________________
નવકાર સાધના ક્યાંથી અસ્તિત્વમાં આવી શકે ?
વળી જુઓ પંચપરમેષ્ઠિની ઉપાસના એ માર્ગાનુસારીની ભૂમિકા કરતાં ઉપરની ભૂમિકા છે, એ દષ્ટિએ વિચારીએ તો એના માટે માર્ગાનુસારીના પાંત્રીસ ગુણોભર્યું જીવન બનાવવું પણ તેટલું જરૂરી છે. એ માટે ગુણોના પ્રતિપક્ષી દોષોનો ત્યાગ કરવો જોઈએ.
ત્યારે એ પણ જુઓ કે નવકારનો જાપ, સ્મરણ કે ચિંતન એ મહામંગળમય સ્વાધ્યાય ધર્મ છે, જ્ઞાનોપાસના છે, તો એ તો પવિત્ર જ્ઞાનાચારમાં ૬-૭-૮મે નંબરે છે, એના માટે પૂર્વના પાયાભૂત પાંચ આચાર, કામ, વિનય, બહુમાન, ઉપધાન અને અનિદ્વવ,-એ સાધવા જરૂરી છે. ત્યાં ગુણનો અવિનય, અબહુમાન, નિદ્વવ (અપલાપ) વગેરેનો ત્યાગ પણ કરવો જ જોઈએ.
બીજી રીતે જોઈએ તો નવકાર એ પંચપરમેષ્ઠિની આરાધના સમ્યગ્દર્શનની પણ એક મહાન આરાધના છે અને દર્શનની આરાધના માટે નિઃશંકપણું નિરાકાંક્ષીપણું, વગેરે આઠ દર્શનાચાર બહુ જરૂરી છે. એમાંના સાધર્મિકની ઉપબૃહણા (પ્રશંસાપ્રોત્સાહન), સ્થિરીકરણ અને વાત્સલ્ય ખાસ જરૂરી છે. એ માટે એના વિરોધી સંઘ સાધર્મિકની નિંદા-અવગણના, કોઈનુંય શ્રદ્ધા-પાલનાદિ ધર્મમાં અસ્થિરીકરણ, તથા સંઘસાધર્મિક પ્રત્યે અપ્રીતિ અરુચિ, વગેરેને ખાસ દૂર રાખવા જોઈએ.
બીજી દષ્ટિએ જોતાં, પંચપરમેષ્ઠિનું ચિંતનસ્મરણ એ ઉભય યોગબીજ છે. યોગદષ્ટિ સમુચ્ચય શાસ્ત્રમાં કહ્યું છે, “વિનેષુ કુશવં વિત્ત’ - ઇત્યાદિ, આ યોગબીજની ઉપાસના માટે બે વસ્તુ જરૂરી છે. ૧. ઓઘદૃષ્ટિનો અર્થાત્ ભવાભિનંદીપણાનો ત્યાગ, અને ૨. યોગની પૂર્વસેવા. ભવાભિનંદિતા અર્થાત સંસારરસિકતાના ત્યાગ માટે ક્ષુદ્રતાલોભ રતિ-દીનતા (માગણિયાપણું) માત્સર્ય-ભય-શઠતા-અદાતા-નિષ્ફલાભસંગિતા,એ આઠ દોષોનો ત્યાગ જરૂરી છે. યોગની પૂર્વસેવા અર્થાત્ યોગ-પૂર્વભૂમિકા માટે માતાપિતા, વિદ્યાગુરુ અને ધર્મગુરુના વિનય સેવાદિ, દેવપૂજા, શિષ્ટપુરુષોના આચારનું પાલન, તપ અને મુક્તિ પ્રત્યે અદ્વેષ જરૂરી છે. તો એના વિરોધી દોષો, વડીલના અવિનયાદિ, એકાંત સાંસારિક પ્રવૃત્તિની રક્તતા, આહારલંપટતા અને મોક્ષ અરુચિ દૂર કરવા જોઈએ.
૨૧૨ • ધર્મ અનુપ્રેક્ષા