SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીતીર્થંકરોની પૂર્વભવોની ભાવના “અહો ! આશ્ચર્ય છે કે શ્રીજિનેશ્વરદેવ પ્રરૂપિત સ્ફુરાયમાન પ્રકાશવાળું પ્રવચન વિદ્યમાન હોવા છતાં મોહાન્ધકારથી જેમનો સન્માર્ગ લુપ્ત થયો છે, એવા દુઃખપરીત ચિત્તવાલા જંતુઓ આ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છે. હું તેઓને આ ભયંકર સંસારથી, આ તારક પ્રવચન વડે પાર ઉતારું એ રીતે વિચાર કરીને જે જે પ્રકારે બીજાઓને ઉપકાર થાય તે તે પ્રકારે શ્રીતીર્થંકર પરમાત્માના આત્માઓ ઉદ્યમ કરે છે:” "अहो ! चित्रमेतत्, यत् - सत्यपि पारमेश्वरे प्रवचने स्फुरत्तेजसि, मोहान्धकारविलुप्तसत्पथि दुःखपरीतचेतसो जन्तवः परिभ्रमन्ति तदहमेतानतः संसारात् अनेन प्रवचनेन यथायागमुत्तारयामीति વં ચ ચિત્તયિત્વા યથા યથા રેષામુપારો ભવતિ તથા તથા જેતે ।' શ્રીપંચસંગ્રહ ટીકા. આ રીતે નમસ્કાર મહામંત્રમાં સારભૂત અરિહંતપદ પોતે જ પરોપકારભાવથી ભરપૂર છે કે જે અરિહંતપદ આપણી સમગ્ર આરાધનાના કેન્દ્રરૂપ છે. શ્રીઅરિહંતોને આદર્શરૂપ બનાવ્યા વિના કોઈપણ સાધક આરાધનામાં આગળ વધી શકતો નથી. એનો અર્થ પણ એ જ છે કે પરોપકારભાવને આદર્શરૂપ બનાવ્યા વિના આરાધનામાં આગળ વધી શકાતું નથી. વિશ્વનું ભલું કરવાની ભાવનાથી ભરપૂર બન્યા વિના નવકા૨માં બિરાજમાન પાંચે પરમેષ્ઠિઓમાંથી એક પણ પરમેષ્ઠિ, પરમેષ્ટિપદ સુધી પહોંચી શકતા નથી, તો જે મહામંત્રમાં, વિશ્વહિતની જ ભાવના ભરી છે. તેનું આરાધન કરનાર સાચા સાધકમાં પણ પરોપકારભાવ પ્રગટ્યા વિના કેમ રહે ? અને પરહિતનો ભાવ આદર્શ ન બને ત્યાં સુધી મહામંત્રની સાધનાની યોગ્યતા સાધકમાં આવી છે, એમ પણ શી રીતે કહી શકાય ? જીવનમાં પરોપકાર ભાવને આદર્શ બનાવ્યા વિના નવકારમંત્રની સાચી આરાધના બીજા હજારો ઉપાયોથી પણ શક્ય નથી. સંક્ષેપમાં ધર્મનું સર્વસ્વ કંઈપણ હોય તો તે પણ પરોપકારભાવ જ છે ?૧ અર્થ—મૈત્રીભાવનો વિકાસ, પરોપકાર કરવો અને શમભાવની ઉપાસના કરવી એ ધર્મનું અતિ સ્પષ્ટ સ્વરૂપ છે. અહીં ધર્મના સ્વરૂપ તરીકે મૈત્રી, પરોપકાર, અને શમ એ ત્રણ વસ્તુ બતાવી છે. પરંતુ આ ત્રણમાં પણ પરોપકાર મુખ્ય છે. કારણ કે મૈત્રી અને શમભાવને ટકાવી રાખનાર, વધારે પવિત્ર બનાવનાર પરોપકાર ભાવ છે. પરોપકાર અને કૃતજ્ઞતા ગુણનું પ્રાધાન્ય જણાવવા માટે અન્યત્ર પણ કહ્યું છે કેર ૧. ધર્મસ્ય તત્ત્વ સુસ્પષ્ટ, મૈત્રીમાવ વિજ્રાસનમ્ । परोपकारनिर्माणं, शमवृत्तेरुपासनम् ॥ ૨. વો પુરિસે ધરડ ધરા, અહવા દ્રોહિપિ ધારિયા વસુહા । વયારે નસ્લ મડું, વયરિત્રં નો ન પન્નુસફ ॥ શ્રીધર્મરત્નપ્રકરણ ટીકા. ૨૨૬ ૦ ધર્મ અનુપ્રેક્ષા
SR No.005782
Book TitleDharm Anupreksha
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy