SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ શું લાગે છે. ખરેખર તો સંયમી પાસે એટલો બધો શ્લોકો, અર્થોનો પાઠ હોય કે પ્રતિક્રમણ બાદ સ્વાધ્યાય ? જ કરતા કરતા પોરિસી ક્યારે આવી જાય એની ખબર પણ ન પડે. એવા મહાસંયમીઓ તો પોરિસીના સમયે પોરિસી ભણાવ્યા બાદ જ સંથારો કરવાના એટલે જે એમને કોઈ પ્રશ્ન જ નથી. ૧૧૮, હું દર પંદર દિવસે / મહીને | ચાર મહિને સુક્ષમ આલોચના કરીશ. ' ગુરુને પોતાના જીવનના નાના-મોટા, મન-વચન-કાયાના તમામ પાપો લેશ પણ કપટ કર્યા છે જ વિના, સરળ ભાવે જણાવી દેવા એનું નામ આલોચના. એ પછી ગુરુ એ પાપ ધોવા માટે જે તપ વિગેરે ? જ કરવા આપે એ પ્રાયશ્ચિત્ત. ઉપચારથી બધા આલોચનાને પણ પ્રાયશ્ચિત્ત કહે છે. જે વર્તમાનકાળમાં એ શિષ્યો ધન્યાતિધન્ય છે કે જેમની પાસે પ્રાયશ્ચિત્તદાતા ગુરુ હાજરાહજુર છે છે અને જે ગુરુ દર પંદર દિવસે આલોચના લઈને પ્રાયશ્ચિત્ત આપે છે. આલોચના અને પ્રાયશ્ચિત્તના કારણે જીવનમાં દોષો ઘટે છે, નવા દોષોનો પ્રવેશ અટકે છે. વિરતિદૂત'માં “આલોચના કેવી રીતે કરવી, કોની પાસે કરવી” વિગેરે બધી બાબતો ? વિસ્તારથી આપેલી જ છે. એટલે અત્યારે એ લખતો નથી. પણ ટુંકો સાર એટલો જ કે કોઈપણ સંયમી છે જે આલોચના-પ્રાયશ્ચિત્ત વિનાનો ન જ હોવો જોઈએ. જો ગીતાર્થ-ગંભીર-મહાસંયમી ગુરુ હાજરાહજુર છે જ હોય અને દર પંદર દિવસે આલોચના આપવા તૈયાર હોય તો દર પંદર દિવસે એમની પાસે આલોચના / જ કરવી. એમને પંદર દિવસે આલોચનાની અનુકૂળતા ન હોય તો મહિને કરવી. જે એમને મહિને-મહિને પણ આલોચના આપવી ન ફાવતી હોય. અથવા તો પ્રાયશ્ચિત્તદાતા ગુરુ જ સાથે ન હોવાથી, દૂર હોવાથી માણસ દ્વારા કે પોસ્ટ દ્વારા આલોચના મહિને મહિને પહોંચાડવી શક્ય છે જ ન હોય. જોખમ લાગતું હોય તો પછી છેવટે દર ચોમાસી ચૌદશે તો આલોચના કરી જ લેવી જોઈએ. જ ચોમાસી ચૌદશનું પ્રતિક્રમણ કરતા પહેલા ચાર મહિનાના નાના-મોટા તમામે-તમામ પાપોનું : જે વિસ્તારથી પ્રાયશ્ચિત્ત કરી જ લેવું પડે. શાસ્ત્રકારોએ પણ પેચોમાસી ચૌદશે આલોચના કરવાની અને જે છે અભિગ્રહો પુનઃ ધારણ કરવાની આજ્ઞા ફરમાવી છે. આમ વર્ષમાં ત્રણવાર ચાતુર્માસિક આલોચના છે જ કરવાની રહે. વર્ષમાં ત્રણવાર પ્રાયશ્ચિત્તદાતા ગુરુને આલોચના મોકલવી અઘરી પણ ન પડે. જેઓ મહિને મહિને આલોચના કરતા હોય તેઓએ પણ સુદ-ચૌદશથી સુદ ચૌદશ લોચના જ છે કરવી. વદ ચૌદશથી વદ ચૌદશ નહિ. કેમકે ચોમાસી ચૌદશોમાં તો આલોચના કરવાની શાસ્ત્રજ્ઞા છે. જ હવે જો વદ ચૌદશે આલોચના કરો, તો પછી મહાવદ-૧૪ની આલોચના કર્યા બાદ પાછી ૧૫ દિવસે ૪ ફાગણ સુદ-૧૪ના દિવસે આલોચના કરવી જ પડે. ચોમાસી ચૌદશે આલોચના ન કરીએ એ ન ચાલે. ? છે એટલે સુદ ચૌદશ પકડીએ તો મહિને-મહિને આલોચના થાય અને ચોમાસી ચૌદશ પણ જળવાય. જે પ્રાયશ્ચિત્તદાતા ગુરુ દૂર હોય અથવા સાથે હોય તો પણ જો ચોમાશી ચૌદશે એકસાથે બધાને છે ૪ આલોચના આપવી એમને ફાવે એમ ન હોય, તો ચોમાશી ચૌદશના ૪-૮ દિવસ પૂર્વે પણ આલોચના / સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૧૩૨)
SR No.005780
Book TitleSamvigna Sanyamioni Niyamavali
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2006
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy