SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ .. બી જે ઘોર પાપો મેં કર્યો, તે આસુઓ પાડી પખાળું દુર્ગતિમય તા. સઓ પાડી પખાળું દુર્ગતિમય વારવા. માટલું.. તુજ શિખામણ અવગણી જે થી, E F 45 F S E F " એમાં મને આપના કરતા પણ એ મહાત્મા વધુ સારા લાગ્યા. આપનામાં મને કોઈ . : ખામી નથી દેખાઈ, પણ એ મહાત્મામાં મને વધુ ઉંચાઈ દેખાઈ છે. આપ મારા ના Sા ઉપકારી છો અને રહેવાના છો. ભવિષ્યમાં એ ઉપકાર હું સદા યાદ રાખીશ. પરંતુ...”ST તું એ રાત્રે હું રડેલો, આંખોમાંથી વહેતી અશ્રુધારાએ હિમાલયમાંથી વહેતો તું ગંગાપ્રવાહ યાદ કરાવી દીધો. સૂર્યની ગરમીથી બરફ પીગળે, અને પાણી બનીને પર્વત પરથી નીચે ઉતરવા લાગે, એમ સંતાપ-આઘાતની ગરમીથી મારું હૈયું પીગળી રે ત્તિ રહ્યું હતું, એના ફળ રૂપે આંસુઓ વહી રહ્યા હતા. અંતે મેં મુમુક્ષુ ગુમાવ્યો, મારી નજર સામે એ બીજાનો શિષ્ય થઈ ગયો. પણ આજે પણ મને યાદ છે કે મુમુક્ષુએ જે દિવસથી બીજા સાધુને ગુરુ તરીકે નક્કી કર્યા, એ દિવસથી મેં એની કાળજી કરવાનું છોડી દીધું, એને હિતશિક્ષા આપવાનું, એનામાં ગુણો ઉગાડવાનું કામ તરછોડી દીધું. એની સાથે વાત કરવાનું ? પણ લગભગ છોડી દીધું. # શું આ બધું મેં યોગ્ય કરેલું? અત્યાર સુધી એને ભણાવ્યો - તાલીમ આપી એની # # પાછળ, શું ઉડે ઉડે એ અપેક્ષા હતી જ ને કે “એ મારો શિષ્ય થાય...” અને માટે જ જ્યારે ? # એ અપેક્ષા ભાંગી, ત્યારે હું પણ ભાંગી પડ્યો ને? જો મેં માત્ર પરોપકાર કરવા માટે ? જ અને એના દ્વારા આત્મ-કલ્યાણ માટે જ તાલીમ આપી હોત, તો એ મુમુક્ષુ ભલેને ગમે કે તેનો શિષ્ય થાય, મને શું ફરક પડે ? એક આત્માને જ્ઞાન-સંયમ આપવા દ્વારા મેં એના ક 8 ઉપર ઉપકાર કર્યો છે, એ રીતે મેં મારા આત્મા પર પણ ઉપકાર કર્યો છે. બસ, જો રે 8 આત્મવિશુદ્ધિની જ લાલસા મને હોત, તો એ મારી પૂરી થઈ જ ગઈ હતી. પણ . પણ જ્યાં સુધી “એ મુમુક્ષુ મારો શિષ્ય થવાનો છે' એવી ધારણા હતી ત્યાં સુધી આ એના ઉપર ઉપકારોની હેલી વરસાવી. અને જેવી ખબર પડી કે “એ મારો શિષ્ય આ થવાનો નથી ત્યારથી હું બારવર્ષીય દુષ્કાળના આકાશ જેવો બની ગયો, જેમાંથી ઉપકારોની હેલી તો શું? પણ ઉપકારનું એક ટીપું પણ એ મુમુક્ષુ પર ન વરસે. એકદમ સ્પષ્ટ વાત છે કે હું તે વખતે લાલચુ હતો, સસ્પૃહ હતો, અપેક્ષાવાન || | હતો. બિચારા એ મુમુક્ષુનો શું વાંક ! એને પોતાના ગુરુ નક્કી કરવાનો હક છે. એને સી માટે આખી જીંદગીનો પ્રશ્ન છે. પોતાની જીંદગી માટેનો નિર્ણય એ લઈ જ શકે છે. એ મારી શેહ-શરમમાં આવીને એ પોતાની જીંદગી હોડમાં મૂકે એ તો યોગ્ય નથી જ. ક્ષા બ શાસ્ત્રોએ ગુરુ માટે બાર વર્ષ ૭00 યોજન સુધી તપાસ કરવાનું ફરમાન કર્યું છે... C RIMIT અપેક્ષા ૦ (૧૧૯) DIGITAL
SR No.005779
Book TitleAatm Samprekshan
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2010
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy