SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ વગેરેમાં જ બધો સમય પસાર થઈ જાય. એટલે સ્વાધ્યાય ઘણો જ ઘટી જાય. એકાસણી કરનારાને પુષ્કળ છે સ્વાધ્યાય કરવાનો સમય મળે. * (૨) નવકારશીમાં ચાહ લગભગ દોષિત જ હોય છે. સાંજની ગોચરી તો પ્રાયઃ દોષિત જ જ સમજવી, કેમકે ધારો કે ૭ વાગે સૂર્યાસ્ત થતો હોય તો રાત્રિભોજનત્યાગી શ્રાવકો ય સાડા છ વાગે જ જમવા બેસતા હોય છે. એટલે એમને ત્યાં રસોઈ પણ એટલા વાગે જ તૈયાર થાય. જ્યારે સંયમીઓ જ તો સાડાપાંચે ગોચરી વહોરવા નીકળી જ જાય. મોડા નીકળે તો સંયમીઓ પહોંચી જ ન વળે. એટલે જ રાત્રિભોજન ત્યાગીઓને ત્યાં પણ જો સૂર્યાસ્ત કરતા દોઢ-બે કલાક પહેલા ગોચરી તૈયાર થઈ જતી હોય ? તો એમાં સંયમીઓનું લક્ષ્ય આવી જાય છે, માટે એમાં દોષ લાગે જ છે. વળી રાત્રિભોજનના ત્યાગી છે જ ગૃહસ્થો કેટલા મળે ? એકાસણામાં આવા કોઈપણ દોષ ન લાગે. સાંજે વાપરનારાઓ તો ઘણીવાર જ જ ગૃહસ્થોને સામેથી કહી દેતા હોય છે કે, “આજે તમારે ત્યાં આટલા વાગે વહોરવા આવીશું. રસોઈ જ છે તૈયાર રાખવી.” હવે આમાં આધાકર્મીનો દોષ સ્પષ્ટ જ છે. (૩) ત્રણ ટાઈમ વાપરનારાઓની વેશ્યા પણ લગભગ ગોચરી અંગેની થઈ જાય છે. સવાર૪ બપોર-સાંજની ચિંતા રહે કે “ગોચરી ક્યાં જશું?...” વગેરે. (હા, દોષિત જ લેવું હોય તેઓને એ જ ૪ ચિંતા (!) ન રહે.) એકાસણા કરનારાઓ તો આખો દિવસ સ્વાધ્યાયાદિમાં તલ્લીન બની જાય. (૪) શ્રેષ્ઠકક્ષાની જિનાજ્ઞાનું પાલન કરવાનો લાભ મળે. મારી દષ્ટિએ સંયમી ઉપવાસ-બેસણું.... વગેરે કરે એના કરતાં ય રોજ એકાસણા કરે એ શ્રેષ્ઠ છે છે. મારા ગુરુદેવે છેલ્લા માંદગીના વર્ષો સિવાય કાયમ એકાસણા કર્યા છે. અઠ્ઠાઈના પારણે પણ છે જ એકાસણા કરતા. જ ગયા વર્ષે એક વિદ્વાન આચાર્ય ભગવંતના ત્રણ સાધુઓએ માસક્ષમણના પારણે પણ એકાસણા છે ચાલુ રાખ્યા. કોઈપણ મુશ્કેલી વિના અખંડ એકાસણા કરે છે. છે મારા એક શિષ્યને છેલ્લા ૧૦ વર્ષથી અખંડ એકાસણા ચાલે છે. એમાં જ ૭૨ ઓળીઓ કરી છે ૪ છે. ઓળીના પારણે પણ એકાસણા છોડ્યા નથી. ૪. : ૯૫ વર્ષના એક સાધ્વીજી છેલ્લા ૧૫ વર્ષથી અખંડ પુરિમષ્ઠ એકાસણા કરે છે. { આવા તો સેંકડો સંયમીઓ આજે પણ એકાસણાનો તપ ખૂબ જ સારી રીતે કરે છે. શરૂઆતમાં થોડીક તકલીફ પડે, પરંતુ જો બે-ચાર મહિના ગમે તે રીતે એકાસણાનો પ્રયત્ન ? જે કરાય તો પછી કોઈ મુશ્કેલી ન પડે. જે દિવસે ઉપવાસ કરીએ એ પછીના દિવસે એકાસણું કરવાની શક્તિ ન હોય તો બેસણું કરી છે શકાય. ૪ ૪૨. હું એકાસણામાં રોજ ૪/૫/૬/૭ દ્રવ્યથી વધારે નહિ વાપરું. જો બેસણું કે નવકારશી કરે ૪ તો દરેક ટંક દીઠ ચારથી વધારે દ્રવ્ય નહિ વાપરું ? જ એકાસણા કરીએ એટલે બધું જ વાપરવાની છૂટ મળી જતી નથી. શક્ય એટલો દ્રવ્યસંક્ષેપ કરવો જ જ જોઈએ. એક આચાર્ય ભગવંત રોજ બે જ દ્રવ્ય રોટલી-દાળ કે રોટલી-દૂધ જ વાપરતા. એમ વર્ષો સુધી આ સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ()
SR No.005780
Book TitleSamvigna Sanyamioni Niyamavali
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2006
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy