SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ યાર કરાવવાનો વિચાર આવી પણ જાય. એના માટે ટેપરેકોર્ડરની સ્વીચ જાતે શરુ કરીને કેસેટો તૈયાર છે જ કરતો પણ થઈ જાય. જ , કોઈક વળી અત્યંત મધુર સ્વરે ગાનારો સંયમી પોતાના ગીતોની ઓડિયો કેસેટો પણ તૈયાર છે કરાવી દે. અત્યંત નાનકડું મશીન પાસે રાખે. એમાં નાનકડી કેસેટ હોય. સ્વીચ દબાવતા જ બોલાતી આ બધી વસ્તુઓ ટેપ થતી જાય. ૪ આ એવો તો ભીષણ કાળ છે કે જેમાં લગભગ બધા અપવાદ માર્ગો ઉન્માર્ગ બની જતા વાર જ લાગતી નથી. એટલે કોઈપણ પ્રલોભનોમાં, સ્વપ્ન તુલ્ય લાભોમાં ફસાયા વિના દૃઢતાપૂર્વક આ પ્રતિજ્ઞા છે પાળવી. ભવિષ્યમાં ગમે ત્યારે પણ ઓડિયો કેસેટ નહિ જ તૈયાર કરાવવાની દૃઢ ટેક ધારવી. છે ૮૯. હું મોબાઈલ વિગેરે કોઈપણ પ્રકારના ફોન કરાવીશ નહિ. જો ગાઢ કારણસર કરાવવા જ ૪ પડે તો એક ફોન દીઠ ત્રણ દ્રવ્યના એક-એક ટંક કરીશ. આ ત્રણ-ચાર વર્ષ પહેલાં મોબાઈલો એકેય ન હતા. છતાં સંયમીઓ મસ્તીથી જીવતા હતા અને જ શાસનના બધા કાર્યો થતા જ હતા. રે ! ૧૫૦-૨૦૦ વર્ષ પહેલા તો ફોન જ ન હતા અને છતાં જ જે સંયમીઓ આત્મસાધના, શાસનપ્રભાવનાદિ કરતા જ હતા. ૪ એટલે મોબાઈલો, ફોન વિગેરે વિના ન જ ચાલે એ અસત્ય છે. ખરી હકીકત એ છે કે જેટલી જ સગવડો વધતી ગઈ, એટલી આપણે ભોગવતા ગયા અને આપણા સંયમના સિદ્ધાંતો તુટતા ગયા. તેજસકાયની હિંસાવાળા આ ઈલેક્ટ્રીક સાધનોનો વપરાશ આજે તો સંયમીઓમાં પણ પરોક્ષ જ જે રીતે ચિક્કાર પ્રમાણમાં વધી ગયેલો જોવા મળે છે. ૪ મહાનિશીથમાં તેજસકાયનો આરંભ કરનાર સંયમીઓને મિથ્યાત્વી ગણ્યા છે. ૪ એક શ્રાવકે મને વાત કરી કે, “સાહેબ ! હું હવે જ્યારે પણ અમુક સાધુઓ પાસે જાઉં છું, ત્યારે જ જ મોબાઈલ લીધા વિના જ જાઉં છું. કેમકે હું જ્યારે પણ જાઉં ત્યારે મારી પાસે ૮-૧૦ ફોનો કરાવી દે. $ જ સાહેબ ! મોટા ભાગના ફોન તો મને ય નકામા લાગે. મને પૈસાનો કે ફોન કરવાનો વાંધો નથી. પણ જે સાધુઓ આ બધું બરાબર નથી કરતા એ તો હું સમજી શકું છું. એટલે હવે અમુક સાધુઓ પાસે મોબાઈલ જ વિના જ જાઉં છું.” સંયમીઓની આ કેવી છાપ ! જ્યારે મોબાઈલો ન હતા, ત્યારે તો ફોન કરાવવા માટે શ્રાવકના ઘરે જવું પડતું. એટલે ખૂબ જ આ જ ઓછા પ્રમાણમાં, અત્યંત આવશ્યક હોય એટલા જ ફોન થતા. જ્યારે મોબાઈલો આવ્યા પછી ફોન છે જ કરાવવાનું પ્રમાણ અનેક ગણું વધી ગયું. એક ગૃહસ્થ પોતાના ઉપર વારંવાર સાધુ તરફથી ફોન આવવાથી છેવટે કંટાળીને કહી દીધું કે જે $ મહારાજને કોઈ ધંધો-પાણી નથી, નવરા છે. પણ મારે ધંધો-પાણી છે. હું નવરો નથી. કહી દેજો, મહારાજને !” જિનશાસનના શ્રમણો પ્રત્યે અસદૂભાવ પ્રગટાવનારી આવી પ્રવૃત્તિ કરનારા સંયમીનો છૂટકારો સંગ્નિ સંયમીઓની નિયમાવલિ (૧૦૭)
SR No.005780
Book TitleSamvigna Sanyamioni Niyamavali
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2006
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy