SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ હોય તો તેના આલંબનથી અને સહકારથી તેના કુટુંબ, જ્ઞાતિ અને યાવત્ સમગ્ર વિશ્વને પણ હિત થાય છે અને જો સંતતિ અધમ હોય તો તેનું, તેના કુટુંબનું, સ્વજન, સંબંધીઓનું કે જ્ઞાતિ, સમાજ, રાષ્ટ્ર યાવત્ સમગ્ર વિશ્વનું અહિત પણ થાય છે. સુમન ! વિશ્વના સમગ્ર જીવોના જીવનનો એવો સંબંધ છે કે તેમાંથી પરસ્પર હિતાહિત થાય છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, ‘પરસ્પરોપગ્રહો નીવાનામ્’ અર્થાત્ જીવો પોતાના જીવનથી પરસ્પર હિતાહિત કરે છે. માટે સુમન ! સુખનો અર્થી મનુષ્ય જો પૂર્ણ બ્રહ્મચર્યને પાળીને પોતાના જીવનનો એવો ઉત્તમ ઇતિહાસ ન રચી શકે તો પણ તેણે આ વિવાહવ્યવસ્થાનું ધોરણ પાળીને લગ્ન કરવું જોઈએ, કે જેથી સંતતિ થાય તો પણ સુજાત વગેરે ગુણવાળી ઉત્તમ થાય અને તેનાથી પોતાને, તે સંતતિને, તેના કુટુંબ, સ્વજન, સંબંધીઓ, જ્ઞાતિ, સમાજ, રાષ્ટ્ર, અને યાવત્ વિશ્વને પણ હિત થાય. સુમન ! અપવાદને બાજુમાં રાખી સામાન્ય ધોરણે વિચારતાં સમજાશે કે જે મનુષ્ય પોતાના જીવનમાં સંયુક્ત કૌટુંબિકજીવનના, જ્ઞાતિના, સમાજના, કે રાષ્ટ્ર વગેરેના લૌકિક કાનુનોનું પાલન કરે છે તે બીજાઓને પણ એ કાનુનોનું પાલન કરવાનું શિક્ષણ આપતો હોય છે : એથી વિપરીત જે તે તે કાનુનોનો અનાદર કે ભંગ કરે છે તે બીજાઓને પણ અનાદર અને ભંગ કરવાનું શીખવે છે. સુમન ! બીજા જીવોનું હિતાહિત જેટલું હિતકર-અહિતકર ઉપદેશ આપવાથી થાય છે, તેથી કેઈ ગુણું અધિક અને શીઘ્ર તેનું હિતાહિત તે તે પ્રકારના વર્તનથી થાય છે, ઉપદેશથી બીજાને જે અસર થાય છે તે કરતાં ઘણી, સચોટ અને શીઘ્ર અસર સારા નરસા આચરણને જોવાથી થાય છે. અજ્ઞાન એવા પણ બાળકને માતા ઉપદેશ વિના કેવળ પોતાના આચરણ દ્વારા શિક્ષણ આપી શકે છે. સુમન ! મનુષ્યોનો મોટો વર્ગ બાળક જેવો છે, તેને ઉપદેશની અસર નહિવત્ થાય છે, તેવા જીવોના હિત માટે કેવળ ઉપદેશ નહિ, પણ તેવું વર્તન પણ કરવું જરૂરી છે. સુમન ! લૌકિક કે લોકોત્તર પ્રત્યેક ઉત્તમ આચાર સમગ્ર વિશ્વના હિત માટે છે એ વાત તને પહેલાં યુક્તિપૂર્વક સમજાવી છે એટલે એ વિષયમાં હવે તને સમજાવવાની જરૂર નથી. તું સમજી શકીશ કે એક નાનામાં નાના પણ સદાચારનો અનાદર કરી જે ધર્મ અનુપ્રેક્ષા - ૧૭૭ ·
SR No.005782
Book TitleDharm Anupreksha
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy