________________
(દોષિત) આહારાદિનો ઉપભોગ કરે તો મનનો વિજય કરી શકતાં નથી, તો વિવિધ પાપપ્રવૃત્તિઓમાં ગૂંથાયેલો ગૃહસ્થ ન્યાયસંપન્નવૈભવ વિના મનનો વિજય કઈ રીતે કરી શકે? અને મનનો વિજય કર્યા વિના પાપકુટુંબના પોષક મનથી કર્મનાં બંધનો કઈ રીતે તોડી શકે ? એ કારણે સુમન ! આજીવિકા મેળવવામાં ન્યાયનું પાલન અનિવાર્ય છે.
સુમન ! આપણે ધર્મ-અધર્મ એવા શબ્દોને જાણીએ છીએ. પણ તેના આંતર સ્વરૂપથી અજ્ઞાત છીએ. તેથી આપણે ધર્મનાં કાર્યો કરીએ છીએ પણ ન્યાયનો પક્ષ કરતા નથી. અધર્મનાં કાર્યોથી ડરીએ છીએ પણ અન્યાયના પક્ષથી ડરતા નથી.
સુમન ! ધર્મકુટુંબના પ્રાણભૂત ન્યાયની રક્ષા એ જ ધર્મની રક્ષા અને પાપકુટુંબના પ્રાણભૂત અન્યાયનો ત્યાગ એ જ પાપનો ત્યાગ, આ તત્ત્વને આપણે સ્વીકારવું પડશે. - સુમન ! દીક્ષા લીધા વિના મુક્તિ થઈ શકે છે, ન્યાયના પાલન વિના કોઈની મુક્તિ થઈ નથી અને થવાની પણ નથી. મેં કહ્યું હતું કે તત્ત્વદૃષ્ટિએ ન્યાય એ જ મુક્તિનો માર્ગ છે, એ જ યોગબળ છે, એ જ ચારિત્ર, એ જ આત્મા અને એ જ મુક્તિ છે. એ તત્ત્વને તું જેમ જેમ સમજીશ તેમ તેમ તને ન્યાય પ્રત્યે સન્માન જાગશે, અન્યાય પ્રત્યે તિરસ્કાર પ્રગટશે. જીવને અનાદિકાળથી સંસારમાં રખડાવનાર, પુણ્ય પ્રાપ્ત વિવિધ સુખ સામગ્રીને બરબાદ કરનાર, અને એ રીતે વિવિધ દુઃખોની પરંપરા સર્જીને જીવને પીડનાર એક અન્યાય આત્માનો અનાદિ વૈરી છે, એ સત્યને સમજવા માટે કર્મો, તેનો બંધ, બંધનાં કારણો, તેના વિપાકો, વગેરે ઘણું ઘણું જાણવા જેવું છે. તે હવે પછી
- ધર્મમિત્ર શ્રેયસુ.
ધાર્મિકતાની કસોટી શરીરના દુઃખ કરતાં મનનું દુઃખ વધારે કપરું છે. ધાર્મિકતાની કસોટી ત્રણ રીતે છે: (૧) ઈશ્વરમાં શ્રદ્ધા. (૨) વિષયો પ્રત્યે અનાસક્તિ - વૈરાગ્ય. (૩) જીવ માત્ર પ્રત્યે અનુકંપા.
આ ત્રણ ગુણ જેનામાં હોય તેને ધાર્મિક માણસ માનવો. પછી ભલે તે નાનો | હોય કે મોટો.
ધર્મ અનપેક્ષા • ૧૨૫