુણીજન માત્સર્ય. નિર્ગુણીપર દ્વેષ, ક્ષુદ્રતા, તુચ્છતા, અગંભીરતા, અસહિષ્ણુતા, તમોગુણપ્રધાનતા, સન્ક્રિયા પ્રતિ અરુચિ અને અનાદર, પરનિંદા સ્વશ્લાધા, પૈશૂન્ય અને અભ્યાખ્યાનાદિ આ બધા સાધનામાં પ્રતિબંધક તત્ત્વો છે.
તત્કાળ ટાળવા જેવી ત્રૂટિઓ : ધર્મકાર્યમાં પ્રમાદ, આલસ્ય, દેહમાં અહંબુદ્ધિ, સુકુમાલતા, શરીર ઉપર અત્યંત મૂર્છા ઇત્યાદિ સાધના માર્ગમાં આગળ વધવા ઇચ્છનારે તત્કાળ ટાળવા જેવું છે.
મહા અનર્થકર ત્રુટિઓ ઃ મિથ્યાભિનિવેશ, દુરાગ્રહ, સ્વચ્છંદમતિ, મિથ્યાહંકાર, અહંમાનિતા, આ બધા મહા અનર્થકર દુર્ગુણો છે, તેનો થોડો પણ આદર મહાન હાનિકા૨ છે. તેમ જ અતિ હર્ષ, અતિ શોક, અતિ ભય, અતિ જુગુપ્સા વગેરેને પણ તિલાંજલી આપવા લાયક છે.
સાધના માર્ગથી ચલિત કરનારા દોષો : નીચેના દોષો સાધના માર્ગથી જીવને વિચલિત કરનારા છે, તેથી તેમને બરાબર ઓળખી તેમાંથી બચવા હંમેશાં પ્રયત્નશીલ રહેવું.
કામવિકાર, ક્રોધશીલતા, આપવડાઈ, માયાપ્રપંચ, તીવ્ર લોભ, અસત્યપ્રિયતા, કઠોરતા, વાચાળતા, વાદશીલતા, મોહમૂઢતા, ઇર્ષ્યા, ખોટી ચિંતાતુરતા, દીનતા, નિર્માલ્યતા, લુબ્ધતા, અવ્યવસ્થિતતા, એકલપેટાપણું, નિરાશાવાદિતા, દેહાધ્યાસ, વિશેષ આહાર, તુચ્છ વસ્તુથી આનંદ, પારકું અનિષ્ટ ઇચ્છવું, વ્યસનાસક્તિ, અયોગ્ય સ્થાને જવું, ધર્મ નિરપેક્ષ કેવળ સાંસારિક વ્યવહાર–કુશળતા ઇત્યાદિ.
નિયમિત અભ્યાસ દ્વારા પ્રાપ્ત કરવા લાયક ગુણો : ધૈર્ય, કરુણા, મૈત્રી, પ્રેમ, ઉદારતા, ક્ષમા, સંતોષ, બ્રહ્મચર્ય, સમતા, સરળતા, પ્રામાણિકતા, મધ્યસ્થતા, સત્ય, ન્યાયનિષ્ઠતા, કૃતજ્ઞતા, પરોપકારિતા, નિઃસ્વાર્થતા, સેવાભાવ, તપશ્ચર્યા, જપ, ત્યાગ, જ્ઞાનાદિની રુચિ, મિતાહાર, મૌન, પ્રસન્નતા, સહૃદયતા, પવિત્રતા, નમ્રતા, ગુણપ્રમોદ, નિયમિતતા નિશ્ચયબળ (પ્રણિધાન) સમર્પિતતા વગેરે.
આ ગુણો પ્રાપ્ત કરવા માટે પ્રથમ સ્વરુચિ અનુસાર કોઈ એક ગુણને ગ્રહણ ૨૫૨ ૦ ધર્મ અનુપ્રેક્ષા