SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ છે અરેરે ! આ ઘોરાતિઘોર પાપ કદિ ન કરાય. જો એ વિદ્યાગુરુની નિંદા-મશ્કરી ન જ છોડવાની હોય તો જ બહેતર છે કે એમની પાસે વિદ્યા જ ન લેવી. જેથી આ ઘોર પાપ ન બંધાય. જ આ નિયમમાં તો ઓછામાં ઓછી સેવા-ભક્તિ બતાવી છે. વધુમાં વધુ તો જે સંયમી જેટલી કરી જ જ શકે એટલી એણે કરવી જ. ૭. હું સ્થાપનાચાર્યજીની હાજરી વિના પાઠ આપીશ નહિ કે લઈશ નહિ? શાસ્ત્રીય નિયમ છે કે (૧૪)પાઠ-વાચના વગેરે વખતે સ્થાપનાચાર્યજી=ભગવાન અવશ્ય હોવા જ જ જોઈએ. થોડાક ઉંચા સ્થાને બહુમાનપૂર્વક ભગવાનને મૂકીને પછી જ પાઠ શરૂ કરાય. ખરેખર તો પાઠજ વાચના લેનારાઓએ જ આ કાળજી રાખવાની છે કે પાઠ-વાચન શરૂ થતા પહેલા જ ત્યાં ભગવાન જ જે પધરાવવા. પણ કદાચ તેઓ ન લાવેલા હોય તો પાઠ-વાચના આપનારાએ ભગવાનની ગેરહાજરીમાં આ પાઠ શરૂ ન કરવો. ૪ ગ્રુપમાં ભગવાન ઓછા હોય અને તેથી પાઠની જગ્યાએથી થોડેક દૂર ભગવાન હોય તો પણ. જે જો બધાની નજર ત્યાં પડી શકતી હોય તો પછી એ વખતે પાઠ-વાચના કરી શકાય એમ ઉચિત લાગે જ હે છે. ક્યારેક એવું બને છે કે મોટા હોલમાં દૂર-દૂર બે રૂપો પાઠ લેતા હોય અને ભગવાન એક જ હોય છે આ તો બે ય ગ્રુપો ભગવાન પોતાની પાસે = નજીકમાં શી રીતે રાખી શકે? આવા વખતે દૂર રહેલા જ જ ભગવાનને અનુસરીને પણ વાચના-પાઠાદિ કરાય. જ બે પાઠ ઉપર-નીચે લેવાના હોય અને ભગવાન એક હોય તો પછી એ વખતે ઉપર કે નીચેવાળું ? જે ગ્રુપ નવકાર પંચિંદિય વડે સ્થાપનાજી સ્થાપીને પાઠ લે એ ઉચિત લાગે છે. પણ એ વિના તો પાઠ ન છે $ જ લેવાય. આમાં સ્થાપનાચાર્યજી પ્રત્યેનો આદર-બહુમાન ભાવ સૂચિત થાય છે. નમ્રતા પ્રગટે છે. આ ૮. હું કોઈપણ ગ્રંથ ગુરની રજા લઈને જ ભણીશ. સ્તવન-સઝાય પણ ગુરની રજા લઈને જ જ ગોખીશ : સંયમી મન ફાવે એ રીતે કોઈપણ પુસ્તક, શાસ્ત્ર, મેગેઝીન વાંચી શકતો નથી જ. ધાર્મિક વાંચન છે પણ ગુરુની રજા વિના ન જ કરાય. ક્યારેક કહેવાતા ધાર્મિક પુસ્તકોમાં પણ એવું વિચિત્ર લખાણ આવતું જ હોય છે કે જે સંયમીને નુકસાન કરનારું બની જાય. દા.ત. “જૈન સમાચાર' નામના છાપામાં ઘણું બધું છે ખરાબ, શાસ્ત્રવિરુદ્ધ, મિથ્યાત્વપોષક લખાણ આવે છે. હવે “જૈન સમાચાર નામ વાંચીને કોઈ નવો સંયમી ગુરુને પૂછ્યા વિના એ વાંચવા માંડે તો મનમાં ઘણા ખોટા વિચારો ઘુસી જવાની પાકી શક્યતા જ છે જ. એમાં સંયમીને ઘણું નુકશાન થાય. રે ! સંપૂર્ણ સાચા ગ્રંથો પણ બધા સંયમીઓ માટે હિતકારી નથી હોતા. નિશ્ચયનયની ઉંચી જ વાતોથી ભરેલા ગ્રંથો વ્યવહારમાર્ગમાં શિથિલ સંયમીના હાથમાં જાય તો શું થાય ? વાંદરાને દારૂ છે પીવડાવવા જેવી દશા થાય. વળી આજે ગુરુને પૂછયા વિના ધાર્મિક પુસ્તકાદિ વાંચનારો સંયમી આવતીકાલે ગુરુને પૂછ્યાં જ જ વિના છાપાઓ, ખરાબ સાહિત્ય વાંચતો થઈ જાય એવી શક્યતા ઘણી છે. એ ન થાય તો ય આમાં સ્વચ્છંદતા તો પોષાય જ છે. I સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૯ (૩૦)
SR No.005780
Book TitleSamvigna Sanyamioni Niyamavali
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2006
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy