SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ જે હવે માત્ર કદલી-કેળાની છૂટ રાખી બાકીના તમામ ફળોનો સંપૂર્ણ ત્યાગ કરી દેવાનો નિયમ અપાય. જે કદલીમાં કે કદલી સિવાયના બાકીના ફળો ખાવામાં આજ્ઞાભંગ, આસક્તિ વગેરે દોષો તો છે જ. પણ કદલી સિવાયના ફળોમાં એનાથી ય વધુ નુકસાન એ છે કે કદલી માટે ૪૮ મિનિટ પછી જ કે વાપરવાનો નિયમ નથી. કદલી તો છાલ ઉતારીને તરત વાપરી શકાય છે. જ્યારે પ્રાયઃ બાકીના તમામ જ ફળો સમાર્યા બાદ ૪૮ મિનિટ પછી જ વાપરી શકાય છે. એટલે જ બાકીના ફળોમાં આધાકર્માદિ દોષો લાગવાની શક્યતા ઘણી છે. આજે શ્રાવક- ૪ * શ્રાવિકાઓ એકાસણા-બેસણા વગેરે તપ સિવાય તો ફળોને સમારી સમારીને ત્યારે જ વાપરી લેતા હોય ? છે છે. ૪૮ મિનિટ પછી ફળભોજન તો એકાસણાદિ તપ સિવાય પ્રાયઃ કોઈપણ શ્રાવકો વગેરે નથી કરતા. ૪ છે અને એકાસણાદિ તપ કરનારા શ્રાવકો તો કેટલા? જ જે તપ કરતા હોય છે, તેઓ પાછા મોટા ભાગે તિથિઓના દિવસે કરે. અને એ દિવસે તો ? જ લીલોતરી વપરાય નહિ. તિથિ સિવાય પણ તપ કરનારાઓ અત્યંત ધાર્મિક હોય છે અને તેથી તેઓ પોતાના માટે ફળાદિ ? સમારે ત્યારે સંયમીઓના માટે વધારે સમારી દે, સંયમીઓનો પણ ઉદ્દેશ રાખીને સમારી દે. આ બધી છે જ શક્યતાઓ ઘણી છે. એટલે એમાં આધાકર્મી - મિશ્ર વગેરે દોષોની શક્યતા ઘણી જ રહે છે. આ જ તપ કરનારા એક -બે શ્રાવિકાઓને કેટલું ફળ વાપરવા જોઈએ ? અને છતાં જો પ્રમાણ વધારે જ જ દેખાય તો એ સમજી જ શકાય છે કે કંઈક ગરબડ છે. દોષોનો ભય હોય તો આવી શંકાસ્પદ વસ્તુઓથી ? છે સંયમી બારકોશ દૂર જ ભાગે. માટે ફળોનો ત્યાગ આવશ્યક છે. આસક્તિ ત્યાગ માટે, સંયમરક્ષા માટે. બીજા બધા ફળો તો લગભગ સંયમીઓ ઓછા જ વાપરે છે, કે નથી જ વાપરતા. પણ કેરીનો જ રસ વાપરવાનો પ્રસંગ ઘણીવાર આવે. “કેરીનો રસ નિર્દોષ હોય કે દોષિત ?” એ માટે નીચેના મુદ્દાઓ વિચારવા. (૧) કેરી ખૂબ જ મોઘું ફળ છે. એક કેરી ઓછામાં ઓછી ૮-૧૦ રૂપિયાની હોય. એટલે જ ૪ સામાન્યવર્ગ કે મધ્યમવર્ગને આ કેરીનો રસ લગભગ ન જ પરવડે. એટલે એમના ઘરે જો હોંશે હોંશે જ કેરીના રસની વિનંતિ થાય તો એ તે ગૃહસ્થોના ભક્તિભાવનો પ્રભાવ સમજવો. અર્થાત ભક્તિ માટે જ જ તેઓએ આધાકર્મી રસ કાઢ્યો હોવાની શક્યતા ઘણી વધે છે. (૨) કેરીનો રસ નો બહાર પડ્યો રહે તો એ બગડી જાય. એનો સ્વાદ ખરાબ થઈ જાય. એ છે છે વાયુકારક બને. આવા અનેક કારણોસર કેરીનો રસ કાઢી કાઢીને તરત જ વપરાય છે. અથવા ફ્રીજમાં $ જ રાખવામાં આવે છે. જ કેરીનો રસ કાઢ્યા પછી, ફ્રીજની બહાર ૪૮ મિનિટ સુધી રાખ્યા પછી જ વાપરનારા શ્રાવકો- ૪ જે શ્રાવિકાઓ કેટલા? જે દિવસે સંયમી ઘરે વહોરવા આવવાનો હોય જો એ જ દિવસે તેઓ કેરીનો રસ છે જે બહાર રાખતા હોય, એ સિવાય રોજ ફ્રીજમાં જ રાખતા હોય. તો એમાં ગોચરીના અનેક દોષો ચોખ્ખા છે જ લાગે છે. ગોર હોને સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૭) કિક |
SR No.005780
Book TitleSamvigna Sanyamioni Niyamavali
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2006
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy