SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માનું જ ધ્યાન છે. શુદ્ધ આત્માનું ધ્યાન કરાવનાર હોવાથી પ્રથમ પદનો મહિમા અવર્ણનીય છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી ફરમાવે છે કે, 'यदिच्छेद भवदावाग्नेः, समुच्छेदं क्षणादपि । મોત્ તાલિમંત્રણ્ય, વUસપ્તમાલિમમ્ શો' યોગશાસ્ત્ર પ્રકાશ–૮ જો ભવરૂપી દાવાનળનો એક ક્ષણમાં જ સમૂળ ઉચ્છેદ કરવાની ઇચ્છા હોય તો પહેલા પદના સાત અક્ષરોનું સ્મરણ કરો. સૂર્ય અને ચંદ્ર ન =સૂર્ય મન્ =ચંદ્ર (એકાક્ષરી કોષ) ન+મો એ સૂર્ય અને ચંદ્રનું પ્રતીક છે. મહું એ સૂર્ય છે અને એ ચંદ્ર છે. શુદ્ધ અહં એટલે આત્મા અને શુદ્ધ મમ એટલે તેના કેવળજ્ઞાનાદિગુણો, એ બેનું ધ્યાન એક નમો પદવડે થાય છે. નો એ પદ અશુદ્ધ અહં અને અશુદ્ધ મમનો ત્યાગ કરાવી શુદ્ધ અહં અને શુદ્ધ મમનું ધ્યાન કરાવનાર હોવાથી સ્વયં મહામંત્ર બને છે. મહામંત્રની વિશેષતાઓ શ્રીનમસ્કાર મહામંત્ર એ દેવાધિદેવ શ્રીઅરિહંતદેવનું ભેટશું છે, સારની પોટલી છે, રત્નની પેટી છે, ભવાટવીનો ભોમિયો છે, ભવસમુદ્રની દીવાદાંડી છે. તથા મોક્ષ તરફ જવામાં સહાયક ઉત્તર ધ્રુવનો તારો છે. શ્રીનમસ્કાર મહામંત્રના પુનઃ પુનઃ ઉચ્ચારણથી સહજમળનો હ્રાસ થાય છે, તથાભવ્યત્વભાવનો વિકાસ થાય છે, ભવભયનું ત્રાણ થાય છે, કર્મરોગની ચિકિત્સા થાય છે, મોહવિષનો અપહાર થાય છે, વિષયરસથી વિમુખતા થાય છે, પરમતત્ત્વની સન્મુખતા થાય છે, જીવ માત્ર પ્રત્યે અનુકૂળતાનો સંકલ્પ થાય છે, જીવ માત્ર પ્રત્યે પ્રતિકૂળતાનું વિસર્જન થાય છે, પોતાની અસહાયતાનું પ્રકટન થાય છે, આત્મસંરક્ષણનો વિશ્વાસ થાય છે, સર્વસ્વનું દાન તથા અંતરાત્માનું સમર્પણ થાય છે. વળી તે સાધકના મન મતગંજનો અંકુશ છે, મન તુરંગમની લગામ છે, મન વાનરની સાંકળ છે, મને મીનનું જળ છે, મન ભ્રમરનું કમળ છે, મન પતંગનો દીપક છે, મન હરિણનો સ્વર છે, મન ચકોરનો ચંદ્ર છે, મન ચક્રવાકનો સૂર્ય છે, મન ગરુડનો ગોવિંદ છે, મન મયૂરનો મેઘ છે તથા મન સરિતાનો સાગર છે. ૯૦ • ધર્મ અનપેક્ષા
SR No.005782
Book TitleDharm Anupreksha
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy