________________
માટે ધર્મક્રિયા કરીએ તે પણ ધર્મ કહેવાય ?
શ્રેયસ્ ! તો પછી આપણે લૌકિક પ્રત્યેક કાર્યો કરતાં પહેલાં દેવદર્શન, ગુરુવંદન, જ્ઞાનપૂજન વગેરે કરીએ છીએ, ગુરુનો વાસક્ષેપ લઈએ છીએ, તેઓશ્રીના મુખે માંગલિક સ્તોત્રાદિ સાંભળીએ છીએ, દુકાન તરફ પગલું ભરતાં નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરીએ છીએ, લગ્નાદિ પ્રસંગે પ્રભુભક્તિના મહોત્સવો ઊજવીએ છીએ, વગેરે ઘણું ઘણું કરીયે છીએ.
આપણે સાંસારિક કયાં કાર્યોમાં ધર્મને આગળ નથી કરતા ? પ્રાયઃ આપણી શ્રદ્ધા છે કે જીવનનું કોઈપણ કાર્ય કરતાં ધર્મનું મંગળ કરીએ તો આપણું કાર્ય નિર્વિઘ્ને સિદ્ધ થાય, સુખ મળે, ધન-દોલત મળે, પુત્ર-પરિવાર મળે, વગેરે વગેરે. શું આ બધો પ્રમાદ છે ? અને પ્રમાદ છે તો આપણા જ્ઞાની ગુરુઓ તેવા પ્રસંગે આપણને વાસક્ષેપ કરે છે, માંગલિક સંભળાવે છે, તે બધું કેમ કરી શકે ? તેઓ આપણા હિતસ્વી છે, મહા ઉપકારી છે, તે આપણને પ્રમાદથી રોકે કેમ નહિ ?
સુમન ! કોઈપણ ધર્મક્રિયા કરનારની સમજણ ઉપર તેનું સારા-નરસાપણું રહેલું છે.
ધર્મ અને ધર્મક્રિયા બે ભિન્ન છે, તેનો વિચાર આપણે આગળ ઉપર કરીશું. અત્યારે તો પ્રાયઃ લોક ધર્મક્રિયાને ધર્મ સમજે છે. તેથી હું પણ ધર્મક્રિયાને ધર્મ તરીકે માની આ વાત કરું છું. ધર્મનું કાર્ય મુખ્યતયા બુદ્ધિને શુદ્ધ કરવાનું છે, મૂઢતાને દૂર કરવાનું છે અને એ કારણે ધર્મ તો કરવા યોગ્ય છે જ. માત્ર આપણે બીજી બીજી વસ્તુસિદ્ધિ કરવાની બુદ્ધિએ ધર્મ કરીએ છીએ ત્યાં ભૂલ થાય છે. લૌકિક કે લોકોત્તર કાર્યો તો સૌને પોત-પોતાના જીવનની પરિસ્થિતિ પ્રમાણે કરવાનાં જ હોય છે, તે ન કરવાથી જીવન વ્યવહાર અટકી પડે છે અને આગળ જતાં ધર્મ કરવાની સગવડ પણ નાશ પામે છે. માટે સંસારમાં રહેલા જીવને સાંસારિક કાર્યો તો અનિવાર્ય છે. પણ એ કાર્યોમાં ‘બુદ્ધિ નિર્મળ અને અમૂઢ રહે એ માટે ધર્મ ક૨વાનો છે.'
સુમન ! અમૂઢ મોહરહિત બુદ્ધિથી ભોજન કરનાર કુરગ ુ ઋષિને ભોજન કરતાં કરતાં પણ કેવળજ્ઞાન નહોતું થયું ? એમ લગ્નની ચોરીમાં કન્યાનો ક૨ પકડીને બેઠેલા ગુણસાગરને કેવળજ્ઞાન નથી થયું ? નાટક કરતાં શું શ્રીઆષાઢાભૂતિજી કેવળી નહોતા થયા ?
સુમન ! શુદ્ધ-અમૂઢ બુદ્ધિથી કરેલું કોઈપણ કાર્ય અપ્રમાદ છે, એનાથી
ધર્મ અનુપ્રેક્ષા ૦ ૧૦૩