SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ અગીતારથને એક શબ્દ પણ બોલવો શાસ્ત્ર રોક્યો શુદ્ધગીતારથ પણ કારણ વિણ, મૌનધરો અવલોક્યો. ધન તે...૨૯ એવા તો કેટલા બધા પ્રસંગો ! ગુરુ જ્યારે મારા વ્યાખ્યાનની બધા આગળ પ્રશંસા કરે, ત્યારે હું ‘આપની કૃપા મ S છે, મારું કશું નથી' એમ બોલતો. પણ ગુરુ જ્યારે બીજા વ્યાખ્યાનકારની ખૂબ પ્રશંસા સ્તુ કરતા, ત્યારે મને એ ક્યાં ગમતું હતું ? મને એમ જ વિચારો આવતા ને ? કે ‘ગુરુ સ્તુ ખોટે ખોટી પ્રશંસા કરે છે. કોઈએ ખોટી રીતે ગુરુને એમની વ્યાખ્યાનની વાતો મોટી કરીને કીધી લાગે છે...' ત આ IF ક્યારેક તો મારા આત્માના મિથ્યાસંતોષ માટે હું એમ વિચારતો ને ? કે ‘એ ન મૈં તો એ સાધુને ખોટું ન લાગે, માટે ગુરુએ મશ્કા મારવા પડે છે. બાકી ગુરુ પણ જાણે શા છે કે એના વ્યાખ્યાનમાં કેટલો દમ છે !' स p #___ __FFFF ना મને વ્યાખ્યાન કરવા મળતું, એટલે હું રાજી રાજી થતો. પણ એમાં જ્યારે બીજા 5 સાધુને અડધું વ્યાખ્યાન આપવું પડતું, ત્યારે મને બિલકુલ ન ગમતું. કેમકે મારા ય અહંકારના પોષણમાંથી અડધો ભાગ ઓછો થવાથી મારું અહંકારનું પેટ ખાલી રહી જતું હતું. त 00001 स्मै મારા વ્યાખ્યાન વખતે કેટલાક શ્રાવકો અને શ્રાવિકાઓ નોટમાં મારા વાક્યો ઉતારતા જોઈને મને આનંદ થતો. ‘મારા વાક્યો કેટલા કિંમતી છે.' એમ મને લાગતું. પણ જે દિવસે ખબર પડી કે ‘એ ગૃહસ્થો તો અત્યાર સુધીમાં આવા સો-બસો વ્યાખ્યાનકારોના વાક્યો પોતાની નોટમાં ટપકાવી ચૂક્યા છે. એમનો આ સ્વભાવ જ બની ગયો છે.' ત્યારે મારા વાક્યો બીજા સો-બસોની સાથે સમાન થઈ જતા મારો આનંદ કેવો ઓસરી ગયો હતો ! એમાં વળી મેં તે નોટો જોવા લીધી, એમાં જૂના પ્રવચનકારોના ઢગલાબંધ વાક્યો અને મારા પ્રવચનના ઓછા વાક્યો ટપકાયેલા દેખાયા, એ પણ મને દઝાડનારું બનેલું ને ? શું મારા વાક્યો એટલા અફલાતૂન નથી ? આ મારા પ્રવચનમાં ક્યારેક લાગણીશીલ બનીને હું બોલતો, એ સાંભળી સભા રડતી... એ જોઈ મને પણ રડવું આવતું. ‘શાસન જયવંતુ છે, કેટલા હળુકર્મી આત્માઓ આ શાસનમાં છે. કેવા રડી પડે છે !' વગેરે વિચારો આવતા. મને ત્યારે × એમ લાગેલું કે આ મારો શાસનરાગ છે ધર્મરાગ છે. માટે જ તો ધર્મને પામતા સં પ્રે લોકોને જોઈને મને આનંદ થાય છે ને ? સેંકડો અઠ્ઠાઈ-અટ્ઠમો થાય, હજા૨ો આંબિલો- | પ્રે એકાસણાઓ થાય, સેંકડો ઉપધાનો થાય... આ બધું જોઈ મને હર્ષ ઉભરાઈ આવે એ મારો ધર્મરાગ જ છે ને ? ક્ષ ક્ષ – અહંકાર ♦ (૬૯) " ભ
SR No.005779
Book TitleAatm Samprekshan
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2010
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy