SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીનવકાર મહામંત્રના જાપની શાસ્ત્રીય મર્યાદા જાપ એટલે ? અનંત ઉપકારી જ્ઞાની ભગવંતોએ આત્મકલ્યાણના પંથે વ્યવસ્થિત વિકાસ સાધવા માટે જરૂરી જણાવેલ શ્રીનમસ્કાર મહામંત્રનો જાપ એટલે આપણા પરિણામોવિચારોને, આરાધકભાવને પોષક વિશિષ્ટ શક્તિવાળા વર્ણોના સતત ઉચ્ચારણની પવિત્ર ક્રિયામાં સાંકળી લઈ મોહના સંસ્કારોની પકડ ઢીલી પાડવાની મહત્ત્વપૂર્ણ ક્રિયા. શ્રીનવકારના જાપની મહત્તા આ દૃષ્ટિએ ખરેખર શાસ્ત્રોમાં શ્રીનમસ્કાર મહામંત્રના જાપને અત્યંતર તપના ચોથા ભેદરૂપ સ્વાધ્યાયમાં અંતર્ગત જણાવ્યો છે. શ્રીમહાનિશીથ આદિ મહામહિમશાલી અર્થ ગંભીર આગમોમાં પણ જ્ઞાનાવરણીયકર્મની વિષમતાએ સૂત્રપૌરુષીની મર્યાદા ન જાળવી શકનારા પુણ્યાત્મા મુનિભગવંતો માટે શ્રીનમસ્કાર મહામંત્રના અમુક સંખ્યાના જાપથી આરાધકભાવ જાળવવાનું વિધાન ફરમાવ્યું છે. સામાન્યતઃ પાક્ષિક—ચાતુર્માસિક અને સાંવત્સરિક આલોચનાના પ્રાયશ્ચિત્ત તરીકે દરેક આરાધકે અવશ્ય કરવા લાયક ઉપવાસ—–છઠ્ઠ અને અટ્ઠમ તપની આજ્ઞાનું પાલન તપસ્યા કરવાની કાયાશક્તિ સર્વથા જેને ન હોય તેવાઓને પણ વીશ, ચાલીશ અને સાઠ નવકારવાળી (બાંધી) ગણીને પણ શાસ્ત્રીય મર્યાદા જાળવવારૂપે કરવાનું હોય છે. આવા અનેક કારણોથી શ્રીનમસ્કાર મહામંત્રનો જાપ અત્યંત મહત્ત્વની ધર્મક્રિયા જણાય છે, તેનું મહત્ત્વ-યોગ્યબંધારણ આદિ જ્ઞાનીગુરુની નિશ્રાએ વ્યવસ્થિત રીતે સમજવાની જરૂર છે. જાપ અંગે બંધારણની જરૂર શ્રીતીર્થંકર પરમાત્માએ જગતના પ્રાણીઓના એકાંત કલ્યાણ માટે નિર્દેશેલી ધર્મની કોઈ પણ ક્રિયા જ્ઞાની ભગવંતોની યોગ્ય નિશ્રા તેમ જ તેમણે જણાવેલી મર્યાદા પ્રમાણે કરવાથી જલ્દી અને વિશેષરૂપમાં યથાર્થ ફળ આપનારી નીવડે છે. કેમ કે દ્રવ્યક્રિયામાં ભાવક્રિયાનું પડી રહેલું બીજ વિધિપૂર્વક યોગ્ય રીતે જ્ઞાની ગુરુની નિશ્રાએ આસેવન કરવાના બળે વિકસિત થઈ યોગ્ય ફળ જન્માવી શકે છે. તેથી શ્રીનમસ્કાર મહામંત્રનો જાપ ક્લિષ્ટ કર્મોના પડલને ભેદી નાંખવામાં વજ્ર સમાન તપના અત્યંતર ભેદ તરીકેની મહત્ત્વની ધર્મક્રિયારૂપ ગણી-સમજી આરાધક પુણ્યાત્માઓએ ગુરુગમ અને વ્યવસ્થિત જાણકારીના અભાવે વર્તમાનમાં ચાલુ નવકારવાળીના મણકા ફેરવવા રૂપની દ્રવ્યક્રિયામાં ભાવનું ઓજસ ભેળવવા માટે નીચે જણાવાતી શાત્રીય ધર્મ અનુપ્રેક્ષા • ૧૮૭
SR No.005782
Book TitleDharm Anupreksha
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy