SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ YYYYYYYY પ્રતિલેખનાદિ સામાન્ય કાર્યોમાં પણ જો શિષ્યો ઉપેક્ષા કરે તો એ તો ભયંકર કૃતજ્ઞતા કહેવાય. ગુરુના વસ્ત્રોનું પ્રતિલેખન એ તો સંયમજીવનની મૂડી છે. અણમોલ લ્હાવો છે. એક સ્વર્ગસ્થ મહાન શાસનપ્રભાવક, પ્રખર વ્યાખ્યાનકાર સાધુ અનેક શિષ્યોના ગુરુ હોવા છતાં જ પણ પોતાના ગુરુદેવના વસ્ત્રોના પ્રતિલેખનમાં અચૂક હાજરી આપતા. જેવી પ્રતિલેખનની બુમ પડે કે હું તરત બધા કામ પડતા મૂકીને પહોંચી જતા. જો એમને વસ્ત્રનું પ્રતિલેખન ન મળે તો સાધુઓ ઉપર નારાજ થતા કે “તમે શા માટે મારા માટે વસ્ત્ર ન રાખ્યું ?” જ જો મહાપુરુષો પણ ગુરુના પ્રતિલેખનનું આટલું મહત્ત્વ સમજતા હોય તો બાકીના સંયમીઓ શું ? જ એમાં ઉપેક્ષા કરી શકે ? - સવારે કો'ક સંયમીઓ મોડા ઉઠે એટલે પડિલેહણમાં ન પહોંચે. કો'ક વળી જાપ વિગેરે કરવા ? બેસે માટે પડિલેહણમાં ન પહોંચે. કોક વળી “ઘણા કરનારા છે. હું નહિ જાઉં તો શું વાંધો છે?” એમ જ વિચારી પોતે તૈયાર હોવા છતાં ય આળસ-ઉપેક્ષા કરીને ન જાય. ગમે તે ભોગે, ગમે તે રીતે વ્યવસ્થા કરીને પણ ગુરુના વસ્ત્રોનું પ્રતિલેખન કરવું જોઈએ. “ઘણા જે પડિલેહણ કરનાર છે. હું ન જાઉં તો શું વાંધો?” એમ વિચારનારાઓએ દીક્ષા લેતી વખતે એવું કેમ છે ન વિચાર્યું કે “ઘણા દીક્ષા લેનારા છે. હું દીક્ષા ન લઉં તો શું વાંધો ?” જો આત્મકલ્યાણ માટે જાતે જ દીક્ષા લેવી પડે તો આત્મકલ્યાણ માટે જાતે જ પ્રતિલેખન કરવું પડે. ગુરુએ પોતાનું પ્રતિલેખન જાતે કરવું પડે એ તો શિષ્યો માટે શરમજનક બાબત છે. ગુરુ નાના હોય. પદવીધર, દીર્ઘપર્યાયવાળા ન હોય તો પણ શિષ્ય એમના એક વસ્ત્રનું : જે પ્રતિલેખન તો કરવું જ જોઈએ. ગુરુ હાજર ન હોય તો જે વડીલ સંયમી હોય એને ગુરુતુલ્ય માનીને એમના પણ ઓછામાં ઓછા - જ એક વસ્ત્રનું પ્રતિલેખન બે ટાઈમ કરવું જ જોઈએ. કેટલાંક ગુરુના પ્રતિલેખનમાં હોંશે-હોંશે દોડે. પણ વડીલના પ્રતિલેખનમાં બિલકુલ ઉપેક્ષા કરે. એ ન ચાલે. ભલે વડીલની ભક્તિ ગુરુના જેવી ન કરીએ પણ ઔચિત્યસેવન રૂપ પ્રવૃત્તિ પણ ન કરીએ : છે એ ન ચાલે. છે આ ઉપરાંત ગ્લાન, વૃદ્ધ, તપસ્વી વિગેરેના પ્રતિલેખન કરવાની પણ પ્રત્યેક સંયમીની અંગત જ ફરજ છે એમ સમજી લેવું. ૧૧૩. હું માત્રાનો પ્યાલો ઢાંકીને જ પરઠવવા લઈ જઈશ. માત્રાનો ખુલ્લો પ્યાલો લઈ જવામાં નુકશાન એ કે (૧) જો કામળીકાળ હોય તો ઉપરથી પડતા ; જ સૂક્ષ્મ અપકાયના જીવો ગરમ માત્રામાં પડી કિલામણ પામે, મૃત્યુ પામે. (૨) પ્યાલો પરઠવવા જતા છે હોઈએ અને દાદર ઉપર શ્રાવકો ઉભા હોય કે કોઈક શ્રીમંતો ઉપાશ્રયમાં પ્રવેશતા હોય તો પ્યાલામાં - ૪ માત્રુ જોઈને એમને દુગંછા થવાની શક્યતા છે. અલબત્ત, તેઓ જાણે છે કે સંયમીઓ પ્યાલામાં માત્ર જ જઈને પરઠવતા હોય છે. પણ ખુલ્લા પ્યાલામાં માત્રુ જુએ એટલે જુગુપ્સા થાય. દુર્ગધાદિને લીધે પણ એમને ચીડ ચડે. સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૧૨૮)
SR No.005780
Book TitleSamvigna Sanyamioni Niyamavali
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2006
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy