SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ હૈયા ચીરતા નિષ્ઠુર વચનો જે નિર્દય ઉચ્ચારે કર્મરાજ જીભ છિનવી સ્થાવર નારંક કરીને મારે, ધન તે...૭૪ વિદ્વાન તરીકેની ઘેરી છાપ એમના પર પડે... એવી જ કોઈક મલિનવૃત્તિઓ મારા न મનમાં હતી. માટે જ તો જ્યારે તેઓ બોલતા કે ‘તમે તો ઘણું ઉંડુ ચિંતન કર્યું છે.' मा ત્યારે મને કેવો આનંદ આવતો. એ વાત મારા ગુરુને હું કહેતો. રે ! એ વિદ્વાનો ગુરુ S સ્તુ આગળ મારી ભરપેટ પ્રશંસા કરે, એવી અપેક્ષા મને રહેતી. અને એવું થતું તો હું સુ ગાંડોધેલો બની જતો. त FE_F त स પણ જ્યારે કોઈક વિદ્વાનોએ મારા પ્રશ્નોના જડબાતોડ જવાબ પળવારમાં આપી મૈં ; દીધા, મારી કેટલીક સમજણમાં ભૂલો દેખાડી, શેરના માથે સવાશેર જેવા મને 7 મળ્યા... ત્યારે હું કેવો ઝંખવાણો પડી ગયેલો ? જો મને જ્ઞાનપિપાસા હોત, તો મારી ા શંકાઓના સ્પષ્ટ સમાધાન મળી જવાથી મને આનંદ જ થાત, પણ મને તો ખેદ શા થયેલો, મારું મોઢું નિસ્તેજ બની ગયેલું... આનો અર્થ શું સમજવો ? મને મારા ना પ્રશ્નોના ઉત્તરો મેળવવામાં રસ ન હતો, પણ ભલભલા વિદ્વાનો પણ મારા પ્રશ્નોના य ઉત્તર ન આપી શકે... એવું જોવામાં મને રસ હતો, જ્યારે એ ન બન્યું, ત્યારે મારો જીવ બેચેન બની ગયો. કેમકે મારો અહંકાર તૂટી-ફૂટી જતો હતો. અને એ પછી જયારે એ વિદ્વાનોએ મારા ગુરુ આગળ મારી ફરિયાદ કરી કે ‘તમારા શિષ્યનો બોધ કાચો છે, એમના પ્રશ્નો પરથી જ અંદાજ આવી જાય છે કે તે હજી શાસ્રીય વ્યવસ્થાઓને, પદ્ધતિઓને, રહસ્યને સમજ્યા જ નથી. એમણે ઘણો પુરુષાર્થ કરવો જરૂરી છે...’ ત્યારે એ શબ્દો સાંભળીને હું કેવો દુઃખી દુઃખી થઈ ગયેલો. મને ધરતીમાં દટાઈ જવાનું મન થયેલું. કોઈપણ સાથે વાતચીત કરવાના મારા હોંશ ઉડી ગયેલા... પાંચસાત દિવસે એની અસર ઓછી થતા માંડ માંડ સ્વસ્થ થયો હતો. 1111111000 [P FEE Foodont હવે ખ્યાલ આવે છે કે મારા સ્વાધ્યાયની - વિદ્વત્તાની બેજોડ પ્રશંસા સાંભળ્યા બાદ મારા મોઢામાંથી નીકળેલા ‘દેવગુરુ પસાય !' શબ્દો કેટલા વાહિયાત, શક્તિહીન, સંમૂચ્છિમવચનતુલ્ય હતા. આ ભ ન આ જ રીતે ‘મેં તપ માટે પણ કેટલી બધી ડંફાશ હાંકી. મારા સ્વજનોને ખબર ન હતી કે હું ૯૮મી ઓળી કરી રહ્યો છું. મારે એમને જણાવવાની ઈચ્છા હતી જ, સં પણ એ ઈચ્છા એવી ઉંડી હતી કે હું જ એને સમજી શકતો ન હતો. એક દિવસ સ્વજનો | સં મળવા આવ્યા અને મને પૂછયું કે ‘આપની તબિયત તો સારી રહે છે ને ?' અને એ ! પ્રે તકનો લાભ લઈ મેં મારી તપયાત્રાનું વર્ણન કરી જ દીધું. ‘તમે એમ નહિ માનતા કે સંસારમાં જ શરીર સારું રહે, સંયમજીવનમાં બગડી જાય. સંયમનો પ્રભાવ અપરંપાર છે. આજે પંદર વર્ષ થઈ ગયા મને દીક્ષા લીધાને ! એમાંથી તેર વર્ષ તો મેં આંબિલ ........................... અહંકાર ૭ (૦૪) ક્ષ ક્ષ ણ ણ આ ભ
SR No.005779
Book TitleAatm Samprekshan
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2010
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy