________________
વિધિપર અંગે કહ્યું છે કે આ લોકના કૃત્યમાં ઉચિત વિધિ, ઉચિત વૃત્તિવાળો ન હોય તે પરલોકવિધિમાં પણ ન હોય. તાત્પર્ય કે ઔચિત્ય પાલન, અનૌચિત્ય ત્યાગ એ ધર્મસિદ્ધિમાં અતિ જરૂરી છે. એ પરાર્થવૃત્તિ વિના નહિ આવી શકે. પરને તકલીફ ના આપું, પરને શાતા આપું, પરને ન દુભાવું વગેરે વલણ રાખવું જ જોઈએ.
(૮) સહજમળ ક્ષય વિના યોગબીજનો સંગ્રહ નથી થઈ શકતો કે જે સંગ્રહ પહેલી યોગદષ્ટિમાં જ જરૂરી છે. એ સહજમળક્ષયના લક્ષણમાં પહેલું “દુઃવિતેપુ યાત્યન્તમ્” છે. એ દયા પરાર્થવૃત્તિ બનવાથી જ શક્ય છે.
(૯) ધર્મની વ્યાખ્યા (ધર્મબિંદુમાં) “મૈચદ્વિમાવસંયુ$" એ વિશેષણવાળી છે. ત્યાં પણ મૈત્રી પરહિતચિંતા અને પરાર્થવૃત્તિ બનવાથી જ આવે. - (૧૦) માર્થાનુસારી ગુણોમાં પરોપકાર તો છે જ. ઉપરાંત, પોષ્યપોષણ, માતાપિતાની પૂજા, અતિથિ, સાધુ દિન-પ્રતિપત્તિ, પરનિંદાદિ નિંદ્ય પ્રવૃત્તિનો ત્યાગ, દયા, સૌમ્યતા વગેરે પરાર્થવૃત્તિ બન્યાથી આવે.
- (૧૧) શ્રાવકધર્મની યોગ્યતાના ૨૧ ગુણોમાં પહેલો ગુણ અક્ષુદ્રતા તથા બીજા પણ કેટલાક ગુણ પરાર્થવૃત્તિવાળા હૃદયની અપેક્ષા રાખે જ છે.
(૧૨) સાધુ ધર્મને “શ્રીલલિતવિસ્તરામાં સકલ-સત્ત્વ-હિતાશય-અમૃત-સ્વરૂપ, ' કહ્યો છે. એ પરાર્થવૃત્તિની ઊંચી કક્ષાથી શક્ય બને–શ્રાવકધર્મને એ ચારિત્રધર્મના અભિલાષરૂપ કહ્યો છે. એમાં પણ–પરાર્થવૃત્તિની તમન્ના રાખવી પડે.
(૧૩) ભવનો રાગ, વિષયોનો રાગ, સ્વાર્થવૃત્તિ પર નભે છે, એ ટાળવા પરાર્થવૃત્તિ ખાસ જોઈએ.
(૧૪) યોગનું પહેલું બીજ “નિનેષુ શતં વિત્ત' (દ્વિતન) એ વિચારથી કહી શકાય કે “અહો “જિનેશ્વરદેવ કેવા જગત ઉપકારી ?' કેવા વિશ્વવત્સલ ? કેવા સર્વ દયાળુ? આ ભાવના કરવા માટે, આ ભાવનાથી ભાવિત થવા માટે, પરઉપકાર, પરવાત્સલ્ય અને પરદયાના અનુપમ ગુણનો અનુરાગ જોઈએ અને એ સાચો અનુરાગ એની અભિલાષાથી, એના તરફના ઝોકથી આવે છે એટલે પણ યોગબીજાર્થીએ પરોપકાર, પરવાત્સલ્ય, પરદયાની તમન્ના જગાડવી જ પડે.
ધર્મ અનપેક્ષા - ૨૨૧