SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ઉનાળે જલઉષ્ણ વાપરી થાયે કર્મના શોષક. ધન તે...૧૧ હંડ જલછે પાપનું વર્ધક સુખશીલતાનું પોષક ઉનાળે છે ' 'E E F E ગોચરી માંડલીમાં મારી સત્તાના જોરે, કપટના જોરે મારા શિષ્યોને, મારા માનીતાઓને બધા જ પ્રકારની અનુકૂળ વસ્તુઓ હું આપી દઉં, અપાવડાવી દઉં... It ભલે ને બીજાના શિષ્યોને, નિપુણ્યક સાધુઓને કશું ન મળે, તેઓ મનમાં ને મનમાં 7 રીબાય... મારે તો હું અને મારું' એ મંત્ર જ જપવાનો હતો, એ મેં જપ્યો. તું | અમારે ત્રણ-ચાર જણને લોન્ચ કરવાના હતા, લોચ કરનારા બે જણ હતા. લોચ અઘરો છે, મને અઘરો પડે છે, પણ મારા કરતા પણ બીજાઓને તો વધારે અઘરો છે લિ પડે છે એ મને ખબર હતી. કેમકે એ બીજા સાધુઓ હજી નવા હતા. મારી ફરજ હતી ન ન કે સારો લોચ કરનાર પાસે એ નવાઓને કરવા દેવો. મારે બીજા પાસે લોચ કરાવવો. 7 શા પણ હાય ! સ્વાર્થ કોનું નામ ! “મારો લોચ સૌથી પહેલા ! મારો લોચ આ જ વ્યક્તિ શા પાસે !” મેં જીદ પકડી લીધી અને એમ જ કરાવ્યું. મારી સામે કોઈનું ન ચાલે. મારા | T શિષ્યોની ય મેં તો પરવા ન કરી. કાપ કાઢતી વખતે ય હું તો માત્ર મારા જ વસ્ત્રોનો કાપ કાઢે, મારા ગુરુના ય 8 બે-ત્રણ વસ્ત્રો કાઢવાનો મને જો કંટાળો આવે, તો બાકીના વૃદ્ધો-ગ્લાનોનો કાપ ૨ 8 કાઢવાનો તો સવાલ જ ક્યાં ઉભો થાય? મારા ગુરુના વસ્ત્રોનો કાપ બીજાઓ જ કાઢે, પણ છે ત્યારે હું તો ક્યાંય ભાગી જાઉં-છટકી જાઉં...હાય ! જેમણે મારા આત્માનો કાપ કાઢી 2 આપ્યો, એમના વસ્ત્રોનો કાપ કાઢવા જેટલી નાનકડી કૃતજ્ઞતા પણ મારામાં નથી. મેં 8 એમાં ય જો કારણસર મારે ગુર્નાદિના કાપમાં બેસવું જ પડે, તો મને આનંદ ન થાય, R એ કાપમાં વેઠ ઉતારું, ઉતાવળ કરું, વસ્ત્રો મેલા રહી જાય તો ય ચલાવી લઉં... મારા શ્વ 8 વસ્ત્રોમાં આવું કશું જ ન ચલાવું, પણ “આ ક્યાં મારા વસ્ત્રો છે એ વિચારથી સાવ સાવ ઉપેક્ષા કરું...મને જો ગુરુતત્ત્વ પ્રત્યે પણ કૃતજ્ઞતાભાવ નથી, તો બીજાઓ પ્રત્યે તો ક્યાંથી હોય ? * વળી આ પણ કેવું ? કે બીજા સાધુઓ - શિષ્યો મારો કાપ કાઢી જાય, એ મને !" ખૂબ ગમે, ખૂબ આનંદિત બનાવે... પણ મારે બીજાઓનો - ખુદ ગુરુનો કાપ કાઢવો પડે, ત્યારે ખૂબ દુઃખે, કંટાળો આવે... હદ છે કંઈ મારા સ્વાર્થની ! મારી ઝડપ સારી, એટલે વિહાર કરીને ઉપાશ્રયમાં પહેલો પહોંચે. વડીલો બધા સં કે ધીમે ધીમે પાછળ આવે. હું તો ઉપાશ્રયમાં હવાવાળી, ઉજાશવાળી જગ્યા પર મારો છે જાણે કે હક જમાવી દઉં. ઉપાશ્રયમાં ટેબલો ઓછા હોય તો ય હું મારા માટે, મારા | . ભગવાન મુકવા, મારા પુસ્તકો મુકવા, લખવા માટે બે ટેબલ તો મારા કબજામાં લઈ . 1ણ 000000000000 સ્વાર્થ ૦ (૧૧) B O TAD
SR No.005779
Book TitleAatm Samprekshan
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2010
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy