SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ આ દૂધ ન જ મળે. બેમાંથી એક જ વસ્તુ મળતી. આજે તો આ વાતને દસકાઓ થઈ ગયા. સંયમીઓના માપ ઘણા જ વધી ગયા. તરપણી ભરીને જ જ ચાહ પીનારા પણ મહાત્માઓ થઈ ગયા. પ્રમાણનો નિયમ જ ખલાસ થઈ ગયો. જ સંયમીઓએ ખૂબ જ જાગ્રત બનવાની જરૂર છે. જો જરાક પણ અસાવધ રહ્યા, તો તરત જ નાના જે મોટા દોષો જીવનમાં ઘૂસી ગયા વિના ન રહે. એક નૂતન દીક્ષિત ખબર ન હોવાથી રોજ એક ચેતનો દૂધ મંગાવતો. છેવટે ગીતાર્થ ગુરુએ એને જ જે સમજણ આપીને અડધો ચેતનો નક્કી કરાવ્યો. ગૃહસ્થો જે કપમાં ચા પીએ છે, એના માપ પ્રમાણે તો પા કે અડધો ચેતનો પણ માંડ થાય એને જ છે બદલે ચેતના-બે ચેતના દૂધ-ચાહ પીવા એ તો શી રીતે યોગ્ય ગણાય? વળી વધારે વાપરવાથી તો ઉહ્યું છે શરીરને વધારે નુકસાન થાય. જ જો શક્ય હોય તો ચાહનું વ્યસન તો છોડી જ દેવું જોઈએ. છેવટે ન જ છોડાય તો પોણા ચેતનાથી જ વધારે ચાહ ન જ વાપરવી. એમ દૂધ પણ પોણા ચેતનાથી વધારે ન જ વાપરવું. ૫૪. હું ‘વાપરું છું. એ પ્રમાણે બોલ્યા પછી જ વાપરવાનું શરૂ કરીશ : શાસ્ત્રીય નિયમ એવો છે કે જીવાપરતા પૂર્વે ગુરુની રજા લેવી પડે કે “ગુરુદેવ! હું વાપરું?' ' જ ગુરુ રજા આપે પછી વાપરી શકાય. આજે બધા શિષ્યો એક-એક કરીને ગુરુની રજા લેવા જાય એ શક્ય નથી. એવો વ્યવહાર પણ જ દેખાતો નથી. એટલે સાપેક્ષભાવ રૂપે આ નિયમ છે કે વાપરવાની શરૂઆત કરતા પહેલા સંયમી સ્પષ્ટ જ અવાજે બોલે કે, “વાપરું છું.” અને એ રીતે ગુરુમહારાજની રજા લીધી હોવાનો ભાવ વ્યક્ત કરીને પછી જ છે જ વાપરવાની શરૂઆત કરે. વળી આ રીતે બોલવામાં ફાયદો પણ થાય, સંયમી “વાપરું છું બોલે અને અચાનક જ એ વખતે ૪ ગુરુને કંઈક અગત્યનું કામ યાદ આવે તો એને કહી શકે કે “ઉભો રહે. વાપરતો નહિ. પહેલા આ કામ જ જ પતાવી આવ. પછી વાપરવા બેસજે.” તો ગુરુની સેવા-ભક્તિનો પણ લાભ મળે. એટલે આ નિયમ બે ય રીતે ઉપયોગી છે. ૫૫. હું ગોચરી વાપર્યા બાદ માંડલી વ્યવસ્થાપકની રજા મળે પછી જ પચ્ચખ્ખાણ લઈશ. જાતે જ પુછ્યા વિના પચ્ચખ્ખાણ નહિ લઉં : ( વિશાળ માંડલીમાં વધ-ઘટનો પ્રશ્ન લગભગ રોજનો જ હોય છે. બધું વહેંચાઈ જાય, વધેલી જ આ વસ્તુ પણ એક-બે વાર માંડલીમાં ફરી વળે ત્યારે માંડ ખબર પડે કે અમુક વસ્તુ વધી છે કે ઘટી છે? જ છે. કેટલાંક સંયમીઓ ઝડપથી વાપરનારા હોય તો એમની ગોચરી જલ્દી પતી જાય. અને હજી આ બાજુ જ છે ગોચરીની વસ્તુઓની સંપૂર્ણ વ્યવસ્થા થઈ ન હોય અને આ સંયમીઓ જો જાતે પચ્ચખ્ખાણ લઈને ઉભા છે ૪ થઈ જાય તો મુશ્કેલી થાય. કેમકે પછી જો ગોચરી વધી પડે તો એ બધાએ ખપાવવા લેવી પડે. બધાને જ સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ... (૭)
SR No.005780
Book TitleSamvigna Sanyamioni Niyamavali
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2006
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy