SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ તેને પણ તે સદાચાર મનાય છે. સુમન ! જગતમાં સદાચાર તરીકે મનાતા લૌકિક લોકોત્તર સર્વ વ્યવહારો સેવ્યસેવક ભાવરૂપ હોવા છતાં તત્ત્વથી તે સેવારૂપ છે. પરોપકારકરૂપ છે. સેવા કરનાર જેમ સેવ્યની સેવા કરે છે તેમ સેવ્યપદે રહેલો સેવા લેવા છતાં સેવકનું હિત કરી શકે છે. માત્ર આ વ્યવહારોનું સૌ ઓછા-વધતા પ્રમાણમાં પાલન કરવા છતાં તેમાં રહેલા સ્વ૫૨ હિતના આ ૫૨માર્થને ન સમજવાથી અને અજ્ઞાનને કારણે કેવળ સ્વાર્થવૃત્તિમાં ડૂબેલા હોવાથી માનવભવ પામવા છતાં મોટો વર્ગ તેનું સાચું ફળ મેળવી શકતો નથી. સુમન ! એક શ્રીમંત અને મજૂરના પારસ્પરિક વ્યવહારમાં જેમ આ આધ્યાત્મિક તત્ત્વ રહેલું છે, તેમ રાજા-પ્રજાના, શેઠ-નોકરના, પિતા-પુત્રના, પતિ-પત્નીના, દાતા અને યાચકના તથા ગુરુ અને શિષ્યના પારસ્પરિક વ્યવહારોમાં કર્તવ્યોમાં પણ એ તત્ત્વ રહેલું છે. સેવ્યપદે રહેલો રાજા, શેઠ, પિતા, પતિ, દાતા કે ગુરુ વગેરે પોતાની સેવા કરનારનું તે તે રીતે કલ્યાણ કરવાના આશયથી સેવા લે તો તત્ત્વથી તે પરોપકાર કરે છે અને સેવકપદે રહેલી પ્રજા, નોકર, પુત્ર, પત્ની, યાચક કે શિષ્ય વગેરે સેવ્યની સેવાદ્વારા તેની યોગ્યતાને આધ્યાત્મિક બળને અધિકાધિક વિકસાવવામાં નિમિત્ત બનવારૂપે હિત કરે છે. એમ છતાં સુમન ! પરાર્થ અને સ્વાર્થ બન્ને એવાં તત્ત્વો છે કે તે એક બીજાને સિદ્ધ કર્યા વિના રહેતાં નથી. અને તેથી પરોપકાર માટે કરેલું શિષ્ટાચારનું પાલન સેવ્યસેવક બન્નેનું પણ હિત કરે છે. જો એમ ન હોય તો જગતની સર્વોચ્ચ કક્ષાને પામેલા શ્રીઅરિહંતદેવો વગેરે આ વ્યવહારનું પાલન અને પ્રરૂપણ કરે જ નહિ, શાસ્ત્રો કહે છે કે શ્રીતીર્થંકરદેવના છેલ્લા ભવમાં તેઓની સઘળી પ્રવૃત્તિ ઔચિત્યને અનુસરતી હોય છે અને તેઓ પણ લૌકિક લોકોત્તર સર્વ વ્યવહારોમાં આ સેવ્ય-સેવકભાવને અનુસરે છે, તો એ વ્યવહારરૂપ શિષ્ટાચારોમાં આ આધ્યાત્મિક તત્ત્વ રહેલું જ છે, એમ માની આપણે તેનું પાલન કરવું- કરાવવું એ અનિવાર્ય છે. સુમન ! કોઈ પણ મનુષ્યના જીવનમાં આ બંને ભાવો કેળવ્યા વિના તેનું ઊર્ધીકરણ શક્ય નથી. એક મનુષ્ય પોતાના માતા-પિતાદિ ગુરુ વર્ગની સામે સેવકભાવે અને પત્ની-પુત્ર વગેરેની સામે સેવ્યભાવે વર્તે, ત્યારે જ તેનો વ્યવહાર પૂર્ણ મનાય છે, માત્ર માતા-પિતાદિની સેવા કરે પણ પત્ની પુત્રાદિને સંભાળે નહિ, તેઓની ચિંતા કરે નહિ, તો તેની એક બાજુ અધૂરી રહે છે, તેમ માત્ર પત્ની પુત્રાદિની ચિંતા કરે, માતા પિતાદિની સેવા વિનયાદિ ન કરે તો પણ એક બાજુ અધૂરી રહે છે. એમ એક રાજા પ્રજાને જ સંભાળે, માતા-પિતા કે ધર્મગુર્વાદિ ઉપકારીઓની સેવા ન કરે અથવા માતા ધર્મ અનુપ્રેક્ષા ૦ ૧૫૭
SR No.005782
Book TitleDharm Anupreksha
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy