________________
છે. “વિષમ કાળ જિનબિંબ જિનાગમ ભવિયણ હું આધારા.” - પૂજ્ય પંન્યાસજી મહારાજની વાણી “શ્રી અરિહંતના બિંબમાં જે પ્રભાવ છે તે - ભાવ અરિહંતમાંથી આવ્યો છે, એમ જ માનવું જોઈએ. પ્રતિષ્ઠા દ્વાર જાગૃત બનેલા પરમાત્મ-શક્તિ રૂપ ચૈતન્ય આપણા હૃદયમાં અપૂર્વ શક્તિનો સંચાર કરે છે.
પરમાત્માનું સામીપ્ય, અદ્દભુત શક્તિનું સંચારણ એ ભવવનમાં ભમતાં અટકાવે છે. પરમાત્મા વિરહ, એમનો અદર્શન ભવવનમાં ભટકાવે છે. પરમાર્હત્ શ્રી કુમારપાળરાજા કહે છે કે, “સંસાર સમુદ્રમાં અનાદિકાળથી ભવભ્રમણ કરતા તમે ક્યારેય મારા દૃષ્ટિપથમાં ન આવ્યા. એવું હું માનું છું અન્યથા અત્યંત કષ્ટદાયી આવી નાશકની ભયંકર વેદના હું કેવી રીતે અનુભવું ?
પરમાત્માના દર્શન એવા કરીએ જે અનાદિકાળના વિરહ રૂપ દુઃખને દૂર કરે. વાચક જસની અનુભવ ટંકારવાળી વાણી.
“લહીએ રે સુખ દેખી મુખ ચંદ, વિરહ વ્યથાના દુઃખ સહુ મેટશુંજી.” મહર્ષિઓની ભક્તિવાણીના સહારે સહારે અમૃતત્ત્વની શોધ કરો.
૧૧