SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ એમને ભગવાન ભરોસે છોડીને પોતાનો માર્ગ બદલી નાંખે છે. એમ આપણા ખીણ જેટલા મોટા આચાર છે ભેદોથી આ શ્રાવકસંઘ મુંઝાઈ ગયો છે. અને એણે હવે આ બાબતમાં ઉપેક્ષા જ કરવા માંડી છે. છે કે હવે કોઈપણ સાધુને એની ભુલ બદલ ઠપકો આપનાર શ્રાવકો લગભગ કોઈ રહ્યા નથી. હજી ૭૫-૧૦૦ વર્ષ પૂર્વે સુરતના એક શ્રાવક નેમચંદ મેલાપચંદ ઝવેરી પોતાના ઉપાશ્રયમાં ? આવેલા તમામ નાના મોટાં સાધુઓને ભાવથી વંદન કરતા અને જો કોઈ સાધુ છાપા વગેરે વાંચતો હોય છે તો નમ્ર છતાં કરડાકી ભરેલી ભાષામાં પૂછતા કે “શું તમારા ૪૫ આગમો વંચાઈ ગયા છે? કે તમને ૪ જ આ છાપાઓ વાંચવાનો સમય મળે છે ?” આ છે કોઈ આજે એવા શ્રાવકો ! કે જેઓ છાપાઓ તો ઠીક, પણ ખરાબ મેગેઝીનો વગેરે વાંચતા જ સાધુને અટકાવે, ઠપકો આપે ? ક્યારેક તો શ્રાવકો પણ પરાકાષ્ઠાની મુંઝવણ અનુભવે ત્યારે હૈયાવરાળ ઠાલવે છે કે “સાહેબ! $ તમે આમ કરવાનું કહો છો અને બીજા મહારાજ બીજું કરવાનું કહે છે. અમારે શું કરવું? કોની વાત જ તે માનવી? તમે બધા એક સરખા આચાર-ઉચ્ચારવાળા બનો તો અમને પણ ધર્મ કરવાનો ઉત્સાહ જાગે. જ આ તો તમારા કહેવા પ્રમાણે અમે કંઈક કરીએ અને બીજાઓ આવીને અમને ખોટા-જુઠા સાબિત કરી છે દે. અમે તો હેરાન થઈ જઈએ છીએ.” જ સંતિકર, તિથિ, નવાંગી ગુરુપૂજન વગેરે કેટલાંક પ્રશ્નોને લઈને સાધુઓ વચ્ચે જે મતભેદો 1 પડ્યા. વાદને બદલે જે ઝઘડાઓ, સંક્લેશો, મારા-મારી, આક્ષેપબાજી, પત્રિકાબાજી, છાપાબાજીઓ જ થઈ. એમાં સંઘ છિન્નભિન્ન થઈ ગયો. ૧૦૦ વર્ષથી ચાલતા તિથિ વગેરે પ્રશ્નોને લીધે સંઘની છે જ શક્તિનો સદુપયોગ ન થઈ શક્યો. જ જરાક સાંભળો તો ખરા! અજૈનોના મોઢામાંથી નીકળતા જૈનો માટેના શબ્દો ! “આ ચોમાસું જ ન આવ્યું. એમાં પજુસણ આવ્યા. હવે આ વાણિયાઓ ચાર મહિના લડશે, ઝઘડશે અને પછી પાછા ભેગા જ જ થઈને જમશે.” જિનશાસનના સભ્યો માટે અજૈનોના મોઢામાં આવા શબ્દો સાંભળી શું આઘાત નથી છે જ લાગતો ? આ કંઈ કલ્પલા નહિ, પણ સગા કાને સાંભળેલા શબ્દો છે. ', આશ્ચર્ય તો એ છે કે આખા ભારતમાં ૮૬ કરોડ હિંદુ પ્રજા ફેલાયેલી છે. દરેક સ્થાને તેઓના ? ને જુદા જુદા પંચાંગ નીકળે છે. છતાં તેઓના જન્માષ્ટમી, રામનવમી, દિવાળી વગેરે દિવસોમાં ક્યારેય મતભેદ પડેલો જોવા મળ્યો નથી. તેઓએ એવું જોરદાર સમાધાન કર્યું છે કે કદિ એ મતભેદ ઉભો ન જ જ થાય. જ જ્યારે સ્યાદ્વાદના સિદ્ધાંતના ઠેકેદાર આપણે મુખ્યત્વે માત્ર ગુજરાતમાં ફેલાયેલા હોવા છતાં ? જ તિથિ વગેરે પ્રશ્નોમાં કોઈ સંપૂર્ણ સમાધાન છેલ્લા ૧૦૦ વર્ષથી લાવી ન શક્યા. કે સામાચારી ભેદ હોય, મતભેદ હોય, વિચારભેદ હોય એ સમજી શકાય છે પણ આ ભેદો એવા છે જ તો ન જ હોવા જોઈએ ને? કે જેના કારણે જિનશાસનની મશ્કરી થાય. જૈનધર્મ માટે જેમ તેમ બોલાય. ૪ - હવે તો આ આચારભેદ, પ્રરૂપણા ભેદ માત્ર ગચ્છ-ગચ્છ પુરતો નથી રહ્યો. પણ એક જ ગચ્છના ૪ ક ૧૦-૧૫ જુદા જુદા ગ્રુપો હોય તો તેમાં પણ આચારભેદ-પ્રરૂપણાભેદ પડવા લાગ્યો છે. હજી ઉંડા જ સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૨૩૧) |
SR No.005780
Book TitleSamvigna Sanyamioni Niyamavali
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2006
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy