SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ णमो त्थु णं समणस्स भगवओ महावीरस्स णमो त्थु णं समणस्स भगवओ महावीरस्स બધો સાચો આત્મવિકાસ દર્શાવાયો છે. એ દૃષ્ટિઓમાં રહેલા મિથ્યાત્વી જીવોને માર્ગાનુસારી ગણવામાં આવ્યા છે, રે ! હદ તો એ થઈ કે સૂરિપુરંદરશ્રીએ ગૌતમબુદ્ધ અને સાંખ્યમતપ્રવર્તક કપિલ વગેરેને સર્વજ્ઞ તરીકે સ્વીકારી લીધા, એમને અસર્વજ્ઞ × સાબિત કરનારી દલીલોના સમાધાનો આપ્યા. તેઓની નિંદાને જીભ કપાઈ જવા સ્ત્ર કરતાંય ભયંકર ખરાબ દર્શાવી. તેઓના ઋષિમુનિ ‘કાલાતીત’ને મહાત્મા શબ્દથી # નવાજ્યા, મહર્ષિ પતંજલિને મોક્ષમાર્ગાનુસારી પ્રજ્ઞાના માલિક દર્શાવ્યા... त H न મારો કદાગ્રહનો હિમાલય યોગગ્રન્થોની કાળઝાળ ગરમીમાં ઓગળીને સાફ થઈ ગયો. ઈતરદર્શનો પ્રત્યે આગ વરસાવતી મારી આંખોમાં હવે અમૃતનાં સિંચન ત્ર ગા થયા, ઈતરદર્શનો પ્રત્યે માધ્યસ્થ્યભાવ પ્રગટ થયો. ‘જે સારું તે મારું' એવી શા ઉદાત્તભાવના મારા આત્મામાં ઘુંટાવા લાગી. ‘જે પારકું તે ખરાબ' એ ભાવનાં ઘસાવા લાગી. म स ना ना य 11111111 અત્યાર સુધી અજૈનોની કોઈપણ બાબતમાં દોષો કાઢવાની, દોષો જોવાની જ ટેવ પડી ગયેલી, પણ આ ગ્રન્થોના અભ્યાસ બાદ અજ્ઞાાત્કારમુદ્ધોત્ એ ન્યાય સહજ રીતે મારા આત્મામાં વણાઈ ગયો. અજૈનોની ખરાબ બાબતોમાં પણ જે સારું હતું, એ જોવાની કુનેહ મને પ્રાપ્ત થઈ. એનાથી મને જૈનદર્શન પ્રત્યેનો અહોભાવ કુદકે ને ભુસકે વધતો જ ગયો. જૈનદર્શનની ઉદારતા-ગુણગ્રાહિતા પ્રત્યે મને ભારે-અતિભારે આદર પ્રગટ થયો. r F પણ ‘મને દિગંબરો ખોટા લાગતા હતા' એ એટલા માટે કે હું શ્વેતાંબરકુળમાં જન્મેલો, સ જો હું દિગંબરકુળમાં જન્મ્યો હોત તો મને શ્વેતાંબરો જ ખોટા લાગત ને ? એટલે મારો છ .................................... કદાગ્રહ ૦ (૧૩૮) 100000000000000 જેમ જો કે હજી મારે કદાગ્રહનો ઘણો લાંબો પંથ ઓળંગવાનો બાકી હતો. ભાઈઓ પરસ્પર જેટલું ઝઘડે, એના કરતા દૂરના સાથે ઓછું ઝઘડે. નજીકનાઓ સાથેનો ઝઘડો ભારે - અતિભારે હોય. એમ અજૈનો તો મારાથી ઘણા આ દૂર હતા, પણ હું શ્વેતાંબર, અને એટલે જ દિગંબરો અજૈનો કરતા ઘણા નજીકના લાગે. એમાં ય દિગંબરમતની ઉત્પત્તિ-તેઓએ તીર્થો પચાવી પાડ્યા - સ્રીમુક્તિનિષેધ વગેરે વગેરે ઉત્સૂત્રો દિગંબરોએ ફેલાવ્યા... એ બધું મેં નાનપણથી જ સાંભળેલું. એટલે જ હું શ્વેતાંબર હોવાથી તેઓ પ્રત્યે ઉંડે ઉંડે અજંપો થઈ જ ગયેલો. ચોક્કસ સ દિગંબરો ખોટા જ છે, પણ દિગંબરોની તમામે તમામ બાબતો ખોટી જ હોય... એવો સં પ્રે મારો દ્વેષભાવ - વ્યક્તિદ્વેષ પણ ક્યાં સાચો હતો ? મારો બોધ કંઈ જોરદાર ન હતો. પ્રે મ ક્ષ આ ભા
SR No.005779
Book TitleAatm Samprekshan
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2010
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy