SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ નિયમ બનાવેલો છે. • આ નિયમ સાધ્વીજીઓ માટે નથી. સાધ્વીજીઓએ શીલરક્ષાને પ્રધાન રાખી એ પ્રમ ૪ કસ્ત્રી જો બહાર તેવા તેવા સ્થાનોમાં ઠલ્લે જવામાં જોખમ જણાતા હોય તો એ હિંમત કરવા જેવી નથી. જે બે વર્ષ પૂર્વે વહેલી સવારે રેલ્વેના પાટે ઠલ્લે ગયેલા નૂતનદીક્ષિત (કે જેમના હાથની મહેંદીના રંગ પણ જ સુકાયા ન હતા) સાધ્વીજી ચાર ગુંડાઓનો ભોગ બન્યા, મૃત્યુ પામ્યા. ૪ સાધ્વીજીઓએ બહાર અંડિલ જવું જ હોય તો પણ એકલા તો ન જ જવાય. ગમે તે રીતે ૪ ઓછામાં ઓછા બે સાધ્વીજીઓએ સાથે જવું પડે. જો થોડોક પણ ભય ઊભો હોય તો વાડાનો ઉપયોગ જે કરવામાં ઓછો દોષ છે એવું લાગે છે. છે આજે મુંબઈમાં ઘણે ઠેકાણે વાડાઓને બદલે સાધુ-સાધ્વીજીઓ માટે સંડાસની જ વ્યવસ્થા શરૂ છે થઈ ચૂકી છે અને કેટલાંક સંયમીઓ સંડાસનો ઉપયોગ કરતા પણ થઈ ગયા છે. શહેરમાં રહેવાના કોઈ જ જે પુષ્ટ કારણ ન હોવા છતાં શહેર છોડવું નથી અને આવા અનેક અસંયમનો ભોગ બનવું છે. ખબર નથી પડતી કે ભવિષ્ય શું હશે? ધીરે ધીરે કરતાં સાધ્વાચારનો સમૂળગો વિચ્છેદ થઈ ? જ રહેલો જોઈને અતિશય ખેદ થાય છે. પણ શું કરવું? કોની આગળ જઈને ફરિયાદ કરવી? કોણ માનશે ૪ આ સત્ય હકીકત ! ખેર ! જેઓ આત્મહિત ઈચ્છતા હોય તેઓ વહેલી તકે શહેરોને છેલ્લી સલામ ભરી મધ્યમ જ શહેરો-ગામડામાં જતું રહે એવી શિખામણ આપવાનું મન થાય છે. - ૭૦. હું મારા પાત્રા, ટોક્સી, દોરા વિગેરેનું દિવસમાં બે ટાઈમ પ્રતિલેખન કરીશ. જે ઉપધિનો ઉપયોગ ન થતો હોય એવી ઉપધિનું પણ દર પંદર દિવસે પ્રતિલેખન કરવું પડે છે જ પણ રોજીંદા વપરાશની તમામ વસ્તુઓનું રોજ બે ટાઈમ પ્રતિલેખન કરવું જ પડે. એમાં પાત્રા, ઝોળી ૪ ૪ અને પલ્લાનું પ્રતિલેખન તો બધા કરે જ. પણ તરાણીના દોરા, ઘડાના દોરા, ટોક્સીઓ કે નાની જ જે પાતરીઓ વિગેરે વસ્તુઓનું પ્રતિલેખન ઘણીવાર રહી જતું હોય છે. આ બધી વસ્તુઓ કો'ક સંયમી છે જ વાપરવા લઈ જાય, પછી ગમે ત્યાં મૂકી દે વિગેરે કારણસર જલ્દી આડી-અવળી થઈ જાય. પણ પાત્રા જે $ પ્રતિલેખન વખતે એ બધી જ વસ્તુઓ મૈંગી કરી લેવી જોઈએ. અને બધાનું પ્રતિલેખન થવું જોઈએ. જે - કેટલાંક તો પોતાના દોરા-ટોક્સી વિગેરેને શોધવા ય ન નીકળે. “એનું પ્રતિલેખન થયું છે કે શું કે નહિ?” એની કોઈ તપાસ, કાળજી ન કરે. વિહાર કરવાનો વખત આવે ત્યારે પછી શોધવા નીકળે અને છે જ એ વખતે પ્રતિલેખન કરે. એક આચાર્યદેવની તરાણીની ટોક્સી સાંધવાદિ કોઈક કારણસર એમના શિષ્ય બહાર આપી જ જ અને એના બદલે બીજી ટોક્સી મૂકી. સાહેબજીએ તરત પુછયું કે “ટોક્સી ક્યાં ગઈ?' શિષ્ય કહ્યું કે છે “સાંધવાદિ માટે શ્રાવકને આપેલ છે.” એટલે સાહેબે ઠપકો આપ્યો, “એનું પ્રતિલેખન કોણ કરશે? આ જ રીતે આપણી વસ્તુ લાંબા ટાઈમ માટે શ્રાવકોને કેવી રીતે અપાય?” અને પ્રાયશ્ચિત્ત રૂપે સાહેબે આંબિલ કોઈપણ વસ્તુનું પ્રતિલેખન રહી જાય તો શાસ્ત્રોમાં પ્રાયશ્ચિત્ત બતાવેલ છે. સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૯ (૩)
SR No.005780
Book TitleSamvigna Sanyamioni Niyamavali
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2006
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy