SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ 2 શ્રીમંતો તૈયાર થશે જ કે લક્ષ્મીદેવીના ચડાવાની રકમ કરતા વધારે રકમથી જ પારણાના ચડાવાની શરૂઆત છે કરશે. અને જો આવું થશે તો હજારો જૈનોના મનમાં સાચા સુંદર સંસ્કારો પડશે. લક્ષ્મી કરતા પ્રભુવીરને વધુ- ૪ કુણું વધુ મહત્ત્વ આપતા થશે. . (‘લક્ષ્મીદેવી પ્રભુના ૧૪ સુપનમાંનું એક સુપન છે.” એવા સદ્ભાવથી એ સુપનનો ચડાવો લેવામાં ? છે તો લાભ જ છે. પણ શું અત્યારે લક્ષ્મીનો ચડાવો આ ભાવથી લેવાય છે ખરો ?) - આ ફરજ આપણી-સંયમીઓની છે. જો સંયમીઓ જ લક્ષ્મીદેવીના ચડાવા વખતે બધાને હોંશે હોંશે પ્રેરણા કરે, હસી-મજાકમાં એ છે ચડાવાને વધુ મહત્ત્વ આપે તો મારી દષ્ટિએ આ ઉચિત નથી દેખાતું. ૪ શ્રાવકો આપણી વાત સ્વીકારે કે ન સ્વીકારે પણ એમને આ સમ્યમાર્ગની પ્રરૂપણા ભારપૂર્વક કરવી એ જવાબદાર પ્રત્યેક સંયમીની ફરજ બની રહે છે એમ મારું મંતવ્ય છે. જો શ્રીમંતો સંયમીઓની પ્રેરણાથી લાખો-કરોડો રૂપિયા ખર્ચી દેતા હોય, તો આ નાનકડી પ્રેરણા શું ? તેઓ ન સ્વીકારે? પર્ણ સંયમીઓના મનમાં બીજા બધા કાર્યોની જેટલી મહત્તા પડી છે એટલી જ મહત્તા આ છે આ કાર્યની સમજાશે ત્યારે જ તે ખરા હૃદયથી પ્રેરણા કરી શકશે. અને ત્યારે અવશ્ય એ પ્રેરણા ઝીલાશે. જે ઉપરની આઠ બાબતો ઉપર પ્રત્યેક સંયમી તટસ્થ મનથી વિચારણા કરે. અને એની વાસ્તવિકતાને સમજીને એનો સ્વીકાર કરે એવી મારી હાર્દિક પ્રેરણા છે. એ પ્રેરણા સ્વીકારવી કે ન સ્વીકારવી એ તો સૌની જ આ ઈચ્છાની વાત છે. આ આઠેય બાબતો શ્રાવકોને પણ સારી રીતે સમજાવાય એ જરૂરી છે. તમામ જૈનોને પ્રભુવીર પ્રત્યે સદ્ભાવ છે જ. માત્ર અજ્ઞાનતાને કારણે ઔચિત્ય-વિવેક ચૂકી જવાય છે. જો સમ્યફ બાબતનો ખ્યાલ આવે આ તો આ બાબતમાં સૌ કોઈ સહર્ષ તૈયાર થાય જ, કેમકે પ્રભુવીર સૌને વહાલા તો છે જ. જરૂર છે માત્ર સાચી છે કે સમજણની, માર્ગદર્શનની. સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૨૪૩)
SR No.005780
Book TitleSamvigna Sanyamioni Niyamavali
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2006
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy