SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ તેમની આજ્ઞા એટલે સર્વાત્મભાવ અને પરમાત્મભાવને પામવાના ઉપાયરૂપ આચાર અને જ્ઞાનને જીવનમાં સાધવા તત્પર રહેવું. સર્વ જીવો આત્મતુલ્ય છે, એવા પરમેષ્ઠિ ભગવંતના જ્ઞાન અને ઉપદેશ મુજબ જીવનમાં વર્તન કરવું, તેથી સર્વાત્મભાવ સ્થિર થાય છે. તે સ્થિર થતાં જ પોતાના આત્મામાં પરમાત્માના દર્શન થાય છે. પછી સર્વ આત્મા સ્વરૂપથી પરમાત્મતુલ્ય દેખાય છે. એ જ્ઞાન અને એ દર્શન પાછું પોતાના આત્મામાં રમણ કરાવનારું વર્તન લાવી આપે છે. “માત્માનપત્ય : પવીવીરવારિમા' આત્માને ઉદ્દેશીને પંચાચારના પાલનરૂપી અધ્યાત્મને મેળવી આપે છે. સર્વ જીવોને આત્મતુલ્ય માનીને તેમની સાથે આત્મતુલ્ય વર્તનરૂપી વ્યવહાર એ ઋજુસૂત્ર નયનું અધ્યાત્મ છે. પોતાનો અને સર્વનો આત્મા પરમાર્થથી પરમાત્મતુલ્ય છે, એમ માનીને પોતાના આત્મામાં જ પંચાચારનું પાલન તે શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત નયનું અધ્યાત્મ છે. અધ્યાત્મમાં ચિત્તવિશુદ્ધિ જોઈએ અને યોગવિશુદ્ધિ પણ જોઈએ. ચિત્તની વિશુદ્ધિ જેમાં પ્રધાન છે અને યોગની વિશુદ્ધિ તેના કારણરૂપે થઈને ગૌણ છે, તે વ્યવહાર અને ઋજુસૂત્ર નયનું અધ્યાત્મ છે. ચિત્તની વિશુદ્ધિ જેમાં કારણ થઈને ગૌણ છે અને યોગની વિશુદ્ધિ જેમાં મુખ્ય છે. તે શબ્દ, સમભિરૂઢ અને એવંભૂતનયની દૃષ્ટિએ અધ્યાત્મ છે. આ રીતે ન વિભાગને યથાર્થપણે સમજીને સ્યાદ્વાદ દૃષ્ટિથી સમન્વય સાધીને, જે કોઈ સ્વરૂપમાં વિશ્રાન્ત થવા માટેના પ્રયત્નમાં લીન છે, તે અધ્યાત્મનું ભાજન થાય છે. સર્વ જીવોનો ઉપકાર , સર્વ જીવો હિતચિંતા માટેનું આલંબન પૂરું પાડે છે, માટે નિશ્ચયથી માનનીય છે, આદરણીય છે. તેમની હયાતિ માત્ર જ્ઞાનીને સ્વકલ્યાણમાં નિમિત્ત બને છે, તેથી ઉપકાર દૃષ્ટિથી ગુણ દૃષ્ટિથી જોવાલાયક છે. ગુણ કરનારા છે, છતાં ગુણ દૃષ્ટિએ ન જોવાય તો કૃતજ્ઞતાગુણ હણાય છે. અજ્ઞાની ઉપકાર કરનારને પણ ઉપકારી તરીકે જાણતો નથી. જ્ઞાની ઉપકાર ન કરનાર છતા ઉપકારમાં નિમિત્ત બનનારને પણ ઉપકારી તરીકે જાણે છે. નમો રૂપી તેલનું ટીપું નમો પદવડે મનરૂપી તેલનું ટીપું અરિહંતભાવરૂપી જળની અંદર ફેલાઈને વિશ્વહિતની ભાવનાવાળું બની જાય છે. નમો પદ વિષયવાસનાને સંકોચ પમાડનારું અને ધર્મભાવનાને વિસ્તારનારું છે. નમ: એ પદ સ્નેહને સૂચવનારું હોવાથી અહીં તેને તેલના બિંદુની ઉપમા આપી છે. નમો પદને અન્ય ઉપમાઓ નમો પદ એ મનરૂપી મસ્તકનો મુકુટ, મનરૂપી કંઠનો હાર, મનરૂપી અંગુલીની ૮૮ • ધર્મ અનપેક્ષા
SR No.005782
Book TitleDharm Anupreksha
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy