SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ વસ્તુઓ સુગંધી હોય કે દુર્ગધી હોય. ઉપલક્ષણથી સ્વાદિષ્ટ હોય કે સ્વાદ વિનાની હોય. સારા છે જ દેખાવવાળી હોય કે વિચિત્ર લાગતી હોય, બધી વસ્તુ વાપરી જવી. કોઈપણ વસ્તુ પરઠવવી નહિ. જે જ , એટલે દાળ-શાકમાં આવતા મરચા, પાંદડાં, કોકમ વગેરે વાપરી જ જવા જોઈએ. એને જે છે પરઠવવા નહિ. પણ મરચાં તીખાં લાગવાના કારણે વાપરી ન પણ શકાય. પાંદડા કે આંબોળિયા પણ ન જ કો'ક સંયમી વાપરી શકતો ન હોય, અરુચિ થતી હોય અને માટે આ વસ્તુઓ પરઠવવી જ પડે, તો જ ગોચરી વાપર્યા બાદ એ વસ્તુઓ જાતે લઈ જઈ રાખ-રેતીમાં બરાબર ઘસી લેવી કે જેથી એની ગંધથી જ જ સજીવો ન આવે અને વિરાધના ન થાય. એક સંયમી તો આવા મરચા વગેરેને સીધા જ બારીમાંથી બહાર પતરા ઉપર ફેંકી દેતો, ક્યારેક જ છે કચરાની ડોલમાં નાંખી આવતો. આ બધું ધૃણાસ્પદ છે. એઠા થયેલા એ મરચા વગેરે ત્યાં જ મૂકી રાખીએ તો કાજો કાઢનાર સંયમી ઘણીવાર મોડો પણ આ જ કાજો કાઢે. એમાં જો ૪૮ મિનિટ થઈ જાય તો મરચા વગેરેમાં સમૂચ્છિમની ઉત્પત્તિ થવાથી પુષ્કળ જ જે વિરાધનાનો દોષ સંયમીને લાગે. છે એટલે સૌ પ્રથમ તો આ બધી વસ્તુઓ વાપરી જ જવાની ટેવ રાખવી. છેવટે ન જ વપરાય તો બીજા છે જ વિકલ્પમાં જાતે જ આ બધી વસ્તુઓ સંમૂચ્છિમ થાય એ પહેલા બરાબર પરઠવી દેવાની કાળજી કરવી. આ ૫૧. હું કોઈના પણ એંઠા પાતરામાં કોઈપણ વસ્તુ નાંખીશ નહિ : કેટલાંક સંયમીઓ બીજાઓની ભક્તિ કરવા માટે એમના એંઠા પાતરામાં વસ્તુ નાંખી દેતા હોય છે જે છે. એમાં એમનો ભાવ સારો હોવા છતાં કેટલીકવાર આમાં ઝઘડાઓ થતા હોય છે. (૧) એ સંયમીને જે ગીચરી વધી પડેલી હોય, માંડ માંડ વાપરતો હોય એમાં જો બીજો સંયમી એના પાત્રામાં વસ્તુ નાંખી ૪ જ દે એટલે પેલો સંયમી ગુસ્સે થાય. જેમ તેમ બોલે. કદાચ એ વસ્તુ પરઠવી પણ દે. (૨) સંયમીએ જે જે જે વસ્તુ બીજાના એંઠા પાત્રામાં નાંખી હોય. એ વસ્તુની તે બીજા સંયમીને બાધા હોય. કદાચ દ્રવ્યસંખ્યા છે થઈ ગઈ હોય. એટલે એને તો બાધા તુટવાથી દુઃખ થાય, ઝઘડો પણ કરી બેસે. બીજાની પ્રતિજ્ઞાનો ૪ ભંગ કરાવવામાં આપણને પણ મોહનીયકર્મ બંધાય . . આવા અનેક કારણોસર સારામાં સારી વસ્તુ પણ, ભક્તિભાવથી પણ કોઈના એંઠા પાત્રામાં ન જ નાંખવી. . કેટલાંકો પોતાની વધી પડેલી વસ્તુ ખપાવવા માટે બીજાના એંઠા પાત્રામાં નાંખતા હોય છે. જે એમાં તો વધુ મુશ્કેલી થાય. એક સંયમીએ ગુસ્સે થઈને આવી એંઠી કરાયેલી વસ્તુને જુદા પાત્રામાં કાઢી જોરથી એ પાત્રુ ઘસડીને દૂર ફેંકી દીધું. આમાં પરસ્પર કેટલો બધો સંક્લેશ વધે ? જ કોઈક સંયમી માટે કોઈક વસ્તુ સારી હોવા છતાં પણ સ્વાથ્યની દૃષ્ટિએ પ્રતિકૂળ હોય. એ માટે જ છે પણ એને આવી એંઠી કરાયેલી વસ્તુ ન ગમે. જ એટલે ભક્તિભાવથી કે વધેલું ખપાવવાના ઉદ્દેશથી કોઈપણ રીતે કોઈના પણ પાત્રામાં વસ્તુ જ એંઠી ન કરવી. એને ચોખ્ખા પાત્રામાં જ આપવી. સંયમી રજા આપે તો એંઠા પાતરામાં નાંખી શકાય. બધા સંયમીઓ વાપરતી વખતે પોતાની પાસે એક ચોખ્ખું પાત્રુ રાખે તો પ્રાયઃ વાંધો ન આવે. $ સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૭૭),
SR No.005780
Book TitleSamvigna Sanyamioni Niyamavali
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2006
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy