SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ શક્તિ પ્રગટી શકે છે કે જેના બળે એક આના જેટલા ધર્મથી પંદર આના જેટલા પાપનો નાશ કરી સોળે સોળ આના ધર્મ કરવાની શક્તિ મેળવી શકે છે. , સુમન ! નિરોગીને ઔષધ અનાવશ્યક છે. તેમ પૂર્વજન્મોમાં વિવિધ સદાચાર સેવનથી ભોગવૃત્તિને નિર્માલ્યપ્રાય બનાવી દીધી હોઈ ભોગના સર્વત્યાગનું સત્ત્વ પામેલા હોય છે તે આત્મા આજન્મ બ્રહ્મચર્યવ્રત પાળી સ્વ-પર હિત સાધી શકે છે. જ્યારે તેવી કક્ષાએ નહિ પહોંચેલો-ભોગવૃત્તિને પરાધીન જીવ ભોગવૃત્તિનો નાશ કરવાના લક્ષ્યપૂર્વક આર્યકુલોની વિવાહવ્યવસ્થાને અનુસરવાથી ઉત્તરોત્તર ભોગ વૃત્તિને ક્ષીણ કરી સંપૂર્ણ બ્રહ્મચર્યનું સર્વ પ્રગટ કરી શકે છે. સુમન ! વિવાહવ્યવસ્થા ભોગ-સુખ માટે છે, એમ માનવું તે અજ્ઞાન છે. ભોગ એ રોગ છે અને તેને ટાળવા માટે વિવાહવ્યવસ્થાદિ આર્યઆચારો એક વિશિષ્ટ ઉપાયરૂપ છે, એવી સમજ એ તાત્ત્વિક સમજણ છે. ગૃહસ્થાશ્રમ સેવવા છતાં નૈષ્ઠિક બ્રહ્મચર્યને પામેલા સંપુરુષો અને મહાસતીઓ ત્રણે લોકમાં પૂજાય છે. દેવો પણ તેમના દાસ બની સેવા કરતા હોય છે. સુમન ! આવા પવિત્ર સંતો અને સતીઓના ધર્મથી જગતના જીવો શાતાને પામે છે. તેઓના નામસ્મરણ માત્રથી પાપીઓનાં પાપો નાશ પામે છે, એ રીતે અન્ય જીવોનું પણ હિત થાય છે. . ' સુમન ! મુક્તિનું અનંતરકારણ ચારિત્ર છે, એ ચારિત્ર સર્વ સદાચારોનું કુળધર છે અને તે ચારિત્રનું મૂળ બ્રહ્મચર્ય છે અને બ્રહ્મચર્યની સિદ્ધિ કેવળ મનુષ્ય જન્મમાં વિધિપૂર્વકની વિવાહવ્યવસ્થાને અનુસરવાથી થાય છે. માટે માર્ગાનુસારિતાનો આ ત્રીજો ગુણ બીજા ગુણોને પ્રગટાવવા માટે ઘણો મહત્ત્વનો છે, એ તને હવે સમજાયું હશે એને અનુસરવાથી સ્વ-પર કલ્યાણ થાય છે એ સુનિશ્ચિત છે. સુમન ! જેઓ પોતાના કર્મોદયને અનુસાર જે જ્ઞાતિ, કુળ, દેશ, કે ધર્મમાં જન્મ્યા હોય તેઓ તે તે જ્ઞાતિ, કુળ, દેશ કે ધર્મ વગેરેના નિયમોને (આચારોને) પાળવા માટે જવાબદાર હોય છે. એમ છતાં મોહાદિને વશ થઈ જેઓ એ નિયમોને અનુસરતા નથી તેઓ કેવળ પોતાને જ નહિ, પણ તે તે સમગ્ર જ્ઞાતિ, કુળ, દેશ, ધર્મ અને પરંપરાએ સમગ્ર વિશ્વને પણ હાનિ પહોંચાડે છે, અન્યાય કરે છે અને તેથી પોતાનું સંસારભ્રમણ વધારી મૂકે છે, એ વાત આપણે હવે પછી વિચારીશું. ધર્મમિત્ર, શ્રેયસુ. ધર્મ અનુપ્રેક્ષા • ૧૫
SR No.005782
Book TitleDharm Anupreksha
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy