SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વકાલે પંચપરમેષ્ઠિ નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરવું જોઈએ. (૨) વાક્યાર્થઃ ઉપરના શ્લોક–સર્વકાલે નમસ્કાર મહામત્રાના સ્મરણનું વિધાન કરવાથી સ્વાધ્યાય, પ્રતિલેખના, વૈયાવચ્ચ આદિ અને દર્શન, પૂજન, સામાયિક, પૌષધ, પ્રતિક્રમણ આદિ સાધુ તથા શ્રાવકના અનુષ્ઠાનો નહિ થઈ શકે, કે જે તે તે સમયે અવશ્ય કર્તવ્યરૂપ છે અને તે તે સમયે અવશ્ય કર્તવ્યરૂપ અનુષ્ઠાન કરશે તો ઉપર્યુક્ત શ્લોકમાં સર્વકાલ નમસ્કાર-સ્મરણના વિધાનનું પાલન નહિ થઈ શકે, તેથી ઉપરના શ્લોકમાં જણાવેલ સર્વકાલે નમસ્કાર સ્મરણનું વિધાન અયુક્ત કરશે. (૩) મહાવાક્યાર્થ: ઉપર્યુક્ત સર્વકાલે નમસ્કાર મહામ7 સ્મરણના વિધાનનો ” અર્થ નથી કે– અવશ્ય કર્તવ્યરૂપ સ્વાધ્યાયાદિ અને દર્શન પૂજન આદિ સાધુ અને શ્રાવકના સર્વ અનુષ્ઠાનોને તજી દઈને સર્વકાલે ફકત નમસ્કાર–મહામંત્રનું જ સ્મરણ કરવું, કિન્તુ તે તે સમયે વિહિત અનુષ્ઠાનો કરવાપૂર્વક બાકીના સમુચિત સમયમાં અવશ્ય નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરવું એવો અર્થ છે. તેથી તે તે સમયે અવશ્ય કર્તવ્યરૂપ અનુષ્ઠાનો કરતી વખતે નમસ્કાર મહામંત્રનું સ્મરણ બંધ રહે–તે દોષરૂપ નથી પરંતુ તે સિવાયના સમુચિત સમયમાં પણ તે મહામંત્રનું સ્મરણ ચૂકી જવાય અને પ્રમાદમાં પડી જવાય તે દોષરૂપ છે. આ અંગે ઉપદેશપદ ગ્લો.-૮૯૭ની ટીકામાં જણાવ્યું છે કે "श्रमणोपासकानां शेषविहितानुष्ठानाबाधया समुचितसमये युक्तमेव नमस्कारादिध्यानमिति" ભાવાર્થ-શ્રાવકોએ સઘળાય વિહિત અનુષ્ઠાનને બાધ ન પહોંચે તે રીતે યોગ્ય સમયે નમસ્કારાદિનું ધ્યાન અવશ્ય) કરવું જોઈએ અને એ યોગ્ય જ છે. (૪) ઐદમ્યપર્યાયાર્થઃ આ પ્રમાણે સર્વત્ર જિનાજ્ઞાને બાધ ન પહોંચે તે રીતે વર્તવું એ જ એક સાર છે– ઉપાદેય છે. આ ઐદત્પર્યાયાર્થ છે. “મદ્રુપન્ન મા ધર્મામિ સાથે ઉત્ત' (ઉપદેશપદ-ગા. ૮૬૮) ૪૦ ધર્મ અનુપ્રેક્ષા
SR No.005782
Book TitleDharm Anupreksha
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy